________________
૧૦૫
-
અને તે એ કે પપથી સ્વતંત્ર થવું. વુલ્સી ધાર્યું કામ ન કરી શકો. એટલે તેને વચમાંથી દૂર કરી હેનરી પિતાને અનુકૂળ પ્રધાન લાવ્ય. લ્યુથરના પક્ષ જોડે હેનરી સંમત ન હતો. તે તો જીવન પર્યત કેથલિક પંથનાં અનુયાયી રહ્યો. પ્રજામાં પણ ધર્મગુરુઓ અપ્રિય થઈ પડ્યા અને ધર્મમાં સુધારા થવાની જરૂર હોવા છતાં ધર્મના સિદ્ધાંતમાં ફેરફાર થાય એવી કેઈની ઈચ્છા ન હતી. ધર્ણોદ્ધારની બાબતમાં યુરોપના બીજા દેશે અને ઈલેન્ડ વચ્ચે આ મેટ ફરક છે. ઈંગ્લેન્ડ સિવાય યુરેપના બીજા દેશોમાં સામાન્ય લેકેથી માંડીને રાજા સુદ્ધાંએ પિકાર ઉઠાવી ધર્ણોદ્ધાર કર્યો, પણ ઈગ્લેન્ડમાં રાજકીય હેતુ પાર પાડવા માટે રાજાએ પિપની સત્તા તોડી, અને ધર્મોદ્ધારને નામે પિતાની સત્તા સ્થાપી તેને વધારે દઢ કરી.
- એડવર્ડ દદો બાળક હોવાથી ડયૂક ઑસમરસેટ “રાજરક્ષક, બને. તે સુધારક હોવાથી કેન્સરના સુધારા દાખલ કરીને તેણે ઈગ્લેન્ડને પ્રોટેસ્ટન્ટ બનાવી દીધું. તેણે લેલા વિરુદ્ધના કાયદા અને છ કલમોનો કાયદે રદ કર્યો, અને સર્વને રાજાનું ધર્માધિપત્ય સ્વીકારવાની ફરજ પાડી. જેઓ એ વાત કબુલ ન રાખે તેમને પકડીને સજા કરવા માંડી. એ સાથે પાદરીઓને લગ્ન કરવાની છૂટ આપી. તેણે મૃતાર્થ પ્રાર્થના બંધ કરી, અને તમામ વહેમી રિવાજે ન માનવાની આજ્ઞા કરી. આ ઉપરાંત જડ, બાહ્ય દેખાવવાળી, અને કર્મકાંડથી ભરેલી ઉપાસનાવિધિ કાઢી નાખી તેને સ્થાને સરળ અને સર્વ લેકે સમજી શકે તેવી ઉપાસનાવિધિ દાખલ કરી. મંદિરેમાંથી મૂર્તિઓને નાશ કરવામાં આવ્ય, સતનાં ચિત્રો અને અવશેષો ફેકી દેવામાં આવ્યા, અને બારીબારણના કાચ ઉપર બાઈબલના પ્રસંગો ચીતર્યા હતા, તેને ભાંગીને ભૂકે કરવામાં આવ્યો. અત્યાર સુધી મંદિરમાં લેટિન ભાષામાં પ્રાર્થના થતી, પરંતુ જૂજ લેકે લેટિન ભાષા સમજતા, તેથી પ્રાર્થના નીરસ અને આડંબર ભરેલી થઈ પડતી. હવે અંગ્રેજીમાં પ્રાર્થના કરવાનું ઠર્યુંઅને પ્રાર્થનામાલાની સાર્વજનિક પોથી પ્રગટ કરવામાં આવી.
૧. આ પથી બે વાર પ્રસિદ્ધ થઈ. ઈ. સ. ૧૫૪માં જે પોથી પ્રગટ થઈ તેનો આરંભ હેનરી ૮માના સમયમાં થયો. ઈ. સ. ૧૫૫૨માં પ્રાર્થના પોથીમાં સુધારાવધારા કરવામાં આવ્યા..