________________
પ્રસ્તાવના
૪૧
જ હોય છે, વાચ્ય નહીં પરંતુ તેનું ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ હોવું અનિવાર્ય નથી. તે કચારેક સંલક્ષ્યક્રમ વ્યંગ્ય અર્થશકત્યુદ્ભવ ધ્વનિની દ્વારા પણ પ્રતીત થઈ શકે છે. પણ પછીના આચાર્યો રસાદિ ધ્વનિને અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય જ માને છે. સંલક્ષ્યક્રમના જેટલા ભેદ તેમણે કર્યા છે તે બધાં ઉદા. વસ્તુધ્વનિ યા અલંકાર ધ્વનિનાં જ આપ્યાં છે.
જ્યાં શબ્દ વ્યાપારની સહાયતાથી અર્થ, બીજા અર્થને અભિવ્યક્ત કરે છે તે અર્થશક્તિમૂલ સંલક્ષ્યમ વ્યંગ્યધ્વનિનો વિષય થતો નથી. ત્યાં ‘ગુણીભૂત’ બને છે.
“શબ્દાર્થશરત્યાક્ષિોઽવિ... ઈ.'' ધ્વ. ૨/૨૩ મુજબ ‘જ્યાં શબ્દશક્તિ, અર્થશક્તિ કે શબ્દાર્થોભય શક્તિથી આક્ષિસ હોવા છતાં વ્યંગ્ય અર્થને કવિ પુનઃ પોતાના વચન દ્વારા પ્રગટ કરી દે છે તે ધ્વનિથી ભિન્ન અન્ય શ્લેષ વગેરે અલંકાર જ છે.’’ અહીં ઉભય શક્તિભૂલ ત્રીજા ભેઠનું પ્રતિપાદન કરવામાં આવેલું છે.
ઉભયાતિમૂલધ્વનિ : ઉભયશક્તિમૂલધ્વનિ એવાં વાક્યોમાં હોય છે જ્યાં કેટલાંક પદો શ્લિષ્ટ હોય છે. તે પર્યાય પરિવૃત્ત્તસહ હોય છે. જ્યારે બીજાં પદો અર્થ દ્વારા વ્યંગ્યાર્થ આપે છે.
હેમચંદ્રાચાર્ય ઉભયશક્તિમૂલને જુદા પ્રકાર તરીકે ગણતા નથી. તેને શબ્દશક્તિમૂલ ધ્વનિમાં સમાવે છે.
આનંદવર્ધન, ‘‘પ્રૌઢોત્તિમાત્રનિષ્પન્નશી... ઈ. ધ્વ. ૨/૨૪” માં અર્થશક્તિમૂલ ધ્વનિના ત્રણ પ્રકારો દર્શાવે છે. પછી તેને ઉદા. સાથે સમજાવે છે. (i) સ્વતઃસંભવી (ii) કવિ પ્રૌઢોતિ નિષ્પન્ન (iii) કવિનિબન્ધ વકતૃ પ્રૌઢોક્તિ નિષ્પન્ન
મમ્મટ આ ત્રણે ભેદોને સ્વીકારી લે છે. પણ હેમચંદ્રાચાર્ય આવા પ્રકારોને સ્વીકારતા નથી. પં. જગન્નાથ ત્રણ ભેદોની ટીકા કરે છે પણ તેમાંથી સ્વતઃ સંભવીને સ્વીકારે છે.
જ્યાં અર્યશક્તિથી, વાચ્યાલંકારથી ભિન્ન બીજો અલંકાર પ્રતીયમાન હોય છે તે સંલક્ષ્યમવ્યંગ્યનો અર્યશક્તિમૂલ અલંકારધ્વનિ બને છે.
જ્યાં વાચ્યાલંકારભિન્ન બીજો અલંકાર અર્થસામર્થ્યથી વ્યંગ્યરૂપથી પ્રતીત થાય છે તે સંલક્ષ્યમવ્યંગ્યરૂપ અર્થશત્યુદ્ભવ ધ્વનિનો, અલંકારથી અલંકારભંગ્યરૂપ
બીજો ભેદ છે.
એવા અલંકાર ધ્વનિનાં, આનંદવર્ધને, ૧૧ ઉદા. આપ્યાં છે. રૂપક ધ્વનિ, આક્ષેપ ધ્વનિ ઉત્પ્રેક્ષા ધ્વનિ, શ્લેષધ્વનિ, યથાસંષ્યનિ, વ્યતિરેકધ્વનિ, અર્થાન્તરન્યાસધ્વનિ ઇત્યાદિ. આનંદવર્ધન અલંકાર ધ્વનિને પામતા અલંકારો સંબંધી લખે છે, “જે અલંકારોની વાચ્યાવસ્થામાં શરીરરૂપતા પ્રાપ્તિ પણ નિશ્ચિત નથી, તે અલંકારો વ્યંગ્યરૂપતાને પામીને પરાં છાયાં યાન્તિ । પરમ ચારુત્વને પામે છે.