________________
૩૯
રંજાડવા અને લૂટવા માંડયા. વળી તેણે વેલ્સમાં બળવો જગાડા, અને પિતાના ભાઈને આયર્લેન્ડ જીતવા મોકલ્યા.
બેર્નેકબર્નના યુદ્ધથી રાજાની રહીસહી પ્રતિષ્ઠા જતી રહી, અને અમીરે પણ હવે તેને તિરસ્કાર કરવા લાગ્યા. લેકેસ્ટરને ઠાકોર દેશમાં સત્તાધીશ થઈ પડે, અને રાજાની સત્તા પર સખત કાપ પડયો. એડવર્ડ લેકેસ્ટરના ઠાકરનો આવો અજુગત કાબુ ફેંકી દેવાનું ધાર્યું. તેણે ડિસ્પેન્સરના નામથી ઓળખાતા પિતા પુત્રની પ્રીતિ મેળવવા માંડી. તેઓ હેશિયાર અને સુજાણ હતા. પરંતુ અદેખા અમારે તેમના પર રાજાની કૃપા થાય એ સાંખી શક્યા નહિ, તેથી તેમના પર રાજ્યવહીવટમાં નિરર્થક વચ્ચે પડવાનું તહોમત મૂકવામાં આવ્યું, અને તેમની જાગીર જપ્ત કરી તેમને દેશપાર કરવામાં આવ્યા. એડવર્ડ તેમનો પક્ષ લઈ લડ; તેણે અમીરને હરાવ્યા, અને તેમને પાછા બેલાવ્યા. પરંતુ રાજા ઉપર બીજી દિશામાંથી અણધારી આફત આવી પડી. તેની રાણી ઈસાબેલા ફ્રાન્સ ગઈ હતી, ત્યાં રેજર મોટિંમર નામના અમીર જોડે કુછંદમાં પડી ખટપટ કરવા લાગી. ઈ. સ. ૧૩૨૬માં તે મેટિમરની જેડે એક નાનું લશ્કર લઈ ઈંગ્લેન્ડ આવી. કેટલાક અમીર અને ધર્માધ્યક્ષો તેમની જોડે ભળ્યા, એટલે રાજા વેલ્સ જતો રહ્યો. આખરે ડિસ્પેન્સર પિતાપુત્ર પકડાયા, અને તેમને ફાંસીએ ચઢાવવામાં આવ્યા. મોટિસર ડીસ્પેન્સરનો શત્રુ હતો, અને તેને દેશપાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે રાણી સાથે મળીને વેરનો બદલે લીધો. ત્યારબાદ બાળરાજકુંવર એડવર્ડને રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
પછીની કથા કરણ છે. રાજા પર પ્રજાદ્રોહનાં, જુલમનાં અને એવાં બીજા અનેક તહોમત મૂકવામાં આવ્યાં. સર્વ તહોમત સ્વીકારીને એક રાજ્યને ત્યાગ કર્યો; પણ વેલ્સથી આયર્લેન્ડ તરફ નાસી જતાં તે માર્ગમાં કેદ પકડાયે, અને બર્કલીના કિલ્લામાં કમકમાટ ભરી રીતે તેનું ખૂન કરવામાં આવ્યું.