________________
૭૯
વુક્ષ્મીની આંતર નીતિ; દેશાંતર નીતિમાં વુલ્લીનેા ઘણા સમય જતા, તાં તેણે દેશની બાબતા ઉપર પણ ધ્યાન આપ્યું. તે માનતા હતા કે બહારની મેટાઈ મેળવ્યાથી અને વેપાર વધાર્યાથી ઇંગ્લેન્ડની ઉન્નતિ થશે. તેના મતેરથ મોટા હતા, છતાં દેશની અંદરની બાબતમાં તે થેડું કરી શકયા. તેણે ન્યાયખાતામાં કેટલાક સુધારા કર્યા. તેને ધર્માલયેામાં સુધારા કરવાની જરૂર લાગતી. તેણે પાદરીઓને પદ્ધતિસર કામ કરવાની ફરજ પાડી. તેણે તેમની પાસેથી પૈસા પડાવી લીધા, અને તેમના ગેરવાજખી હકેા પાછા ખેંચી લીધા. તેણે કેટલાક મહે। બંધ કરી તેના દ્રવ્યને દેશની વિદ્યા વધારવામાં ઉપયાગ કર્યાં. તે વિદ્યારસિક પંડિત હતા અને નવી વિદ્યાનેા હિમાયતી હતા, એટલે તેણે આકસફર્ડ અને ઇપ્સીચમાં વિદ્યાલયે સ્થાપ્યાં. ઈંગ્લેન્ડની ભૌગોલિક સ્થિતિ જોતાં પરદેશી દુશ્મનેાથી રક્ષણ કરવા નૌકાસૈન્ય જરૂરનું છે, એવું તેણે રાજાને સમજાવ્યું. આથી હેનરીના અમલમાં ૪૬ આરમારા બંધાઈ; આજનાં લડાયક વહાણા કરતાં તે વહાણા નાનાં છતાં ઘણાં ઉપયાગી હતાં.
બુલ્સીનું પતનઃ હેનરી પેાતાની ભાભી થ્રેસર્જન જોડે પેાતાના પિતાની ઇચ્છાથી પરણ્યા હતા, અને તે વખતે પાપની ખાસ રજા મેળવવામાં આવી હતી. કેથેરાઈન સાજીમાંદી રહેતી, અને મેરી નામની પુત્રી સિવાય તેનાં બીજાં સંતાન મરી ગયાં. રાજાને પુત્રની પ્રબળ ઇચ્છા હતી, પણ કૅથેરાઇનને પુત્ર થતા ન હતા. એથી રાજાએ માન્યું હેાય કે આ લગ્ન શાપિત હાવાથી ઈશ્વર તેના પર રૂડયા છે. તે કૅથેરાનની સખી એન એલીન નામની લાવણ્યવતી નવયૌવનાના મેહમાં સપડાયા હતા, તેથી રાજાએ સણીના છૂટાછેડા કરવાના નિશ્ચય કર્યાં, અને તેમ કરવા માટે પાપની રજા માગી. પાપ શું કરે? જે લગ્ન કરવાની રજા તેના પૂર્વાધિકારીએ આપેલી, તે રદ કરવાની રજા આપે તે તેની પ્રતિષ્ઠા કેટલી રહે? વળી સ્પેનને રાજા કચેરાઈનના ભત્રીજો થતા હતા, અને તેને છેડવાની પાપની મરજી કે શક્તિ ન હતી. એથી તેણે પેાતાની આફત દૂર કરવા વુલ્સી અને એક પ્રતિનિધિના પંચને નિર્ણય કરવાનું સોંપ્યું. આ બન્નેએ વિલંબ કરીને એ કામ પાપ પાસે
૧. ખ્રિસ્તી લેાકામાં સાળી કે ભેાઈ જોડેનું લગ્ન નિષિદ્ધ ગણાય છે.