________________
'૪૧ ૨
- વન્યાલોક કારિકા-૧૦ • પ્રકૃતિનંાતાનું ફુવા અહીં પ્રકૃતિ એટલે સાંખ્યદર્શન મુજબની પ્રકૃતિ છે.
કારિકા-૧૧ થી કારિકા-૧૪ અને વૃત્તિ (i) સંવાદ સમાન ઉક્તિઓ. સંવાઃ અન્ય સામ્ અર્થાત્ અન્યની સાથે સાદશ્યને સંવાદ કહે છે. કાવ્યો વચ્ચે સંવાદો તો ઘણા મળે છે તેમાંથી કયાં ખોટું કાવ્યતત્ત્વ છે અને ક્યાં નથી તેનો નિર્ણય કરવો જોઈએ.
(i) કાવ્યસામ્ય ત્રણ પ્રકારનું હોય છે. પ્રતિબિંબ જેવાં કાવ્ય હોય, આલેખ્યચિત્ર-જેવાં કાવ્ય હોય અને સરખા દેહી જેવાં કાવ્ય હોય. કેટલાંક કાવ્યોમાં મૂળ અન્ય કાવ્યનું પ્રતિબિંબ માત્ર હોય. મૂળ કાવ્યના શબ્દોના પર્યાયો તેમાં જોવા મળે. તેમાં કવિની પ્રતિભાની કોઈ ઝલક હોતી નથી. તે ચમત્કૃતિ વગરનાં જ કહેવાય.
બીજાં કેટલાંક કાવ્ય ચિત્ર જેવાં હોય છે. મૂળ કાવ્યોના શબ્દોના પર્યાયો હોય તેમજ મૂળની વાક્યરચનામાં થોડાક ફેરફારો કર્યા હોય. ચિત્ર, જીવ વગરનું હોય, ભલે મૂળ પદાર્થ સરખું હોય તો પણ નિર્જીવ હોય છે. તેમ આવાં કાવ્યો મૂળથી ભિન્ન જીવવાળાં હોતાં નથી. તેથી તુચ્છ છે.
ત્રીજા પ્રકારના કાવ્યસંવાદો સ્વીકાર્ય છે. જૂના કોઈ શ્લોક પ્રમાણે, કાવ્ય પ્રમાણે તેનો ભાવ હોય છે. વિષય અગાઉના કોઈક શ્લોક પ્રમાણેનો હોય છે. પણ ભિન્ન સ્વરૂપ નવો આત્મા હોય. આથી તેમાં મૂળના સૌદર્યથી ભિન્ન સૌર્ય હોય. વિષય સમાન હોવા છતાં નવા કાવ્યમાં- શ્લોકમાં વ્યંજના હોવાથી, ધ્વનિનો કોઈને કોઈ પ્રકાર તેમાં હોવાથી, કાવ્યનું સૌદર્ય હોય છે.
| (ii) આનંદવર્ધનની પછી થઈ ગયેલા પ્રસિદ્ધ આલંકારિક રાજશેખરે . “કાવ્યમીમાંસા અધ્યાય-૧૧માં ‘શબ્દહરણ’, અ-૧૨માં “શબ્દાર્થહરણ” અ૧૩માં ‘અર્થહરણ'ના આલેખ્ય-પ્રખ્ય વગેરે ભેદો, વિસ્તારથી લક્ષણો અને ઉદાહરણો આપી સમજાવ્યા છે. અ-૧રમાં આનંદવર્ધને આપેલા, (૧) પ્રતિબિંબવત્ (૨) આલેખ્યાકારવત્ (૩) તુલ્ય દેહિવત્ પ્રકારોની રાજશેખરે (સમય ઈ. સ. ૮૮૦ થી ૯૨૦ લગભગ) (સી. ડી. દલાલ અને ૫ આર. એ. શાસ્ત્રીની ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ, વડોદરાની ૧૯૩૪ની આવૃત્તિ પ્રસ્તાવના પૃ. ૧૨,૧૩ મુજબ) આ પ્રમાણે સમજાવેલ છે. (8) મર્થઃ સ વ સ વાયા-તર વિના પરં યાત્રા
તદુપરમાર્થ વિમેવં ચં સિવિશ્વ શાત્ = જેમાં બધા અર્થો જૂના કવિના હોય, પરંતુ વાક્ય રચના બીજા પ્રકારની હોય, અને પારમાર્થિક ભેદ ન હોય, તે કાવ્યને પ્રતિબિંબકલ્પ કહે છે. - (૨) વિતાડ યત્ર સંસ્કાર્ય વસ્તુ મિત્રવત્ મારિ |
तत्कथितमर्थचतुरैरालेख्यप्रख्यमिति काव्यम् ॥