________________
૩૧ - હૈ બેલના પુત્ર સેસિલની સહાયથી રાજ્યવહીવટ સંતોષકારક ચાલ્યો. સેસિલ રાજનીતિમાં નિપુણ ચતુર અને દીર્ધદર્શી હતા, અને તે વહીવટી આવડત ધરાવનાર જમીનદાર હતા. તેના મરણ પછી રોબર્ટ કાર ઉપર - રાજાની અમીદષ્ટિ થઈ. તે નમાલ હતો અને તેનામાં કામની આવડતજ ન હતી, છતાં રાજ્યમાં તે કર્તાહર્તા થઈ પડયો. તેણે અને તેની પત્નીએ અંતરમંતર અને ઝેર દેવાના પ્રયોગ કરવા માંડ્યા, પણ રાજાએ તેને દેહાંતદંડની સજામાંથી ઉગારી લીધો. તે પછી જ્યોર્જ વિલિયર્સ નામને ફાંકડ જુવાન જેમ્સના મનમાં વસી ગયે. રાજાએ તેને બકિંગહામને ઠાકર બનાવ્યું. તે સર્વસત્તાધીશ થઈ પડ્યો, અને ફાવે તેમ વર્તવા લાગ્યો. તેનાં દુરાચરણ ક ઉધાડાં પડી જતાં. તેમ છતાં તેને કેઈ કહી શકતું નહિ. જેમ્સનો દરબાર
મીચ, વિષયી, ઉડાઉ, અને અનીતિમાન બની ગયે, અને લખલૂટ દ્રવ્યનો “અપવ્યય થવા લાગે. બકિંગહામમાં ન હતી મુસદ્દીગીરી, કે ન હતી આવત; તે તે જેટલી મેજ ઉડાવી લેવાય તેટલી ખરી, એવા વિચાર ધરાવતો હતો. - પરદેશી રાજનીતિઃ જેમ્સને મત એ હતો કે પરદેશી લડાઈએમાં માથું મારવું નહિ. લડાઈ માટે જોઈતાં નાણાં આપવાની વાત પાર્લમેન્ટના હાથમાં રહી, અને ઈશ્વરી હકને માનનારે રાજા રૈયત પાસે લાચારી કરવા જાય એમ કેમ બને ? જેસે પ્રથમ સ્પેન જેડે સલાહ કરી. પછી એથી આગળ વધીને પિતાના પુત્ર ચાર્લ્સનાં લગ્ન સ્પેનની રાજપુત્રી જોડે કરવાની ગોઠવણ કરવા માંડી. લેકોને આ વાત ન ગમી. પ્રજાના મનમાં એમ - હતું, કે યુવરાજ કેાઈ પ્રોટેસ્ટન્ટ કન્યા જોડે પરણે તો સારું. પરંતુ મેટી પહેરામણીની આશા ઉપરાંત જેમ્સના મનમાં કંઈક એવી ખુમારી હતી, કે
ટેસ્ટન્ટ અને કેથલિક દેશો વચ્ચે સંધિ કરીને યુરોપમાં હું શાતિ આણી શકીશ. પાલમેન્ટને વિરોધ હોવા છતાં બાર વર્ષ સુધી લગ્નની ખટપટ ચાલુ રહી; અને સ્પેનને રાજી રાખવા સર વૅલ્ટર રેલીનું બલિદાન અપાયું.
સર વૈોલ્ટર રેલી એક મહાન શોધક હતા. તેના પર રાજની વિરુદ્ધ એક કાવતરામાં સામેલ હોવાનું આળ મૂકી તેને કેદમાં પૂરવામાં આવ્યો. તેણે તેર વર્ષ કારાવાસમાં ગાળ્યાં, તે છતાં તેના મનમાં એમ હતું, કે દક્ષિણું અમેરિકામાં એક સેનાની ખાણ છે તે શોધી કાઢવી. આથી દ્રવ્યભી