________________
૧૩
'
હતા, પણ બકિંગહામના મરણ પછી રાજાએ તેને ખેલાવી લીઍ. તેમ જુના મિત્રે તેની આવી વર્તણુકથી ગુસ્સે થયા, અને તેમણે કહ્યું કે “તું અયને છેડીને જાય છે, પણ તારા ધડ પર માથું હશે ત્યાં સુધી અમે તને છેડનાર નથી.” રાજાએ તેને અર્લ આવ્ સ્ટ્રેફર્ડ બનાવી પહેલાં ઈંગ્લેન્ડના ઉત્તર ભાગને, અને પછી આયર્લૅન્ડના ઉપરી નીમ્યા. તેના અમલ દરમઆન વેપાર વધ્યું, એટલે લેાકેાની આબાદી વધી; પરંતુ તેણે કડક અમલ ચલાવી લેાકેાની સ્વતંત્રતા છીનવી લીધી, અને પેાતાની ઇચ્છા મુજબ વહીવટ ચલાવ્યેા. તેની ઇચ્છા દેશની અદાલતાની સ્વતંત્રતા છીનવી લઈ તે, અને લોકૈાની સ્વતંત્રતા પર કાપ મૂકીને ચાર્લ્સને સ્વતંત્ર રાજા બનાવવાની હતી. આ ઇચ્છા પાર પાડવા માટે તેણે બહાલી લશ્કર રાખ્યું, અને રાજાની ઇચ્છા પ્રમાણે વર્તવાની લાકાતે ફરજ પાડી. આયર્લેન્ડમાં તેણે આવું લશ્કર ઉભું કરીને પ્રજાની વિરુદ્ધ તેને ઉપયોગ કરવાની સલાહ ચાર્લ્સને આપી.
લાડ: વિલિયમ લાડ લંડનના ધર્માધ્યક્ષ હતા. તે સત્તાના ભૂખ્યા હતા, અને ધર્મખાતાના વહીવટ તેના હાથમાં હતા. તે પંડિત હતા, પણ સાંકડા વિચારતા હતા. તે પ્યૂરિટનાના કટ્ટો વિધી અને રાજાના ઈશ્વરદત્ત હુકને માનનારા હતા. તે આગ્રહી, ઉત્સાહી, અને ચપળ હતા, પણ તેને ખીજાનાં કામેામાં ડખલગીરી કરવાના શોખ હતા. સ્ટ્રેફર્ડની પેઠે ધાર્મિક વિષયે માં એકતા આણવાને તેને મનસુખેા હતેા. તેના ધાર્મિક વિચારા કેથોલિક મતને વધારે મળતા હતા. તેણે તે પંથની અનેક વિધિએ એપિસ્કાપલ પંચમાં દાખલ કરી, એટલે પ્યૂરિટનાએ પોકાર ઉઠાવ્યા. તેણે સ્ટાર ચેમ્બર કાર્ટ અને હાઈ કમિશન કાર્યની મદદથી નાના મેટાના ભેદ રાખ્યા વિના એપિસ્કાપલ પંથના વિરોધીઓને દંડવા માંડ્યા. ચાર્લ્સના રાજ્યારાહણ પહેલાં આ અમલદારેાની સત્તા મર્યાદિત હતી, પણ તેના આપખુદ અમલમાં અમલદારાએ લેાકેાને માર મારીને કેદમાં મેકલવા માંડ્યા.ર પરંતુ દંડાએલા `કે સજા
૧. આ યોજનાને ‘Thorough' કહેવામાં આવે છે.
૨. સ્ક્રીટ ડૉક્ટર લીટનને દીક્ષિતે (Bishops) વિરુદ્ધ લખાણ કરવા બદલ કાંન કાપી કારડા મારવાની સજા કરી. પ્રીને નાટ્કા વિરુદ્ધ લખાણ કરેલું, તેથી સ્ટાર : ચેમ્બર કાઢે તેને હેડમાં નંખાવી કાન પાક્કી નાખ્યા