________________
૬૩
ધિર્મશાળામાં તેઓ ઉતર્યા; ધર્મશાળાના માલીકે કહ્યું કે રસ્તામાં વાર્તા કરતા જજે, અને સરસ વાર્તા કહેનારને વળતાં અહીં મીજમાની આપજે. પછી દરેક જણ વારાફરતી વાર્તા કહેવા લાગ્યો. એ વાર્તા તે કેન્ટરબરી ટેઈસ’ તેમાં યોદ્ધાઓ, વહાણવટીઓ, વેપારીઓ, ક્ષમાપ વેચનારા, સાધુઓ, પ્રવાસી સાધુઓ, વગેરે અનેક યાત્રાળુઓની, શુરાતનની, સામાન્ય જીવનની, વૈરની, અને સંતોની દંતકથાઓ, આખ્યાયિકાઓ અને કથાઓ કહેવામાં આવી છે. એથી તે જમાનાના પ્રજાજીવનનું માર્મિક ચિત્ર ખડું થાય છે.
ચાસરના સમકાલીન કવિ લેંગ્લેન્ડે બીજો માર્ગ લીધે. તેણે પીયર્સ પ્લાઉમેન” નામે કાવ્યમાં પ્રજાનાં દુખે, ધર્મગુરુઓના ઢગ, સાધુઓના પ્રપંચ, સાધારણ મૂર્ખતા, ખટપટ, ઠેષ ઇત્યાદિ કાળી બાજુનું ચિત્ર દોર્યું. બંને કવિઓનાં કાવ્યોથી તે સમયના ઇતિહાસનું ભાન થાય છે.
વિકલીફે બાઈબલનું ભાષાંતર કર્યું. બાઈબલની કથાઓને જોકપ્રિય કરવા ઉપરાંત તે ભાષાંતરથી અંગ્રેજી ગદ્ય ઘડાયું.
૫. ધર્મ ( બ્રિટન લોકે હાલમાં અંગ્રેજે ખ્રિસ્તી ધર્મ પાળે છે. ખ્રિસ્તી ધર્મ ઈગ્લેન્ડમાં કયારે દાખલ થયે તે વિષે ચોક્કસ મત નથી; પણ રોમન અમલમાં ઘણા બ્રિટન લેકે ખ્રિસ્તી થયા. તે પહેલાં બ્રિટન લેકે અનેક દેવોને માનતા, અને તેમને પ્રસન્ન કરવા કૂર વિધિઓ આચરતા. તેઓ પશુમેધ ઉપરાંત કેઈ વખતે નરમેધ પણ કરતા. તેમના ગોર ડૂઈડ હતા. આ લેકે જંગલના ઉંડાણમાં રહીને દેવની પૂજા કરતા. તેમને વિષે જુલિયસ સીઝરે સુંદર વર્ણન આપ્યું છે.
રોમન લોકેઃ અસલના રેમન લેકે પણ મૂર્તિપૂજક હતા, અને તેમનામાં ખ્રિસ્તી ધર્મ પાળનારા થડા હતા. પાછળથી જે સિપાઈઓ અને વેપારીઓ દેશમાં આવ્યા, તેઓ ઘણે ભાગે ખ્રિસ્તી હતા. આ સમયે ઈલેન્ડમાં ખ્રિસ્તી ધર્મ દાખલ થયો. રેમને જતા રહ્યા ત્યાર પછી પણું, નવા ધર્મના સંસ્કાર રહી ગયા.