________________
કામચલાઉ પાર્લમેન્ટઃ ઈ. સ. ૧૬ ૬૦. એ પછી બ્રેડાના જાહેરનામાને અમલ કરવાનું કામ હાથમાં લેવામાં આવ્યું. પાલમેન્ટ ઈ. સ. ૧૬૩૭થી ૧૬૬૦ સુધીના બળવામાં ભાગ લેનારાઓને ક્ષમા આપી; છતાં ૧૩ રાજહત્યારાને અને ન્યાયાધીશોને ફાંસીએ ચડાવ્યા, અને કેટલાકને બંદીખાને નાખ્યા. કોન્ટેલ અને બ્રેડશેનાં શબને કબરોમાંથી ખોદી કાઢી ફાંસીએ ચડાવ્યાં. કોન્વેલના સમયમાં રાજાના પક્ષના માણસની જમીન લઈ લેવામાં આવી હતી, તે તેમને પાછી આપવામાં આવી, અને અમીરની સભાની ફરીથી સ્થાપના કરવામાં આવી. રાજાને બાર લાખ પન્ડનું વર્ષાસન બાંધી આપી તેની જાગીરે સોંપવામાં આવી, પણ ક્યૂડલ ધારાને અંગે મળતાં નજરાણું બંધ કરી દારૂની જકાત તેને મળે તેવી ગોઠવણ કરવામાં આવી. એ સાથે મંકની સેનાને પગાર ચૂકવી વિખેરી નાખવામાં આવી. રાજાએ તેમાંથી એક ટુકડી રાખી લીધી, અને આ પ્રમાણે ઈગ્લેન્ડની સ્થાયી સેનાનું બીજ નંખાયું. કેટલાક ધાર્મિક પ્રશ્નોનું નિરાકરણ કરવા જેવું હતું, પણ રાજા અને પાલમેન્ટ વચ્ચે મતભેદ હોવાથી કશું કર્યા વિના આ પાલમેન્ટ ઈ. સ. ૧૬૬૦માં બરખાસ્ત થઈ. )
સ્કોટલેન્ડ અને આયલેન્ડમાં રાજસત્તાની સ્થાપના ઈ. સ. '૧૬૬૦–૧૬ ૬૫. રાજાના પુનરાગમનથી આ દેશે ને હાનિ થઈ. કોવેલના સમયમાં ટલેન્ડનું ઈગ્લેન્ડ જોડે થએલું જોડાણ કામચલાઉ પાર્લમેને સ્વીકાર્યું નહિ, અને ઉલટું ડેંટ લોકો પાસેથી વેપારના સમાન હક લઈ લીધા. ડૅટ લોકેએ ચાર્લ્સ બીજાને મદદ કરી હતી, પણ તેઓ પિતાના પિતાની સામે થયા હતા, એ વાત રાજાને સાલતી હતી. આલિના ઠાકોરે ઈ. સ. ૧૯૬૦માં ચાર્લ્સને રાજ્યાભિષેક કર્યો. તોપણ તેના પર ચાર્લ્સ ૧લાની હત્યાનો આરોપ મૂકી તેને ફાંસી દેવામાં આવી. છેવટે એપિસ્કેિપલ પંથ ફરી દાખલ કરવામાં આવ્યો, અને જે તે સ્વીકારવાની ના - પાડે તેમના પર ભયંકર જુલમ ગુજારવા માંડ્યા. - આયર્લેન્ડમાં બીજા પ્રકારનું દુઃખ હતું. આંતર વિગ્રહમાં જેમણે રાજાને મદદ કરી હતી, તેમની જમીન કોન્ટેલે લઈ લીધી હતી. યૂરિટન જમીનદારે પાસેથી એ જમીન “રાજ પક્ષના માણસને પાછી આપવાની ચાર્જને