________________
ટયુડર સમયમાં ધર્મોદ્ધાર ઈલેન્ડમાં ધર્ણોદ્ધાર માટે તૈયારી થઈ રહી હતી. લેકેને ધર્મમાં સુધારે jરવાની ઈચ્છા થઈ હતી. તેનાં કારણે નીચે પ્રમાણે હતાં.
૧. દેશમાં માત્ર પાદરીઓ ભણેલા હોવાથી રાજ્યમાં અને ધર્મખાતામાં બેટા હેદા ભોગવતા. વુલ્સી ધર્મોપદેશ કરવાનું ભૂલીને રાજ્યવહીવટમાં
પચ્ચે રહ્યો. હવે તેને રાજ્યતંત્રમાં ભાગ જોઈતો હતે.
૨. દેશમાં ધર્મગુરુઓનું જેર હોવાથી તેઓ રાજાની સામે થતા, અને પિપની ઈચ્છા હોય તે રાજાની આજ્ઞાનું અપમાન કરવા તૈયાર થતા. તેઓ પૈસાદાર થવાથી વિલાસી જીવન ગાળતા. પાદરીઓ માટે દેશના કાયદાનું બંધન ન હૈય, એ અન્યાય લેકેથી ખમાતું ન હતું.
૩. દર વર્ષે પાપને ભારે ખંડણ ભરવી પડતી; તેનાં નાણું દેશના ખજાનામાંથી જતાં, તે પણ લેકેને ખૂંચતું હતું.
૪. મોટા ધર્માધ્યક્ષે પરદેશથી આવતા, એથી અંગ્રેજોને માઠું લાગતું. - ૫. ધર્મમાં ચાલતાં જુઠાણું અને ઢોંગથી પ્રજા કંટાળી ગઈ લેકને આ પ્રકારના ધર્મમાં શ્રદ્ધા ન રહી.
ઈલેન્ડમાં નવી વિદ્યાની અસર થઈ, પણ ખરે ધર્મોદ્ધાર જર્મનીમાં શરૂ થયો. હેનરી ૮મે કેથલિક પંથને હતા. લ્યુથરના એક પુસ્તકને પ્રત્યુઉત્તર લખી તેણે પોપની તરફદારી કરી, તેના બદલામાં પેપે તેને “ધર્મરક્ષક ને ઈલ્કાબ આપ્યો. આજ પણ અંગ્રેજી સિક્કા પર Fid. Def. અક્ષરો કોતરેલા માલમ પડે છે. એ અક્ષરે Defender of the Faith માટેનું ટૂંકું રૂપ છે. ઈંગ્લેન્ડના રાજાઓ સુધારક-ટેસ્ટન્ટ હોવા છતાં હજી સુધી એ ઈલ્કાબ રાખી રહ્યા છે. . હેનરીએ સ્વાર્થી મનોવૃત્તિઓ તૃપ્ત કરવા માટે પોપની સત્તાને વિરોધ કર્યો. હેનરી પિતાની ભાભી જોડે પરણ્યો હતો. રાણીને પુત્ર ન થયો, એટલે તેને તલાક આપવાને વિચાર કરી પોતાના પ્રધાન વુલ્સીને રસ્તો