________________
હત્યા થઈ. એકંદરે હેનરી ફાવ્યો નહિ; તેનાથી ધર્મખાતાની અદાલતે તૂટી નહિ.
નિષ્ફર અને બેવચની જëનના અત્યાચારથી ત્રાસેલા અંગ્રેજો અને નર્મને ભેદભાવ ભૂલીને એકત્ર થયા. ચતુર અને દીર્ધદષ્ટિવાળા અમીરે પ્રજાના આગેવાન બન્યા. તેમણે રાજાને કાયદા પ્રમાણે વર્તવાની ફરજ પાડવા માંડી. તેમણે પિતાના સંયુક્ત બળથી “મોટે પટ્ટો લખાવી લીધે, અને સમસ્ત પ્રજાના હક માટેની માગણી કરી. એક માગણી એવી હતી, કે રાજા મહાજનની સંમતિ વિના કર નાખી શકે નહિ; જો કે આ સમયે મહાજનમાં તે ધર્માધ્યક્ષો અને અમીરોજ બેસતા, અને પ્રજાના સામાન્ય માણસને બેસવાને હક ન હતો છતાં આ માગણીથી રાજા પાર્લમેન્ટની મંજુરી વિના કોઈ પણ પ્રકારને કર નાખી શકે નહિ એમ બન્યું. * પ્રજાપ્રતિનિધિસભાની ખરી સ્થાપના તો હેનરી ૩જાના સમયમાં થઈ. પરંતુ રાજા પરદેશી માનીતાઓને બોલાવતે, અને દેશનું દ્રવ્ય બરબાદ કરી મહાજન પાસે વધારે નાણાંની માગણી કરતા. સાઈમન ડી મેન્ટફ રાજ્યવહીવટમાં સુધારા કરવાની રાજાને ફરજ પાડી. તેણે પરગણામાંથી તેમજ દરેક નગરમાંથી બબ્બે લેકપ્રતિનિધિઓ લાવ્યા, એટલે ઈતિહાસમાં પહેલી જ વાર દેશના રાજ્યકારભારમાં સામાન્ય લોકોને ભાગ મળ્યો.
હાલની અંગ્રેજ પાર્લમેન્ટની ખરેખરી રચના તે વખતે થઈ. ગરાસીઆ (Knights) અને શહેરીઓની સભા તે આમની સભા બની, અને ઉમરાવો અને ધર્માધ્યક્ષોની સભા તે ઉમરાવોની સભા બની.
શરૂઆતમાં સભાના બે ભેદ ન હતા. પહેલાં તે બધા પ્રતિનિધિઓ એકજ મકાનમાં બેસતા. ઇ. સ. ૧૪૧૩માં બે સભાઓ જુદા મકાનમાં મળી, ત્યારથી “હાઉસ ઍવું લૈર્ડઝ”—અમીની સભા, અને “હાઉસ ઍવ કોમન્સ” –આમની સભા એવા બે વિભાગ પડયા, અને તે અદ્યાપિ પર્યત ચાલુ છે.
પરંતુ આ પ્રતિનિધિસભાનું સંપૂર્ણ પ્રજાકીય સ્વરૂપ તે એડવર્ડ ૧લાએ . સ. ૧૨૯૫માં “આદર્શ પાર્લમેન્ટ બેલાવી ત્યારે ઘડાયું હતું. એડવર્ડને લડાઈ માટે નાણાં જઈએ, પણ પાર્લમેન્ટની મંજુરી વિના નાણું કેણુ આપે ?
૧. કેન્ચ ધાતુ “Parler–બોલવું ઉપરથી પાર્લમેન્ટ' શબ્દ બન્યો છે.