Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 385
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૧૬) એવો ભાવ સૂચવે છે. વ્યાકરણશાસ્ત્ર મુજબ નિપાત અર્થના વાચક નહીં પણ ઘાતક હોય છે. નિપાતોનો સ્વતંત્ર પ્રયોગ નથી થતો. આ રીતે ઘાતકત્વ પ્રસિદ્ધ હોવા છતાં પણ તે કેવળ અર્થ પ્રત્યે વિવક્ષિત છે. એથી અહીં વિશેષરૂપથી રસો પ્રત્યે ઘોતકત્વનું પ્રતિપાદન કર્યું છે. ૧૭.૩ (i) નીવાર ગુજાર્ય. ઈઅહીં નિધા માં પ્ર ઉપસર્ગ પ્રકર્ષને સૂચિત કરતો ઇંગુદીફળોની સરસતાનો ઘાતક હોઈ આશ્રમના સૌંદર્યાતિશયને વ્યક્ત કરે છે. ‘અભિજ્ઞાનશાકુંતલ' (૧/૧૪)માં રાજાની આ ઉક્તિ છે. (i) દિત્રાણાં રોપાનું... ઈ. લોચનકાર મુજબ અહીં એ સૂચિત છે કે બે ત્રણથી વધુ ઉપસર્ગો એક સાથ ન વાપરવા. (ii) pપ્રત્યુત્તરીય,. ઈ. “મયૂરના “સૂર્યશતક' માંથી આ લેવામાં આવેલ છે. સમુદીક્ષ્ય'-સમ+ડતુ+વિ એમ ત્રણ ઉપસર્ગો છે. તે પ્રસ્તુત રસને ઉપકારક છે. સૂર્યું આવરણ વગરનાં થઈ ગયેલાં જંતુઓ પ્રત્યે સમ- સારી રીતે, ૩- ઊંચા થઈને, વિ= વિશેષરૂપે જોયું.’ એમાં સૂર્યની જંતુઓ પ્રત્યેની કૃપાની અધિક્તા વ્યંજિત થાય છે. (iv) મનુષ્યવૃન્ય સમુપાવરન્તન્... વગેરે- અહીં સમુપાવરન્તમાંસમ+૩+માં ત્રણ ઉપસર્ગો વાપરેલા છે. ઈશ્વર લોકકલ્યાણ માટે ગુપ્તરૂપે ચારે બાજુ સારી રીતે વિચરે છે, એટલે કોઈ એને સમજી શકતું નથી' – એવો અર્થ છે. ત્રણે ઉપસર્ગોનો પ્રયોગ ભગવાનના લોકોનો અનુગ્રહ કરવાની ઈચ્છાના અતિશયનો અભિવ્યંજક છે. (v) નીતિ ન માન્તિ... ઈ. અહીં “ ધિ' આ બે નિપાતથી ગુણવાનોની અભિવૃદ્ધિથી પ્રસન્નતા અનુભવ કરનારા મહાપુરુષોની અતિશય શ્લાઘા-પ્રશંસાઅને દેવની અસમસ્યકારિતાને કારણે નિર્વેદની અતિશયતા ધ્વનિત થાય છે. | (vi) પદ્ વેશ્ચનાહિત... અહીં પહેલાં જ ર વિન્તિ’ ‘નથી સમજતો એમ નથી” અર્થાત્ જાણે છે એ, બે, “નકાર’ની વક્રોક્તિથી સૂચવાયું છે. અહીં નર વિનિ ની વક્રોક્તિ અને એનાથી પ્રાપ્ત “વિન્તિ' પદની પુનરુક્તિ તેના જ્ઞાનાતિશયને વ્યક્ત કરે છે. લોચનકાર “પદની પુનરુક્તિ’ કહી છે તેમાં વાક્યની પુનરુક્તિ પણ સમાઈ જાય છે એમ કહી ઉદાહરણો આપે છે, “વેણીસંહાર માં વસ્યા મતિ મયિ નીતિ ધાર્તરાષ્ટ્ર વાક્યની પુનરુક્તિ, ‘રત્નાવલીમાં પાચ ... ઈ. શ્લોકની પુનરુતિ વગેરે તેનાં ઉદાહરણો છે. ૧૨.૪ (i) સમવિષમનિર્વિશેષ... ઈ. આ ગાળામાં પ્રવાસવિપ્રલંભ સૂચવાયેલ છે. પ્રવાસે જતા પતિને નાયિકા કહે છે “હમણાં જ વરસાદ આવશે” આમ વર્ષા ઋતુ આવશે એમ કહેવાથી “માટે તું ન જા, વિરહ સહેવો બહુ મુશ્કેલ પડશે વગેરે સમજાય છે. વરસાદ આવશે એવો ભવિષ્યકાળનો અર્થ જ વ્યંજક છે.

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428