________________
૧૩૩ - છે એવું સજાએ સમજાવ્યું, તે છતાં લેકીએ તે ગણકાર્યું નહિ. એથી ઉલટું લેકેએ હઠ પકડી ત્યારે રાજાએ કહ્યું કે તમે રાજ્યનાં રહસ્ય શી રીતે સમજે ?. તમારે પરદેશી મામલામાં વચ્ચે પડવાની જરૂર નથી. પરિણામે લોકો સામા થયા અને પાર્લમેન્ટે ઠરાવ કર્યો. કે પ્રજાહિતનાં કાર્યો સંબંધી વિચાર કરી નિર્ણય કરવાનો હક આ સભાનો છે. આથી રાજા ક્રોધે ભરાયે; તેણે પાર્લમેન્ટનું દફતર મંગાવી આ ઠરાવનાં પાનાં ફાડી નાખ્યાં અને કેટલાક આગેવાને (કેક, પીમ, સેલ્ડન ઇત્યાદિ)ને બંદીખાને નાખ્યા, ઈ. સ. ૧૬૨૨. - જેમ્સની પાસે કોઈ શાણે મંત્રી નહોતે. તેણે યુવરાજ અને બકિંગ હામને સ્વયંવર–લગ્ન કરવા પેન મોકલ્યા. પરંતુ પેનને રાજા કે તેનું મંત્રીમંડળ આ લગ્ન ઇચ્છતા નહોતા; માત્ર રાજદ્વારી સ્વાર્થ સાધવા તેમણે જેમ્સને આશામાં રાખ્યા હતા. કુંવરીને જોઈને ચાર્લ્સને મેહ થયો, પણ કુંવરીને વર પસંદ પડશે નહિ. બકિંગહામે પિતાની જાત પરખાવીઃ તેણે બને તેટલા સ્પેનિઆડેને દુભવ્યા. સ્પેનને રાજા ગમે તે સરત કરે તેની મૂર્ણ ચાર્લ્સ હા ભણે, છતાં કંઈ વળ્યું નહિ. ચાર્લ્સ અને બકિંગહામ વિલે
એ પાછા આવ્યા. ચાર્લ્સનો મોહ ઉડી ગયો અને અપમાનનો બદલો લેવા તેણે જાહેર કર્યું કે સ્પેન જોડે લડાઈ કરવી જોઈએ. સ્પેનની જંજીરમાંથી છોડાવનાર યુવરાજને લોકોએ જયજયકાર પિકાર્યો. રાજા શું કરે ? જેમ્સની છેલ્લી પાર્લમેન્ટ મળી, ઈ. સ. ૧૬૨૪. તેણે રાજાને મોંમાગ્યાં નાણાં આપ્યાં. લડાઈની તૈયારીઓ થઈ, અને આશરે ૧૨,૦૦૦ માણસનું જેવું તેવું લશ્કર પેટેસ્ટન્ટ લોકોને સ્પેનની વિરુદ્ધ મદદ કરવા માટે મેકલવામાં આવ્યું. તાલીમ વિનાના સિપાઈઓ ફાવ્યા નહિ, અને તેમનો ઘણોખરે ભાગ ટાઢ, ભૂખ અને રોગથી નાશ પામ્યો. અંગ્રેજોના અપમાનની પરાકાષ્ટા આવી ગઈ. દરમિઆન દારૂ અને વિલાસથી જર્જરિત થએલે જેમ્સ સાઠ વર્ષની વયે નિરાશા, શોક, અને નિષ્ફળતાથી ખિન્ન થઈ મરણ પામે. - સમાલોચના: જેમ્સનું રાજ્ય કેટલીક રીતે અગત્યનું છે. તેના સમય માં કેટલાક અંગ્રજો કાયમને માટે વેસ્ટ ઈન્ડિઝમાં જઈ વસ્યા. અને યૂરિટએ ઉત્તર અમેરિકાનાં સંસ્થાને પ નાખ્યું. રાજાએ આયલેન્ડના