________________
સવાર થઈ આ વિફરેલા લોકોને મળવા ગયો, અને તમારે શું જોઈએ છીએ એમ પૂછયું. લોકેએ પિતાની માગણીઓ રજુ કરી, અને તે પૂરી પાડવાનું રાજાએ વચન પણ આપ્યું, પરંતુ રાજાના એક હજુરીઆએ વૈટને નામીચો ચેર” કહી સંબોવ્યો, એટલે લૅટે તરવાર ઉગામી. રાજાની સમક્ષ આવી ઉદ્ધતાઈ ચલાવનાર વૈટ પર ગુસ્સે થઈને રાજાની જોડે આવેલા લંડનના મેયરે તેને કાપી નાખ્યો. એટલે લોકોમાં પિકાર ઊઠેઃ “મારો, મારો, મારે, આપણે સરદાર પડયો.” રિચર્ડ પણ ત્યાંથી ખસ્યા વિના બહાદુરીથી જવાબ આપ્યોઃ તમે શું તમારે રાજાને મારશે ? ચાલો, તમારે સરદાર હું.” પછી લોકોને ખેતર માં લઈ જઈ શાંત પાડયા. અજ્ઞાન અને ભોળા ખેડુતો રાજાનાં વચન પર વિશ્વાસ રાખી વીખરાઈ ગયા, પણ રાજાનું વચન રાજા પાસે રહ્યું. આ બળવાથી ક્રોધે ભરાએલા અમીરેએ ખેડુતોને સખત સજા કરવાનો નિશ્ચય કર્યો. તેમના આગેવાનોને પકડી ફાંસી દેવામાં આવી, અને બીજા હજારે મનુષ્યની કતલ કરવામાં આવી. . રિચર્ડને કારોબાર જે અમીરને રિચર્ડ પોતાના વિરોધી માનતો, અથવા જેઓ તેની સ્વતંત્રતામાં આડે આવતા હતા, તેમને તેણે સજા કરવા માંડી. પાર્લમેન્ટને તે તેણે ગણકારીજ નહિ, અને લોકો ઉપર કેર વર્તાવવા માંડ્યો. પરિણામે રાજાને નાશ થવાનાં કારણે ઉભાં થયાં.
રિચર્ડના કાકાનો દીકરો હેનરી ઘણે લોકપ્રિય હતો. તે દેશમાં હોય તે આડે આવે, એમ જાણું રિચ તેને દેશપાર કર્યો. રિચર્ડના કાકે મરી ગયો, ત્યારે તેણે તેની જાગીરે જપ્ત કરી હતી, છતાં એ જાગીરે હેનરીને આપવાનું વચન આપ્યું હતું. એ જાગીરે લેવા માટે હેનરીને દેશમાં આવવાનું બહાનું મળ્યું. એવામાં રાજા આયર્લેન્ડ ગયો, તેનો લાભ લઈ હેનરી ઈંગ્લેન્ડ પાછો આવ્યો. સરદારો અને લોકો રિચર્ડના જુલમ અને બીનજવાબદાર અમલથી કંટાળ્યા હતા, એટલે હેનરીને મદદ મળતાં વાર લાગી નહિ. રાજાએ દેશમાં આવીને જોઈ લીધું, કે હવે તેનું કાંઈ વળે તેમ નથી, એટલે તેણે રાજ્યનો ત્યાગ કર્યો. તેને કિલ્લામાં પૂરવામાં આવ્યું, અને પાર્લમેન્ટ હેનરીને ગાદી આપી. બીજે વર્ષે કિલ્લામાં રિચર્ડનું ખૂન કરવામાં આવ્યું. કેટલાક માને છે, કે તે ભૂખમરાથી મરણ પામ્યો હતો.