________________
૬૫
નવા સંસ્કાર ઈંગ્લેન્ડમાં લાવતા. આ ધર્મગુરુએ પોતાની જોડે પુસ્તકા લાવ્યા. તેમણે શાળાઓ, મંદિર અને મઠ સ્થાપ્યા. તેમણે ધ્યાનાં અનેક કાર્યો કરી બતાવી અંગ્રેજોને શીખવ્યું, કે લૂંટફાટ, મારામારી, કે શિકાર કરવા ઉપરાંત જીવનમાં ખીજાં સારાં કાર્યો કરવાનાં હેાય છે. આ ધર્મોપદેશકાએ દેશમાં વિદ્યા અને સંસ્કાર આણ્યાં.
આલ્ફ્રેડ: આલ્ફેડ ગાદીએ આળ્યે, ત્યારે ધર્મ અને વિદ્યા વીસારે પડયાં હતાં. તેના સમયમાં ડેન લેાકેાએ ભયંકર ખુનરેજી ચલાવી. પરિણામે મંદિર અને પુસ્તકાનો નાશ થયે, એટલે આલ્ફ્રેડે પરદેશથી વિદ્વાન ધર્મન ગુરુઓને ખેલાવ્યા, અને મંદિર તથા શાળાએ સ્થાપી. તેણે પોતે પણ અનેક ગ્રંથેાનાં ભાષાંતર કરી ધર્મ અને વિદ્યાની જ્ગ્યાત જાગતી રાખી.
ત્યાર પછી નાર્મન વિજય સુધી ખાસ નાંધવા જેવું બન્યું નથી. એડગર અને તેના ડાઘા મંત્રીએ ધર્મોપદેશકે ને બનતી સહાય આપી. પરંતુ ધર્મગુરુઓમાંથી ધાર્મિકતા અને વિદ્યાને લાપ થતા ગયા. વિજેતા વિલિયમે ધર્માલયોની ખાલી જગાએ નોર્મન પાદરીઓને આપવા માંડી, અને મુખ્ય ધર્માધ્યક્ષ પણ નોર્મન પાદરીતે બનાવ્યો. નોર્મન વિજય પછી ત્રણ ફેરફારા થયા: નોર્મન લેાકેાએ અસંખ્ય મંદિરા અને ધર્માલયા બાંધ્યાં, પાદરીઓમાં ધાર્મિકતા અને વિદ્યાની વૃદ્ધિ થઈ, અને ધર્મગુરુઓનું પ્રાબલ્ય વધતું ગયું.
આલ્ફ્રેડથી માંડીને ટયુડર વંશના આરંભ સુધી ધર્મગુરુએ અમીરઉમરાવે કરતાં પણ પ્રબળ થઈ પડયા. તેઓ રાજકાજમાં આગળ પડતા ભાગ લેતા, અને રાજાના મુખ્ય મંત્રી પણ થતા. આવા ધર્માધ્યક્ષામાં લાફ્રાન્ક, સ્ટીફન લેંગ્ટન, અને ટેમસ વુલ્સી મુખ્ય હતા.
આ યુગમાં પશ્ચિમ યુરેાપના દરેક દેશમાં ધર્માલયાને રાજ્યના કાયદાથી સ્વતંત્ર બનાવવાના પ્રયત્નો થયા. ધર્મગુરુઓ પેાતાની જુદી અદાલતા સ્થાપતા. તેઓ રામના પાપને ઉપરી માનતા, અને રાજાની પરવા કરતા નહિ. આ અદાલતેામાં નામની સજા થતી, અથવા ગુનેગાર છટકી પણ જતા. આમ ધર્માલયોનું રક્ષણ શેાધનારને કાયદાનું બંધન નડતું નહેતું. ન્યાયપ્રિય રાજાઓને આ વાત ખૂંચતી, અને ધર્મગુરુઓ સાથે તકરારા થતી. સેાળમા સૈકામાં આ પ્રશ્નનું નિરાકરણ થયું.
પ્