________________
- દવન્યાલોક દ્વારા આલંબન વિભાવ, શૂન્ચ વાઉં. ઈ. દ્વારા ઉદ્દીપન વિભાવ, લજ્જા વગેરે વ્યભિચારિભાવ, બંને એ શરૂ કરેલ પરિચુંબન અનુભાવ છે. આમ શૃંગારરસ નિષ્પન્ન થાય છે પણ લજ્જા વ્યભિચારિભાવમાં સ્વશબ્દવાચ્યત્વ તથા ‘નિર્વર્ય પદમાં શ્રુતિદુત્વ વગેરે દોષો હોવાથી રસનો અપકર્ષ થાય છે.
એની અપેક્ષાએ એ જ અર્થનો નવો શ્લોક નિદ્રાવિન વગેરે માં બન્નેની પરસ્પર ચુંબન કરવાની સતત અભિલાખથી સૂચવાતી રતિ, બંનેથી સમાનાકાર ચિત્તવૃત્તિને પ્રકાશિત કરતી અદ્ભુત રીતે પરિપોષને પ્રાપ્ત કરી આસ્વાદનો વિષય બને છે. એ રસાસ્વાદમાં કોઈ દોષ રૂપ બાબત જોવા મળતી નથી અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિને લીધે તેમાં નવીનતા અને અપૂર્વતા જોવા મળે છે. કારિકા-૩ અને વૃત્તિ
મતથાસ્થિતાનપિ... ઈ. લોચનકાર કહે છે - હૃ= સમસ્તભાવરૂપી સુવર્ણ કસવાનો કસોટી (પથ્થર) જેવું સ્થાન. નિવેશથતિ- જેને જેને હૃદય છે તેને તેને અચળ રીતે તેમાં સ્થાપે છે. એથી જ તે અર્થવિશેષો પ્રસિદ્ધ અર્થોથી જુદા છે. સી जयति-परिच्छिन्न शक्तिभ्यः प्रजापतिभ्यः अपि उत्कर्षेण वर्तते । तत्प्रसादात् एव कविगोचरः वर्णनीयः अर्थः विकटः निस्सीमा सम्पद्यते ।
કારિકા-૪ અને વૃત્તિ: સુંદર કારિકા છે. ધ્વન્યા. અભ્યાસ નોંધ ૪/૨ (i) માં જણાવેલ છે એ વિચાર ધારદાર રીતે અહીં નિરૂપ્યો છે.
(i) ઘીધારણાય. ઈ. નવું કાવ્ય છે. શેષો હિમff... ઈ. જૂનું કાવ્ય છે. નવા કાવ્યમાં “ શ્લેષ’ની મદદથી એટલે કે શબ્દશક્તિથી વ્યંગ્યાર્થ બહાર આવે છે તેથી શોભા છે.. ‘શેષ’નો એક અર્થ શેષનાગ, બીજો અર્થ “બાકી'. શેષનાગની સાથે રાજાની ઉપમા “શબ્દશત્યુદ્ભવ અલંકારધ્વનિ'રૂપમાં વ્યંગ્ય છે. તેથી પ્રાચીન
શ્લોકની અપેક્ષા એ નવીન પ્રતીત થાય છે. - જૂનો શ્લોક-નવો બ્લોક-એમ કહેવાથી, શ્રી ડોલરરાય માંકડ યોગ્ય રીતે ધ્યાન દોરે છે કે “બધી જગ્યાએ જૂના નવાથી સમયાનુક્રમ સમજવાની જરૂર લાગતી નથી. એક જ વિષયના બે શ્લોક છે, છતાં એમાં બીજાના જેવું જ અથવા વધુ સૌદર્ય હોય છે એમ જ વક્તવ્ય લાગે છે.” (પૃ. ૩૨૫)
(i) અભિનવગુપ્ત “લોચન'માં આ કારિકાને “સંગ્રહશ્લોકતરીકે મૂકે છે, કારિકા તરીકે નહીં. વૃત્તિકારે આ કારિકાની વ્યાખ્યા આપી નથી. ‘લોચનને અનુસરીને આચાર્ય જગન્નાથ પાઠક લખે છે.-'કારિકાઓમાં કારિકાકારે ધ્વનિના કારણ પ્રતિભા અને કવિની વાણીના આનન્ચનો નિર્દેશ કર્યો હતો. પણ અર્થના આનના સંબંધમાં કારિકાકારનો નિર્દેશ નથી, એ વૃત્તિકારે ૩/૩ની કારિકાના વ્યાખ્યાનમાં કહ્યું છે. આગળની કારિકા ૩/૪ જ્યારે અર્થના અનન્ય સંબંધી નિર્દેશ કરે છે તે સંગત પ્રતીત થતી નથી. પાછલી કારિકાઓમાં, જ્યાં પ્રતિભા અને