________________
૧૧૬
ઈંગ્લેન્ડ ગયા, પણ ચાર વર્ષ પછી તે પાંચ વહાણુ અને સેા ખલાસીએ લઈ પ્લીમથ બંદરેથી મેાટી સફરે રવાના થયા. તેણે આટલાંટિક મહાસાગર ઓળંગ્યા. પછી મેગેલનની સામુદ્રધુનિમાં થઈને તે પાફિક મહાસાગરમાં દાખલ થયા. આ દરિયામાં અંગ્રેજોનાં વહાણુ આવેજ કયાંથી એમ ધારી સ્પેનિઆર્ટા ગફલતમાં રહેતા, એટલે કે તેમનાં વહાણા લૂટયાં, તેમાંનું દ્રવ્ય કબજે કર્યું, અને તેમનાં કેટલાંક શહેરા જીતી લીધાં.
આમ શત્રુ ઉભા કરીને ડ્રેકથી તે રસ્તે પાછા જવાય એમ ન હતું, એટલે તે કેલિફોર્નિઆ ભણી ચાલ્યા. ત્યાંથી પશ્ચિમ દિશામાં ચાલતાં તે માલુક્કાસ જઈ પહેાંચ્યા, અને ત્યાંથી ક્રેપ આવ્ ગુડ હેાપની પ્રદક્ષિણા કરી સ્વદેશ ( ઇ. સ. ૧૫૭૭–૮૮ ) સિધાવ્યેા. તે પેાતાની જોડે પુષ્કળ સાનું, રૂપું, ઝવેરાત વગેરે લેતા આવ્યા. સ્પેનિઆર્ટોની ફરિયાદ ઉપરથી ફિલિપે ઇલિઝાબેથને ભલામણ કરી, કે ફૂંકને સખત શિક્ષા થવી ઘટે છે. પરંતુ રાણીએ તે તેને ધણું માન આપ્યું. રાણી “ધી ગેાલ્ડન હાઈન્ડ '' નામનું ડ્રેકનું વહાણ જોવા ગઈ, અને તેણે ડ્રેકને ‘સર'ને ઈલ્કાબ આપ્યા.
માર્ટિન ફૅબિશરે ઉત્તર અમેરિકાના ઉત્તર કિનારેથી હિંદુસ્તાન જવાને માર્ગ શોધવાના પ્રયત્ન કર્યા. આ શેાધ માટે તેણે ત્રણ વખત મુસાફરી કરી. પરંતુ સધળું વ્યર્થ ગયું. એગણીસમા સૈકામાં આ માર્ગ શેાધાયા, પણ તે ઉપયાગના નહાતા; કારણ કે એ માર્ગમાં વર્ષના ઘણાખરા ભાગ સમુદ્રમાં બરફના ડુંગરા તરતા હેાવાથી વહાણાની સલામતી જળવાય તેમ ન હતું.
આ ઉપરાંત નાર્થેના ઉત્તર કિનારે થઇને ઉત્તર મહાસાગરમાંથી હિંદુસ્તાન આવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. એ નાવિકા એ રસ્તે ગયા, તેમાં એકનું વહાણ ભાગ્યું અને ખલાસીઓ ઠંડીથી મરણ પામ્યા, તેપણુ ખી શ્વેત સમુદ્ર સુધી પહોંચ્યા, અને ત્યાંથી જમીનમાર્ગે રશિયામાં થઈ પા આવ્યેા. આ માર્ગ પણ નકામા હતા; કેમકે વર્ષના ઘણાખરા ભાગ ત્યાં પણ બરફ હોય છે. આ સફાથી અંગ્રેજોને વહાણવટાની તાલીમ મળી.
આ પ્રમાણે કેટલાક માણસે। નવી શોધ કરવાની આતુરતાથી, કેટલાક સ્પેનના માલ લૂંટી લેવાની આશાએ, તેા કેટલાક સંસ્થાન સ્થાપવાની
.