________________
૧૦.
દેશપરદેશમાં પોતાની પ્રતિષ્ઠા વધારી, તો પણ તેણે જોઈ લીધું કે ધારેલા કાર્યમાં તે નિષ્ફળ નીવડયો હતો. રાજાને વધ કરી પ્રજાને સ્વતંત્રતા આપવાના પ્રયત્નોમાં પ્રજાને મેટો ભાગ સંમત ન હતો. તેણે તરવારને જેરે પ્રજા પર સત્તા ટકાવી રાખી, પણ એ પ્રતાપી શક્તિ દૂર થતાં પિતાનું કામ તૂટી પડવાનું છે એમ તે સમજી ગયે. તેના ધાર્મિક વિચારો જમાના કરતાં આગળ પડતા હતા. તેણે લેલા જેવા અપ્રિય થઈ પડેલા વર્ગને ધર્મછૂટ આપી, અને વેપારીઓને અને ધર્મઘેલાઓનો વિરોધ હોવા છતાં દેશમાં વાદીઓને વસવા દીધા. ધાર્મિક આવેશથી પ્રેરાએલે બુદ્ધિશાળી જમીનદાર સ્વદેશાભિમાનના પૂરમાં ખેંચાય ત્યારે ક્યાં સુધી જઈ શકે, તેનું ઉદાહરણ કન્વેલ પૂરું પાડે છે. તેણે દેશમાં સમૃદ્ધિ આણી, પણ પ્રજાને જોઈતી સ્વતંત્રતા તે આપી શકે ન હતો.
અરાજકતાઃ ઈ. સ. ૧૬૫૯-૬૦. ક્રોપ્ટેલના મૃત્યુ પછી તેને પુત્ર રિચર્ડ કોન્વેલ “દેશરક્ષકના પદ પર આવ્યું. તેનામાં પિતાની બુદ્ધિ કે શક્તિ ન હતી; તે શાંતિપ્રિય અને એકાંત જીવન ગુજારવાની ઇચ્છાવાળો, લડવાની આવડત વિનાનો અને સાધારણ માણસ હતો, એટલે જુની તકરાર ઉભી થઈ. તેણે પાર્લમેન્ટ બેલાવી, પણ સૈન્ય અને પાર્લમેન્ટ વચ્ચે તકરાર જામી. સૈનિકોને યુદ્ધકળાના જ્ઞાન વિનાનો આ ઉપરી જોઈ તો ન હતો, અને પાર્લમેન્ટને લશ્કરની પ્રબળ સત્તા પાલવતી નહોતી; તેણે લશ્કરી અધિકારીઓના દબાણને વશ થઈ પાર્લમેન્ટને વિસર્જન કરી, અને પિતાનું રાજીનામું આપી દીધું. તેણે કહ્યું કે “મારી પદવી મને ભાર રૂપ છે, એટલે તે માટે હું લેહીનું એક પણ ટીપું રેડાવા દેનાર નથી.” . આ પછી દેશમાં ખાસ મુખ્ય સત્તા રહી નહિ. ક્રોવૅલના મરણ પછી લશ્કરની એકતા તૂટી, અને લશ્કરી અધિકારીઓ ઉપરીપદને માટે લડવા
૧. ક્રોવેલના જીવનની સમીક્ષા નીચેની ચાર લીટીઓમાં ઠીક કરેલી છે. He first put arms into Religion's hands, And tim'rous conscience into Courage mann'd; The soldier taught that in ward mail to wear, An fearing God how they should nothing fear.