________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૮,૧૯)
૩૮૫
ન
અભીપ્સિત રસમાં વિરોધી રસનો લેશમાત્ર પણ સમાવેરા ન થઈ જાય. જો તે આ ધ્યાન નહીં રાખે તો તેનું એક પદ્ય પણ રસમય નહીં થઈ શકે.’
ડૉ. રામસાગર ત્રિપાઠી. (પૃ. ૧૭૩). કારિકા-૧૮ અને ૧૯ : (i) રસના પાંચ પ્રકારના વિરોધીને, આ બે કારિકાનાં પાંચ વાક્યોમાં, દર્શાવવામાં આવ્યા છે.
(ii) વિરોધી રસો અને તેમને અંગેની વ્યવસ્થા ‘સાહિત્ય દર્પણ”ને આધારે શ્રી નગીનદાસ પારેખે આ પ્રમાણે આપી છે. (પૃ. ૨૧૩) ‘‘(૧) શૃંગારના વિરોધી રસો-કરુણ, બીભત્સ, રૌદ્ર, વીર અને ભયાનક,
(૨) હાસ્યના વિરોધીરસો-ભયાનક અને કરુણ. (૩) કરુણના વિરોધી- હાસ્ય અને શૃંગાર. (૪) રૌદ્રના વિરોધી- હાસ્ય, શૃંગાર, ભયાનક. (૫) વીરના વિરોધી-ભયાનક અને શાંત.
(૬) ભયાનકના વિરોધી-શૃંગાર, વીર, રૌદ્ર અને હાસ્ય. (૭) બીભત્સનો વિરોધી- શૃંગાર.
(૮) શાંતના વિરોધી-વીર, શૃંગાર, રૌદ્ર, હાસ્ય અને ભયાનક.
રસોમાં વિરોધ ત્રણ રીતે- (૧) આલંબન એક હોવાથી (૨) આશ્રય એક હોવાથી (૩) એક રસ પછી તરત જ બીજા રસનું નિરૂપણ હોવાથી (નિરંતરતાથી) થાય છે.
વીર અને શૃંગારનો; હાસ્ય, રૌદ્ર અને બીભત્સની સાથે સંભોગ શૃંગારનો; અને વીર, કરુણ તથા રૌદ્રાદિની સાથે વિપ્રલંભ શૃંગારનો વિરોધ આલંબન એકચથી જ થાય છે.
આશ્રય ઐશ્ર્ચયી વીર અને ભયાનકનો તથા નૈરન્તર્ય તથા વિભાવ એકચથી શાંત અને શૃંગારનો વિરોધ થાય છે.
(ii) વિòધિસમાનપરિપ્રો અહીં ‘ભાવ’ શબ્દથી વ્યભિચારિભાવનું ગ્રહણ કરવાનું છે, સ્થાયિભાવનું નહીં. અગાઉના સ્થાયિભાવનો વિચ્છેદ થયા વિના વિરોધી સ્થાયિભાવનો ઉદય સંભવિત નથી. તેથી ‘ભાવ’ શબ્દ સામાન્ય વાચક હોવા છતાં પણ અહીં વ્યભિચારિભાવના અર્થમાં સમજવો જોઈએ.
(iv) પ્રાયપિતાપુ ામિનીજી... ઈ. અભિનવગુપ્તે પ્રસારે નર્તત્વ પ્રય મુવં સત્ત્વજ્ઞ વં... ઈ. શ્લોક ઉદાહરણ રૂપે આપ્યો છે. અર્થાત્, “પ્રસન્ન રહે, આનંદ પ્રગટ કર, રોષ છોડી દે; હે પ્રિયે, મારાં સુકાતાં અંગો ઉપર તારાં વચનરૂપી અમૃતનું સિંચન કર; સર્વ સુખના ધામરૂપ તારા મુખને જરા મારા તરફ ફેરવ. હે મુગ્ધ, કાલ રૂપી હરણ એક વાર ચાલ્યું ગયું એટલે તે પાછું આવી શકતું નથી.'' અહીં છેલ્લી