________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૬)
૩૮૧
હરાવ્યા છે. હું એકલો જગતને જીતી શકું તેવો છું. મારે કોઈ શત્રુ હોય એ જ નવાઈની વાત છે. ‘શત્રુઓ’ બહુવચનનો વ્યંગ્યાર્થ એ છે કે એક શત્રુ હોય એ જ નવાઈ ગણાય તો પછી અનેક શત્રુઓનું તો કહેવું જ શું ? ‘તાપસ’માં તન્દ્રિત અને નિપાત વ્યંજક છે. ‘‘તેઓ પણ’’ એમાં ‘પણ’ થી શત્રુની નિર્માલ્યતા સૂચવાય છે. ‘નિન્તિ’ માં ‘નિ’ ઉપસર્ગ છે. તેની વ્યંજના એવી છે કે નિઃશેષપણે, પૂરેપૂરો સંહાર કરે છે. ‘રાવણ પણ જીવી રહ્યો છે’, માં રાવણે પોતાને માટે ‘રાવણ’ શબ્દ વાપર્યો છે. તેનો ધ્વનિ ‘અજોડપરાક્રમી’ એવો છે. ‘સંહાર કરે છે’ અને ‘જીવે છે’ એ બે ક્રિયારૂપો પણ ભંજક છે. રાવણ જીવે છે છતાં તે સંહાર કરે છે, એ અસંભવિત વસ્તુ બની રહી છે. ‘અહો’ પણ વ્યંજક છે. ‘ધિક્ ધિક્ બે વાર છે. તે ધિક્કારની તીવ્રતા દર્શાવે છે. ‘શક્રજિત્’ એ સમાસ વ્યંજક છે. ‘મહામહેનતે કુંભકર્ણને જગાડયો તોય શું થયું ?’ -માં વ્યંજના છે. સ્વર્ગને ‘ગ્રામટિકા’ કહ્યું છે. ગ્રામનું અલ્પાર્થકરૂપ છે તે ક્ષુદ્રતા, તુચ્છતા સૂચવે છે. વિત્તુન માં ‘વિ’ ઉપસર્ગ ‘નિર્દયતાપૂર્વક રોળી નાખ્યું હતું.' એવો અર્થ આપે છે. આવું પરાક્રમ કરવાથી ભુજાઓ ફુલાય, એ સ્વાભાવિક છે પણ અહીં તેને વૃથા કહી છે. ‘ભુજાઓ’ વ્યંજક છે. રાવણને વીસ ભુજાઓ હતી. તે બધી અત્યારે નકામી, બોજારૂપ બની. લોચનમાં સરસ કહ્યું છે કે ‘‘તેને તિતશક્તિશોઽત્તિ વિમન્યમાનેડત્ર જોકે સર્વ વાશો ન્યાત્વન માતીતિ મિન્યત્ ।'’ આ શ્લોકના તલ તલ જેવડા ટુકડા કરીએ તો તે બધા ટુકડા વ્યંજકતાથી શોભે છે. શ્લોકનો શબ્દેશબ્દ અને કેટલાક અક્ષરો વ્યંજનામાં મદદરૂપ થાય છે.
(iv) અતિશ્રાન્તમુલા: જાના... ઈ. પ્રત્યુપસ્થિત-પ્રતિકૂળ રીતે આવેલ. આ શ્લોકમાં ‘અતિક્રાન્ત’ અને ‘પ્રત્યુપસ્થિત’માં ‘કૃત્’ પ્રત્યયો છે. ‘પાપીય’માં તષ્ઠિત છે. ‘ાતાઃ’ ‘કાલો’ બહુવચન છે. આ ત્રણે વ્યંજક છે. હવે તો પ્રતિકૂળ છે એવો અને જેમાંથી સુખ ચાલ્યું ગયું છે એવો કાળ આવ્યો છે. પૃથ્વી પર પાપી રાજા છે. પૃથ્વીનું યૌવન (સમૃદ્ધિ) ચાલી ગયેલ છે. આ બધાથી બોલનારનો નિર્વેદ જણાય છે.’ શાંતરસ વ્યંજિત થાય છે. ‘ગત યૌવન’ અહીં યૌવન જડ પૃથ્વીને લાગુ પડે નહીં તેથી વાચ્યાર્થને બદલે લક્ષ્યાર્થ ‘સમૃદ્ધિ’. એવો લેવો પડે છે. આમ કાળ અને સ્થળ જીવવાનું મન ન થાય એવાં થયાં છે. આ ‘અત્યંતતિરસ્કૃત વાચ્ય ધ્વનિ’ શાંતરસનું
અંગ છે.
(v) તાìઃ શિન્નવાય... ઈ. ઉત્તરમેધ શ્લોક-૧ ૬ પૂર્વાર્ધ આમ છે- તન્મધ્યે ચ ટિતા ાસની વાસટ્ટિઃ । મૂત્તે વદ્ધા મળિમિનતિપ્રૌઢવાપ્રજારોઃ || આ શ્લોકમાં તાણૈઃ (મૃ. બ. વ.) સૂચવે છે કે મારી પ્રિયા જુદી જુદી રીતે તાળીઓ પાડે છે, તે સંગીત, નૃત્ય વગેરેમાં નિપુણ છે. આમ આલંબન વિભાવના ગુણ સ્મરણ દ્વારા એ વ્યંજના વિપ્રલંભનું ઉદ્દીપન કરે છે. જેને તાલ (બ.વ.)નું જ્ઞાન છે એવી સ્ત્રીનો કાળ