________________
જરૂર હતી. પચે તપાસ કરી લેહી ઉકળી આવે એ હેવાલ પ્રકટ કર્યો, એટલે ઈ. સ. ૧૫૩ ૬માં રોજાએ પાર્લામેન્ટ પાસે કાયદો કરાવીને નાનાનાના મઠ બંધ કર્યા. ત્રણ વર્ષ પછી મોટા મઠ બંધ કરવામાં આવ્યા. આમ મઠવાસીઓને કાઢી મૂકી તેમનાં માલમિલકત જપ્ત કરવામાં આવ્યાં. આવા મઠોની જમીન રાજાના કેટલાક મિત્રોને આપી દેવામાં આવી, અને તેમાંનાં નાણાં રાજ્યખર્ચમાં, નૌકા બાંધવામાં, શાળાઓ સ્થાપવામાં, કિલ્લા દુરસ્ત કરવામાં, અને બીજાં ધાર્મિક કે લેકહિતનાં કાર્યોમાં વાપરવામાં આવ્યાં.'
હેનરીએ બાઈબલના ટિન્ડેલકૃત ભાષાંતરમાં સુધારાવધારા કરાવી દરેક ધર્મસ્થાનમાં લેકેને વાંચવા માટે રાખવાની આજ્ઞા કરી. પરંતુ હેનરી સુધારક ન હતા. લેકો બાઈબલ વાંચી ધર્મની ચર્ચા કરવા લાગ્યા, જુના ધર્મની મશ્કરી કરવા લાગ્યા, અને અનેક વિધિઓની હાંસી કરવા લાગ્યા, એટલે તેણે તે વાંચવાની મના કરી. દેશમાં લ્યુથરને પંથ જેર પર ન આવી જાય, એટલા માટે તેણે છ કલમેનો ધારે પ્રસિદ્ધ કરી દરેકને તે પ્રમાણે વર્તવાની ફરજ પાડી, અને તે ન માને તેને ભારે સજા કરવા માંડી. કેથલિક પંથીઓ હેનરીને ધર્માધિપતિ માનતા નહોતા, અને પ્રેટેસ્ટન્ટ લેકે છ કલમે માન્ય કરતા નહિ, તેથી બન્નેને સરખો ઘાણ વળવા લાગે. હેનરીનું ધર્માધિપત્ય ન સ્વીકારવા માટે સર ટોમસ મોર અને રેચેસ્ટરના ધર્માધ્યક્ષ જેવા પ્રસિદ્ધ પંડિતને વધ કરવામાં આવ્યો.
છે પરંતુ ઈગ્લેન્ડમાં ધર્મોદ્ધાર થયે તેનું ખરું કારણ ધાર્મિક નહિ પણ રાજદ્વારી હતું. કેથેરાઈનથી છુટા થવાને હેનરીને માટે એકજ માર્ગ હતા,
૧. કોન્ટેલે રાજાનું કામ એક નિષ્ઠાથી કર્યું. પરંતુ પ્રજામાં તે અકારે થઈ પડયો. રાજાના જાસુસે રાતદિવસ ફરતા, અને રાજનું ભુંડું બોલનારનું આવી બનતું. પ્રજ ત્રાસી ગઈ હતી. મઠે બંધ થયા, એટલે ગરીબોને આશરે તૂટયો. ધર્મની બાબતમાં આટલા બધા સુધારા થાય એ લોકેને રુચ્યું નહિ. આ સર્વ કારણેથી કેટલેક સ્થળે બંડ ઊઠયાં, તેમાંનું યોર્ક પરગણાનું બંડ “Pilgrimage of Grace’ કહેવાય છે. આ બંડખેરેને આગેવાન જુવાન વકીલ હતા. રાજાએ તેમની ફરિયાદની તપાસ કરી યોગ્ય કરવા વચન આપ્યું, એટલે બંડખેરે વીખરાઇ ગયા; પરંતુ રાજાએ વચન પાળ્યું નહિ, અને આગેવાનને ફાંસી દીધી..