________________
દવન્યાલોક બોલે છે. બન્ને એ કહેલા શ્લોકો કાવ્યાત્મક છે. મહાભારતમાં આવતો આ પ્રસંગ છે. ગીધ કહે છે
अलं स्थित्वा स्मशानेऽस्मिन् गृध्रगोमायु सङ्कले। कङ्कालबहले घोरे सर्वप्राणिभयङ्करे ॥ न चेह जीवितः कश्चित् कालधर्ममुपागतः। .
प्रियो वा यदि वा द्वेष्यः प्राणिनां गतिरीदृशी ॥ શિયાળ ડાઘુઓને કહે છે
आदित्योऽयं स्थितो मूढाः स्नेहं कुरुत साम्प्रतम् । बहुविघ्नो मुहूर्तोऽयं जीवेदपि कदाचन ॥ अमुं कनकवर्णाभं बालमप्राप्तयौवनम् ।
गृध्रवाक्यात् कथं मूढास्त्यजध्वमविशङ्किताः । પ્રથમ શ્લોકમાં ગીધનો અભિપ્રાય તથા દ્વિતીય શ્લોકમાં શિયાળનો અભિપ્રાય સંલક્ષ્યમવ્યંગ્યથી સમજાય છે. બંને પ્રસ્તુત એવા ‘શાંતરસરૂપી “અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ધ્વનિના વ્યંજક બને છે.
કારિકા-૧૬ અને વૃત્તિ
૧૬.૧ (i) વર્ણ, પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધ, આ પાંચને ઉદ્યોત૩ની કારિકા-રમાં, ‘અસંલક્ષ્યમવ્યંગ્યના વ્યંજક કહ્યા હતા. તે પાંચની વ્યાખ્યા કરી લીધા પછી પદાદિ પદાઘોત્ય ધ્વનિનું કેવળ એક ઉદાહરણ ત્રડાયાન્નતનયા.. (કા-૫) આપ્યું હતું. તેની વિશેષ વ્યાખ્યા ‘સુપ આદિની વ્યંજકતા બતાવીને લેખક આનંદવર્ધન આ કારિકા અને વૃત્તિમાં પૂરી ચર્ચા કરે છે.
| (i) અભિનવગુણે “સુ વગેરેથી અભિવ્યક્ત જે સંલક્ષ્યમવ્યંગ્ય’ વક્તાના અભિપ્રાયાદિરૂપ ધ્વનિ છે તેનાથી પણ ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય રસાદિ ધ્વનિ અભિવ્યક્ત થાય છે.” આમ કહીને આગલી કારિકા સાથે આ કારિકાની સંગતિ બેસાડી છે. આચાર્ય વિશ્વેશ્વર મુજબ “સુ વગેરેથી પણ ‘અલક્ષ્યમવ્યંગ્ય ઘોતિત થાય છે. આ અર્થ વધારે સીધો અને સારો છે.” તેઓ અભિનવગુપ્તની સમજુતીને દુરાકૃષ્ટ માને છે.
(i) “ચારો સ્વયમેવ છે... ઈ.’ આ શ્લોકમાં, કારિકામાં કહેલ બધાનું વ્યંજકત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. પોતાના વીરોને ધિક્કારી શત્રુની તુચ્છતા વગેરે સૂચિત કરતાં પોતાના સૈનિકોને ઉત્તેજિત કરવા માટે આ રાવણની ગર્વપૂર્ણ ઉક્તિ છે, જેનું દરેક પદ વ્યંગ્યથી પરિપૂર્ણ છે. "મારા ય શત્રુઓ છે' એમાં વિભક્તિ, સંબંધ અને વચન અભિવ્યંજક છે. “મારા પહેલા પુરુષ સર્વનામનું સંબંધ વિભક્તિ એકવચનનું રૂપ છે. વ્યંજના એવી છે કે મેં ઇંદ્ર, યમ વગેરે દેવોને