________________
૩૫
પુત્ર જોડે કર્યો, પણ લગ્ન થતા પહેલાં સ્કેટલેન્ડની રાજકુંવરી મરણ પામી. પરિણામે ગાદીના ત્રણ વારસદાર ઉભા થયા. એડ તેને નિકાલ કરવાનું કામ પોતાના હાથમાં લીધું. તેણે જëન બેલિયલની તરફેણમાં ચુકાદો આપે, અને તે સ્કોટલેન્ડની ગાદી ઉપર પણ બેઠે. બેલિયલને રાજ્ય તે મળ્યું, પણ ઑટલેન્ડની પ્રજા એડવર્ડની ગુલામી સ્વીકારવા માટે બેલિયલને ફિકાર દેવા લાગી. સ્કોટલેન્ડના અધિપતિ તરીકે એડવર્ડ વારંવાર બેલિયલને કંઈ કામને બહાને પિતાની પાસે બોલાવત, પણ એ તો બેલિયલને લેશમાત્ર પસંદ પડતું નહિ. એથી તેણે ઈ. સ. ૧૨૯૫માં બળવો કર્યો, અને ફ્રાન્સની મદદ માગી. પરંતુ એડવર્ડ એકદમ ટલેન્ડ જઈ પહોંચ્યો. તેણે બેલિયલને ડનબારના યુદ્ધમાં હરાવ્યું, અને તેને પદભ્રષ્ટ કરી ત્યાં અંગ્રેજ સુબાની નીમણુક કરી.
લેસને બળઃ પરંતુ એટલેથી સ્કોટલેન્ડની છત પૂરી થઈ નહિ. ત્યાંની સ્વાતંત્ર્યપ્રેમી અને પહાડી પ્રજા હાથ જોડીને બેસી રહે તેવી ન હતી. વેલેસ નામના દેશાભિમાની વીર નરે સ્કોટલેન્ડને સ્વતંત્ર કરવાનો ઝંડો ઉપાડે, અને અનેક માણસો તેને આવી મળ્યા. તેણે અંગ્રેજ લશ્કર પર ધસારે કરી તેને કાપી નાખ્યું, અને અંગ્રેજોને હરાવી વૅલેસે પિતાને દેશરક્ષક જાહેર કર્યો, ઈ. સ. ૧૨૯૭. એડવર્ડ આ વખતે ફ્રાન્સમાં હતા. તેણે બળવાના સમાચાર સાંભળી ફ્રાન્સની તકરાર પતાવી દીધી. તે એકદમ ઇંગ્લેન્ડ આવ્યું, અને ચુનંદા યોદ્ધાઓ લઈ વૅલેસની સામે ગયો. ફત્કર્ક પાસે યુદ્ધ થયું, તેમાં કેંટ લશ્કરે ઘણી બહાદુરી બતાવી; પણ અંગ્રેજ તીરંદાજે અને ઘોડેસવારના એકત્ર બળ આગળ તેમનું ચાલ્યું નહિ. એડવર્ડ ઉદારતાથી બળવાખોરેને માફી આપી, પણ વૈલેસ તેને નમે નહિ. આખરે ભારે ઈનામની લાલચથી કાઈ દેશદ્રોહીએ એ વીર નરને એડવીને સ્વાધીન કર્યો. એડવર્ડે તેને ફાંસીની સજા કરી, ઇ. સ. ૧૩૦૫. - વૈલેસને મારીને પણ એડવર્ડ સ્કોટલેન્ડનું રાજ્ય નિષ્કટક ભોગવે એમ ન હતું. એ વીર પુરુષના મરણની વાત સાંભળી દેશ ખળભળી ઊઠશે, અને સુસ્ત અમરેએ પણ એડવર્ડની સામે થવા કમર કસી. બહાદુર સરદાર બર્ટ બ્રુસે તેમની સરદારી લીધી. જો કે બ્રુસ એડર્વાના દરબારમાં ઉર્યો