________________
પ્રકરણ ૭મું
નવી દુનિયાની શોધ તુકે લેકેએ કેન્સ્ટન્ટિનોપલ જીત્યું, એટલે ત્યાંના પંડિતને બીજા દેશમાં જવાની જરૂર પડી. આ પંડિત જે પુસ્તક લઈ ગયા, તેમાં પશ્ચિમ યુરોપ સંબંધી જે માહિતી હતી, તેની બીજા લોકોને ખબર ન હતી. એથી લેકેને વધારે જાણવાની અને જોવાની ઈચ્છા થઈ. મધ્ય યુગમાં ચીન, અરબસ્તાન, અને હિંદુસ્તાનથી રેશમ, જવાહીર, અને તેજાના ભરેલાં વહાણો યુરોપમાં આવતાં, તેથી પૂર્વના દેશની સમૃદ્ધિ વિષે યુરોપમાં અનેક વાતે ચાલતી, અને સાહસિક ખલાસીઓ એ અજબ ભૂમિને નજરે નિહાળવાના મનસુબા કરતા. તેરમા સૈકામાં તુર્ક લેકેની સત્તા પ્રબળ થવાથી એમણે યુરેપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારમાં હરત કરવા માંડી, એટલે હિંદુસ્તાન અને પૂર્વના દેશ તરફ આવવાને માર્ગ શોધી કાઢવાની યુરેપના લોકેની ઈચ્છા તીવ્ર બની.
તે સમયે પોર્ટુગીઝ લેકની ચડતી કળા હતી. તેમની પાસે સારાં વહાણ અને સાહસિક નાવિક હોવાથી તેમણે અજાણ્યા સાગર ખેડવાની પહેલ કરી. પરંતુ તેમનાં વહાણ નાનાં હોવાથી કિનારા નજીક ચાલતાં, એટલે તેમનાથી લાંબી સફર થઈ શકી નહિ. ઘણું વર્ષો સુધી તેમના બહાદુર ખલાસીઓએ પ્રયત્ન કર્યો, છતાં બહુ વળ્યું નહિ. પરંતુ ઈ. સ. ૧૪૮૬માં બાર્થેલેમિઓ-ડાયેઝ નામને વહાણવટી એક ભૂશિર (હાલની કેપ ઍવુ ગુડ હોપ) સુધી આવી ત્યાંથી પાછા વળે. ડાયેઝને અહીં તેફાને સહન કરવાં પડયાં, એથી તેણે તેને તોફાની ભૂશિર” (Stormy Capદ) એવું નામ આપ્યું; પણ અહીંથી હિંદુસ્તાનને જળમાર્ગ જડવાની આશા બંધાઈ, તેથી પિાર્ટુગલના રાજાએ તેને કેપ ઍવુ ગુડ હેપનું નામ આપ્યું. બાર વર્ષ પછી વાસ્કે-ડી–ગામાએ આગળ વધીને હિંદુસ્તાનને જળમાર્ગ
૧. આફ્રિકાને નાતાલ પ્રાંત આ ખલાસીએ શેડ્યો હતો. ઈસુ ખ્રિસ્તની જન્મતિથિને દિવસે તેની શોધ થવાથી તેનું નામ “નાતાલ પાડયું હતું. તે