________________
૧૫૪ તેમણે જુની રીતે લડવા માંડયું, પણ કેપ્ટેલે રાજાના લશ્કરને સખત હાર ખવડાવી પાયદળને કાપી નાખ્યું. રાજા વેલ્સ તરફ નાઠે, અને તેને સામાન, તાપખાનું વગેરે શત્રુના હાથમાં આવી પડયું. આ બધામાં સૌથી મૂલ્યવાન વસ્તુ રાજાની ખાનગી પેટી હતી. તેમાંથી રાજાને અનેક ખાનગી પત્રો મળી આવ્યા. તે ઉપરથી તે પરદેશીઓની મદદ મેળવવા માટે કેવા કાવાદાવા કરતા હતા તે જણાઈ આવ્યું. હવે રાજાને એકે બારી રહી નહિ. તેનું લશ્કર હારી ગયું, તેના સરદારેમાં ફાટફૂટ થઈ અને તેનાં કાવતરાં પકડાઈ ગયાં. પાર્લમેન્ટ આ બધા પત્રો છપાવી પ્રજામાં વહેંચી તેની ફજેતી કરી.
વિગ્રહને અંતઃ હવે ચાર્લ્સને કયાએ શરણ ન હતું. પ્રજાપક્ષનું લશ્કર તેને જંપીને બેસવા દે તેમ ન હતું, તેમ વેલ્સમાં પણ તેનાથી રહેવાય તેમ ન હતું; તેને માત્ર એકજ આશા હતી. તેને મિત્ર મેટ્રોઝ પ્રજાપક્ષના લશ્કરને બે વાર હરાવી ચૂક્યો, પણ તેણે રાજાને મદદ મોકલી ન હતી. રાજા પોતેજ તેને જઈ મળે તો ? પરંતુ વજુબાહુની ચતુરાઈ આગળ તેનું ચાલ્યું નહિ. તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ભટકવું પડયું. હવે ડેંટ કે અંગ્રેજો બેમાંથી એકને શરણ થયેજ છૂટકે હતો. એટલામાં મોઝે ફીલિપહો પાસે હાર ખાધી, એટલે રાજાની રહીસહી આશા ધૂળમાં મળી. ઈ. સ. ૧૬૪૬માં સ્કૉટ લેકે ન્યૂઆઈને ઘેરે ઘાલી પડયા હતા ત્યાં રાજા ગયે. અને કેટલાંક ઉપલક વચન આપી તેમને શરણે થયો. પરંતુ તેમણે રાજાને ન્યૂકેસલ મોકલી દીધે.
પ્રજાવિગ્રહનાં પરિણામઃ ચાર્લ્સ ડેંટ લેકને શરણે ગયે, એટલે વિગ્રહને અંત આવ્યો. હવે દેશમાં નવી સ્થિતિ ઉત્પન્ન થઈ. કોન્વેલના વજુબાહુઓની મદદથી વિર્ય પામેલી પાર્લામેન્ટ સર્વ સત્તા પિતાને હસ્તક લેવા માંડી. યુદ્ધ પૂરું થવાથી લશ્કરનો ખપ નહતો, તેથી પાર્લમેન્ટે કેટલીક ટુકડીઓને આયર્લેન્ડ મોકલવાને અને કેટલીકને ચડેલા પગારને છો ભાગ આપી વિખેરી નાખવાનો ઠરાવ કર્યો. પરંતુ લશ્કરની સત્તા વધી ગઈ હતી, , અને સૈનિકોને વિજયનો મદ ચડયો હતો. આ સિપાઈઓ નિરુદ્યમી, ભટકતા, અને પેટને ખાતર નોકરી કરનારા માણસ નહતા. તેઓ દેશકલ્યાણની