________________
૬૭
પારમાર્થિક કલ્યાણને બદલે અહિક કલ્યાણની વાસના વધી, એટલે સાધુએ સજ્યના પ્રપંચામાં માથું માર્યું. ધણા ધાર્મિક અને શ્રદ્ધાળુ પુરુષોને આ સ્થિતિ ટાળવાના વિચારા આવ્યા, અને સાત્ત્વિક ધર્મના પુનરુદ્ધાર કરવાના પ્રયત્ન ચાલ્યા. તેરમા સૈકામાં પ્રવાસી સાધુઓને એક નવા માર્ગ થયેા. તે આશ્રમના એકાંતમાં પડી ન રહેતાં ઉઘાડે પગે પ્રવાસ કરી લેાકેાને ધર્મોપદેશ કરતા. તેઓ ગરીબ રહેવાનું વ્રત લેતા, અને ગરીખાનાં ઝુંપડાંમાં પડી રહેતા. તેઓ ગરીબ લેકામાં ભળી જઈ તેમને દરેક રીતે સહાય આપતા. આના બદલામાં લોકે તેમના ખાવાપીવાના બંદોબસ્ત કરતા. શરૂઆતમાં તે તેમની હાંસી કે પજવણી થતી, પણ ધીમે ધીમે તેમની સેવાભક્તિની અસર સમાજ પર થઈ. તેરમા સૈકામાં તેમણે પ્રજાનું ધણું હિત કર્યું, આજે મુક્તિફેાજ કંઈક આવુંજ કામ કરે છે.
પરંતુ સેવાનેએ મદ ચડે છે. લોકપ્રિયતાના કેફમાં આ સાધુએ ભાન ભૂસા. તેઓ પ્રમાદી અને દુરાચારી જીવન ગાળવા લાગ્યા. તેઓ ધર્મને નામે પદ્ધતિંગ ચલાવી ભેાળા લેાકેાને ડગતા. તેએ ખ્રિસ્તી ધર્મના અંતમòતના ખરાખોટા અવશેષો વેચવા લાગ્યા. આ ફલાણા સંતનું હાડકું છે, આ અમુક પીસ્તા નખ છે, આ ઈસુખ્રિસ્તના ક્રુસનું લાકડું છે, આ જડીબુટ્ટી હડીલા રાગને નાબુદ કરે છે, એવી અનેક ધૂર્તવિદ્યા તેમણે ચલાવી. રામના પે પણ ‘ક્ષમાપત્ર’૧ કાઢયાં. લેકે એ ક્ષમાપત્રા ઠરાવેલી કિંમતે લેતા. આવા પ્રપંચથી ભાવિકાના ભાવ ડગ્યા, અને સામાન્ય લેાકેા કંટાળ્યા. ચાસર કવિએ ‘ કેન્ટરબરી ટેઇલ્સ ’માં આ સાધુએના દુરાચાર અને સ્વચ્છંદની ફજેતી કરી છે. ચૌદમા સૈકાના અંતમાં જ્હાન વિકલીફ નામનેા અડગ સુધારક થયા. તેણે બાઈબલ સિવાય ખીજું કશું પ્રમાણ માનવાની ના પાડી, અને ધર્માલયેાના કુછંદ અને અધર્મ ઉપર પ્રહાર કર્યાં. ધર્મગુરુએ આચારવિચારમાં
* આ સાધુએના એ ગુચ્છ હતા: શ્વેતાંખરી અને કૃષ્ણાંખરી.
૧. જડ કકાંડને માનનારા લેાકેાની બુદ્ધિ એટલી તેા કુંઠિત થઈ ગઈ હતી, કે ક્ષમાપત્રામાં પાપે પાપની કિંમત ઠરાવી હતી, તેમાં પણ તેમને કશું અશ્રુગતું લાગતું નહિ. બાપદાદાનાં કરેલાં પાપ ધાવાં હેય, તે તેનાંએ ક્ષમાપત્ર મળતાં. ભવિષ્યમાં થવાનાં પાપની મારી મળે, તેની ગેાડવણુ “ઈશ્વરના આડતીઓ” કરે તેમાં શી નવાઇ?