________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૩૬,૩૭) તેના આઠ ભેદ માનવામાં આવ્યા છે. (૧) ઈતરાંગ વ્યંગ્ય (૨) કાકુથી આક્ષિણ વ્યંગ્ય (૩) વાચ્ય સિદ્ધિનું અંગભૂત વ્યંગ્ય (૪) સંદિગ્ધપ્રાધાન્ય વ્યંગ્ય (૫) તુલ્યપ્રાધાન્ય વ્યંગ્ય (૬) અખુટવ્યંગ્ય (૭) અગૂઢવ્યંગ્ય અને (૮) અસુંદર વ્યંગ્ય.
(i) તાવળ્યસિધુ... ઈ. નદીને કિનારે સ્નાન માટે આવેલી કોઈક યુવતીને જોઈને કોઈ રસિકની આ ઉક્તિ છે. અહીં યુવતીનું નદીરૂપમાં વર્ણન છે. અહીં સિંધુ શબ્દથી પરિપૂર્ણતા, ઉત્પલ શબ્દથી કટાક્ષની છટા, ચંદ્ર શબ્દથી મુખ, હાથીનાં ગંડસ્થળથી સ્તનયુગલ, કેળનાં થડથી બંને સાથળ અને ભુજાઓ સૂચવાય છે. આ શબ્દોનો મુખ્યાર્થ અહીં સર્વથા અનુપપન્ન હોવાથી, “નિશ્વારા વાલશ્ચન્દ્રમાં ન પ્રકાશ” ઈ. ઉદાહરણની જેમ તેનો તિરસ્કાર થઈ જવાથી, તે વ્યંગ્ય અર્થ પ્રકાશિત કરે છે. તેથી “અત્યન્ત તિરસ્કૃતવાચ્યધ્વનિ’ છે. પણ તેનો આ શ્લોકમાં વાચ્ય અંશની શોભાવૃદ્ધિમાં જ ઉપયોગ થાય છે. તેથી ગુણીભૂતવ્યંગ્ય’નું આ ઉદા. છે. | (ii) સંવત #ારે-આધારિ...વિવન... ઈ. ‘રસવત્' વગેરેની ચર્ચા અગાઉ આવી ગઈ છે. “રસવ વગેરે અલંકારો “ગુણીભૂતવ્યંગ્ય’નાં જ દષ્ટાંતો થશે, ધ્વનિ’નાં નહીં.
આધિકારિક વાક્ય મુખ્યવાક્ય. અહીં આ શબ્દ આધિકારિક વૃત્ત માટે નથી તેથી આચાર્ય વિશ્વેશ્વરે દશરૂપનું આધિકારિકવૃત્તનું લક્ષણ ઉધૂત કરેલ છે તે અપ્રસ્તુત છે. જેનાં લગ્ન થતાં હોય તે વરરાજા, નોકર હોય તોય, તેના વરઘોડામાં શેઠ કે રાજા આવ્યા હોય તો પણ વરરાજા જ મુખ્ય ગણાય છે.
(iv) યાત#રચ ગુમાવે રીપતિવિષયઃ | અલંકારોમાં પણ અલંકારનો ધ્વનિ પ્રધાન હોય ત્યારે ‘અલંકાર ધ્વનિ હોય છે. પણ અલંકારમાંથી બીજો અર્થ ગમ્ય હોય-સૂચવાયો હોય-પણ જો એ વાચ્યાર્થથી ગૌણ હોય તો “દીપક' વગેરે વાચ્યઅલંકાર સમજવો જોઈએ. પ્રસ્તુત અને અપ્રસ્તુત પદાર્થોમાં એક ધર્મનો સંબંધ થાય ત્યારે દીપક અલંકાર બને છે.
કારિકા-૩૬ અને વૃત્તિ સરિતા... ઈ. અલંકારરહિત ગુણીભૂતવ્યંગ્ય’નું આ ઉદા. છે. સમુદ્રના કુટુંબીઓની યાદી આપી છે. સમુદ્રનું ત્રિભુવન પ્રભુત્વ વ્યંગ્ય છે. પણ એ વ્યંગ્યાર્થ આશ્ચર્યકારક “અહો’ શબ્દથી ગુણીભૂત થઈ જાય છે.
કારિકા-૩૭ અને વૃત્તિ (i) વોન તિઃ | એકદેશીય રીતે. (૧) અભિનવ અને ડૉ. રામસાગર ત્રિપાઠી- એકદેશવિવર્તિરૂપકથી. (૨) આચાર્ય વિશ્વેશ્વર-સ્વાલી મુલાકન્યાયથી. (તપેલીમાં ચોખા ચઢી જઈ