________________
ઈલિઝાબેથે કચવાતા મને અને ચક્ષતા હાથે શિક્ષાના કાગળ ઉપર સહી કર્યા પછી પણ કાગળો પાછા મંગાવ્યા, પણ ફેકટ! ઈ. સ. ૧૫૪૭ના ફેબ્રુઆરિમાં મેરીને વધ થયે. એ કમનસીબ રાણીના વાળ ચિંતા અને દુઃખથી ધળા થઈ ગયા હતા; તેને કોઈ મદદ કરનાર ન હતું, છતાં તે શાન્તિથી મરણને શરણ થઈ; પણ ગાદીનો વારસ, સ્પેનના રાજા ફિલિપને ઠરાવી તેને વર લેવાને સંદેશો આપતી ગઈ. દુર્ભાગી મેરીના વધથી લોકે ખુશી થયા, અને ઇલિઝાબેથ પ્રત્યે લોકોનો ચાહ વધ્યો. હવે ઇલિઝાબેથ લયમાંથી મુક્ત થઈ. મેરીના પુત્ર જેમ્સને પ્રોટેસ્ટન્ટ શિક્ષકના હાથ નીચે ઉછેરવામાં આવ્યો.
ઇલિઝાબેથ અને પ્રિન્સ: ઑટલેન્ડ તરફને ભય જતો રહ્યો, પણ ફ્રાન્સમાં ધાર્મિક ઝગડા ઉભા થવાથી તે પરદેશના મામલામાં ધ્યાન આપી શકે તેમ ન હતું. ઇલિઝાબેથે ફ્રાન્સના અને નેધલેન્ડઝના સુધારકને મદદ કરી ફ્રાન્સને સજી રાખ્યું, એટલે તે તરફનો ભય જતો રહ્યો.
ઇંગ્લેન્ડ અને એનઃ મેરીના મરણ પછી ઇલિઝાબેથને સ્પેનને ભય પેઠે. સ્પેનને રાજા ફિલિપ કેથોલિક પંથને અડગ અનુયાયી હતા, અને સમગ્ર યુરોપમાં કળે કે બળે કેથલિક પંથની પુનઃ સ્થાપના કરવાને તેને મનસુબો હતે. એથી ઉલટું ઇલિઝાબેથે ફિલિપની સામે ટક્કર ઝીલવા યુરેપના સુધારકેને છુપી રીતે મદદ કરવા માંડી. નેધલેન્ડઝના સુધારકો પર કેર વર્તાવી તેમને તાબામાં આણવાને ફિલિપ ખૂબ મહેનત કરતા હતા, પણ ત્યાંના સ્વાતંત્ર્યપ્રેમી લેકે ધર્મધ સજાને તાબે થવા ખુશી ન હતા, એટલે તેઓ સ્પેનની સામે થતા. ઈલિઝાબેથ તેમને માણસો અને નાણાંની મદદ આપી સ્પેનની ધુંસરી ફેંકી દેવા ઉશ્કેરતી. આમ ઇંગ્લેન્ડ સ્પેનને આડે આવતું હતું. નવા શેધાએલા અમેરિકા ખંડનાં બંદરમાં વેપાર કરવાને હક અમારો એકલાને જ છે, એ સ્પેન અને પોર્ટુગલ દાવ રાખતાં હતાં કેમકે પપે એ દરિયા ઉપર એમનું આધિપત્ય ઠરાવ્યું હતું; છતાં સુધારક ઇંગ્લેન્ડન્મ સાહસિક વહાણવટીઓ પિપના હુકમને અવગણના કરી દરિયાની સફરે નીકળી પડતા, અને અમેરિકા જેહિ. વેપાર કરતા. તેમાં હેક જેવા