________________
૧ર૦
પદ્યગ્રંથ લખાયા. ગ્રીક અને લેટિન ભાષામાંથી અનુકરણ થયાં, અને બાઈબલનું સરસ ભાષાંતર થયું. રોજર એસ્કામ, સર ફિલિપ સિડની, અને લીલી જેવા પ્રતિભાશાળી લેખકેએ તેજસ્વી અને સુંદર ગદ્ય લખાણને પાયે નાખ્યો. હકર નામના લેખકે પ્રૌઢ શૈલીમાં ધાર્મિક ચર્ચાત્મક ગ્રંથ લખ્યો. પ્રસિદ્ધ ફિલસુફ લૈર્ડ બેકને આધુનિક વિજ્ઞાનની શોધ કરવામાં કામ લાગે એવા અનુપમ શાસ્ત્રનો ગ્રંથ લખી ‘પદાર્થવિદ્યાના પિતાનું માનભર્યું ઉપનામ મેળવ્યું. તેના નિબંધમાં તેની મર્મભેદી અવલેકનશક્તિ, તીક્ષ્ણ બુદ્ધિ, અને વિચારેને યોગ્ય ભાષામાં રજુ કરનારી તેજસ્વી શૈલી માલમ પડી આવે છે.
આ યુગ ખાસ કરીને નાટકોને માટે પ્રસિદ્ધ છે. ડે. માર્કોએ ફેંસ્ટસ નામનું નાટક લખી નામના મેળવી, પણ ૨૮ વર્ષની વયે તે અકાળ મૃત્યુ
પામે. શેકસ્પિયરનાં નાટકોની જગતમાં જેડ નથી. તેના અનેક નાટકોમાંથી કોનાં નામ ગણાવવાં અને કાનાં નહિ એ પ્રશ્ન છે. મનુષ્યસ્વભાવના ખુણેખુણામાં ફરી વળી તેણે કલ્પનાસૃષ્ટિનાં જે પાત્રો નિર્માણ કર્યા છે, તે સજીવ હોઈ આપણી વચ્ચે ફરતાં હોય એમ લાગે છે. બીજો પ્રસિદ્ધ નાટકાર બેન જેન્સન હતો. ઉતરતી પંક્તિના અસંખ્ય
નાટયકારોનાં નામ ગણવાનો અહીં અવશેકસ્પિયર કાશ નથી.
આ ઉપરાંત નાનાં ગીતથી માંડીને મેટાં રૂપકે પણ આ યુગમાં લખાયાં. કવિઓમાં ફરી કવીન'ના લેખક એડમંડ સ્પેન્સરનું નામ પહેલું આવે છે. - આ ઉપરાંત પ્રવાસનાં વર્ણનો અને ઇતિહાસના ગ્રંથો રચાયા. નવા ધર્મને પ્રચાર કરવા માટે રચાએલાં વ્યાખ્યાનોના ગ્રંથ પણ પ્રગટ થયા. સ્પેનને હરાવ્યા પછી અંગ્રેજોમાં રાષ્ટ્રીય અભિમાન જાગ્યું, અને તેમને પૂર્વજોનાં પરાક્રમે વાંચવાની હોંસ થઈ. શેકસ્પિયરે પણ કેટલાંક ઐતિહાસિક