Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 370
________________ વન્યાલોક નિર્ણયસાગર આવૃત્તિના અલંકારશખર' (પૃ. ૧૩૭) માં રત્નાકરવિરચિત ‘હરિવિજય’ની નોંધ છે.' રત્નાકરના મહાકાવ્યનું નામ હરવિજ્ય વધુ જાણીતું છે. આચાર્ય વિશ્વેશ્વર, નગીનદાસ પારેખ વગેરે હરિવિજય’ના કર્તા તરીકે પ્રવરસેન'નો ઉલ્લેખ કરે છે. (iv) “અર્ધશક્તિમૂલ ધ્વનિ’નાં ‘સ્વતઃ સંભવી', “કવિપ્રોઢોક્તિસિદ્ધ અને “કવિનિબદ્ધ- પ્રૌઢોક્તિસિદ્ધ એમ ત્રણ ભેદ પૈકી આનંદવર્ધને કવિનિબદ્ધ પ્રૌઢોક્તિ સિદ્ધને કવિપ્રૌઢોક્તિસિદ્ધમાં સમાવિષ્ટ કરેલ છે તેથી તેનાં જુદાં ઉદાહરણ આપ્યાં નથી. ચૂતકુમાવતાં... ઈ. શ્લોક પદપ્રકાશતાનું ઉદાહરણ છે. | (y) વાળની સ્તિન્તા. ઈ. આ શ્લોકમાં સુનિતા કુલી’ શબ્દ સૂચકવ્યંજક છે. એનાથી એ ઘણી મગરૂર અને પતિને હાથમાં રાખનારી છે એમ વ્યંગ્યાર્થ સમજાય છે. એને વશ રહેતો પતિ શિકાર માટે પણ જતો નથી. એમ બીજો અર્થ મળે છે, જે પહેલા વ્યંગ્યાર્થથી સૂચવાયો છે. આ સ્વતઃ સંભવી'નું ઉદાહરણ છે. (i) ઉપિષ્ટપૂર.... છે. અહીં કોઈ શબ્દ નહીં પણ આખું વાક્ય જ વ્યંજક છે. ૧.૪ (i) નનું ધ્વનિ....વાવરુત્વાન્ ! આ વાક્યોમાં પૂર્વપક્ષ છે. શંકા એવી કરવામાં આવી છે કે તમે (ઉત્તરપક્ષ યાને સિદ્ધાંત પક્ષવાળા-આનંદવર્ધન) આખા કાવ્યને ધ્વનિ કહ્યું છે. હવે કહો છો કે ધ્વનિ પદમાંથી પણ પ્રકાશિત થાય છે. પણ શબ્દ તો માત્ર અર્થનું સ્મરણ કરાવે છે, તેનો વાચક હોતો નથી, અર્થ જણાવતો નથી. અર્થ આખા વાક્ય દ્વારા સમજાય છે. અલગ પદો- અને તેમાં રહેલ અલગ વર્ણો- અર્થબોધ કરાવી શકતા નથી. (i) તે ચારેક...વસ્થાના આ વાક્ય ઉત્તરપક્ષનું છે. શંકાનું સમાધાન કરવામાં આવ્યું છે. પદ અર્થનો બોધ કરાવતાં નથી, અવાચક હોય છે એ ખરું છે. પણ ધ્વનિને વાચકત્વ સાથે નહીં પણ વ્યંજકત્વ સાથે જ સંબંધ છે. એટલે શબ્દ વાચક ન હોય તો પણ વ્યંજક હોઈ શકે છે. વાચકત્વ પોતે જ ધ્વનિ પરત્વે વ્યંજત્વમાં ગોઠવાય છે. (ii) રિઝ વ્યિાનાં વિભિવ... વિરોધી જેમ શરીરધારીનું સૌદર્ય નાક, કાન વગેરે વ્યક્તિગત અવયવો ઉપર આધાર રાખતું નથી પણ અવયવસમૂહ પર આધાર રાખે છે, તેમ કાવ્યનું સૌદર્ય પણ. વ્યક્તિગત શબ્દ પર નહીં પણ શબ્દાર્થ- સમૂહ ઉપર આધાર રાખે છે. પણ વ્યવહાર દષ્ટિએ એ સૌંદર્ય જુદાજુદા અવયવમાં રહ્યું છે એમ કહીએ છીએ. જ્યાં ચારુત્વ ભર્યા શબ્દો ન હોય, ત્યાં કાવ્યસૌદર્ય ન હોય એમ “વ્યતિરેક વ્યાપ્તિ થી તેમજ જ્યાં ચારુત્વભર્યા શબ્દો હોય ત્યાં કાવ્યસૌંદર્ય પણ હોય એમ અન્વય વ્યાપ્તિથી આપણે આ બાબત સમજી શકીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428