Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 366
________________ ધ્વન્યાલોક ‘શબ્દશક્તિમૂલ’ના વસ્તુ તથા અલંકારરૂપ બે ભેદ, ‘ઉભય શક્તિમૂલ’નો એક અને ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’નો એક મળીને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ના ૧૬ ભેદ અને ‘અવિવક્ષિતવાચ્યધ્વનિ’ના ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ અને ‘અત્યંત તિરસ્કૃતવાચ્ય’ ભેડ ફુલ ધ્વનિના ૧૮ ભેદ થયા. કારિકા-૩૧ તથા વૃત્તિ : (i) પ્રમ્લિષ્ટત્તેન માનતે । (૧) શ્રી નગીનદાસ પારેખ તથા આચાર્ય વિશ્વેશ્વરઅસ્કુટરૂપે પ્રતીત થતો હોય. (૨) શ્રી ડોલરરાય માંકડ-ક્લિષ્ટત્વ થકી આવતો હોય (૩) ડૉ. રામસાગર ત્રિપાઠી-મલિનતાની સાથે ભાસિત હોય. (ii) મતારા 7 મહિના... ઈ. ધ્વનિ સ્ફુટ હોય છતાં વાચ્યાર્થ એના ઉપર અવલંબિત હોય એવી સ્થિતિનું દૃષ્ટાન્ત આ શ્લોક છે. અહીં વર્ણન છે તે મુજબ તળાવનું પાણી શાન્તિ અને વિસ્મય નામે વિભાવરૂપે વ્યક્ત થાય છે, તેથી તે વાચ્ય જ છે. એમાં વ્યંગ્ય અર્થ એટલો છે કે ‘હું સવારે તળાવે ગઈ હતી.' પણ વાચ્યાર્થ એના ઉપર અવલંબે છે. તેથી અહીં ધ્વનિ નથી એમ ગણવાનું છે. ૩૬૪ = (iii) વાનીજ્જો... ઈ. જ્યાં કાવ્યની ચમત્કૃતિ વાચ્યાર્થને લીધે હોય ત્યાં વ્યંગ્યાર્થ સ્પષ્ટ હોય તો પણ ધ્વનિ ન ગણવો એ સમજાવવા માટે આ ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ શ્લોકમાં ‘‘વેતસલતાકુંજમાં પોતાના પ્રિય સાથે મળવાનો સંકેત હતો, પણ પોતે જઈ શકી નહીં અને પ્રિય ત્યાં ગયો છે’’ એ વ્યંગ્યાર્થ છે. ‘પંખીઓનો કોલાહલ સાંભળી એનાં ગાત્રો તૂટે છે.’ એ વાચ્યાર્થ છે. અહીં વ્યંગ્યાર્થ વાચ્યાર્થને પોષે છે તેથી ધ્વનિ નથી. (iv) ૩ત્ત્રિનુ પતિત ઝુનુમ... ઈ. કોઈ નાયિકા પારિજાતની કુંજમાં પોતાના પ્રેમી સાથે રમણ કરે છે. તેનાં કંકણનો અવાજ બહાર સંભળાય છે. એ સાંભળીને નાયિકાની સખી તેને ચેતવવા આ શ્લોક બોલે છે. સખીનું આ વચન વિવિધ શ્રોતાઓ માટે ભિન્ન ભિન્ન વ્યંગ્યાર્થ આપે છે. (૧) નાયિકા માટે-તારે જોઈ વિચારીને કામ કરવું જોઈએ. (૨) પ્રેમી માટે- તારે સાવચેતી રાખવી જોઈએ, ઘરેણાંનો અવાજ ન થવા દેવો જોઈએ, પકડાઈ જવાય. (૩) સામાન્ય વ્યક્તિઓ માટે-આ તો નાયિકા ફૂલ પાડવા પારિજાત વૃક્ષ હલાવે છે તેથી કંકણ ખખડે છે, બીજું કશું નથી. (૪) સસરા માટે- મેં સખીને ચેતવી છે એટલે હવે પારિજાતને નહીં હલાવે, તથા પુષ્પ સમૃદ્ધિ ઓછી નહીં કરે તેથી ગુસ્સે ન થશો. (૫) સખીઓ માટે- સખીનું વર્તન છાવરવા મે કેવી યુક્તિ કરી, જોયું ને. આ શ્લોકમાં વ્યંગ્યાર્થથી પ્રાપ્ત થતું જ્ઞાન, વાચ્યાર્થની પૂર્તિ માટે જરૂરી છે. કારિકા-૩૨ અને ૩૩ તથા વૃત્તિ : અવ્યુત્પત્તિને કારણે એટલે કે અનુપ્રાસાદિ સાધવા માટે જ્યાં લાક્ષણિક શબ્દો વાપર્યા હોય. અશક્તિ એટલે

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428