________________
૩૭૫
અભ્યાસ નોધ (ઉ. ૩/૭)
(ii) થવ્યકાવ્યના પ્રબંધકાવ્ય’ અને ‘મુક્તક તથા પ્રબંધ કાવ્યના “મહાકાવ્ય અને “ખંડકાવ્ય” એમ ભેદ કરવામાં આવે છે. પ્રબંધકાવ્ય અને મુક્તકભેદ, બંધ યા રચનાને કારણે છે. “મહાકાવ્ય’ અને ‘ખંડકાવ્ય” ભેદ વિષયને આધારે છે. પૂર્વાપરનિરક્ષેગાપિ હિ યેન સર્વના ચિતે તમ્મુ એવું મુક્તકનું લક્ષણ આપવામાં આવ્યું છે. મુક્તક એ કાવ્યનો નાનામાં નાનો પ્રકાર છે. તે એક જ શ્લોકનું હોય છે.
‘સદાનિતક બે શ્લોકનું, ‘વિશેષક ત્રણ શ્લોકનું, ‘કલાપક ચાર શ્લોકનું ‘કુલ પાંચ કે વધુ શ્લોકનું હોય છે.
‘પર્યાય બંધ’માં વસંત વગેરે કોઈ ઋતુનું વર્ણન હોય છે. ચાર પૈકી કોઈ એક પુરુષાર્થ લઈને અનેક વૃત્તાંત વર્ણવતી કથા ‘પરિકથા’ કહેવાય છે. “ખંડકથામાં કોઈ મોટી કથાના એક ખંડનું વર્ણન હોય છે. જેમાં અનેક વૃત્તાંત તેના ફળ સુધી વર્ણવ્યાં હોય તે ‘સકલક્યા કહેવાય છે. ‘સર્ગબંધ’ એટલે મહાકાવ્ય. ‘અભિનેયાર્થ’ માં દસ પ્રકારનાં રૂપક-નાટક, પ્રકરણ, ભાણ વગેરે મનાય છે. “આખ્યાયિકા’ ઉચ્છવાસમાં વિભક્ત ગદ્યકાવ્ય” છે. ઉગ્લાસ સિવાયનું ‘ગદ્યકાવ્ય” તે ‘ક્યા છે. ‘ત્યેવમવિય’ એમ વગેરેથી ચંપૂ - ગદ્ય-પથનું મિશ્રણ હોય છે,’ નો નિર્દેશ લાગે છે.
(i) મુકુ પ્રષ્યિવ... ઈ. અભિનવગુણે લોચનમાં અમરક કવિનો એક શ્લોક ઉદ્ધત કર્યો છે.
कथमपि कृतप्रत्यापत्तौ प्रिये स्खलितोत्तरे विरहकृशया कृत्वा व्याजप्रकल्पितमश्रुतम् । असहनसखीश्रोत्रप्राप्तिं विशङ्ग्य ससंभ्रमं ।
विवलितदृशा शून्ये गेहे समुच्छ्वसितं ततः ॥ અર્થાત્ કોઈપણ રીતે પ્રિય પાછો આવ્યો, જવાબ આપતાં સ્કૂલન થયું ત્યારે વિરહકૃશ નાયિકાએ ન સાંભળવાનો ઢોંગ કરી, અસહિષ્ણુ સખી સાંભળી નથી ગઈને એવી શંકાથી શૂન્ય ઘરમાં નજર ફેરવી પછી ઊંડો શ્વાસ લીધો.” -
આ ઉદા.માં નાયક આલંબન વિભાવ છે. પાછા આવવું, જવાબ આપવામાં ભૂલ થવી તે ઉદ્દીપન વિભાવ છે. ન સાંભળ્યાનો દેખાવ કરવો, ચારે બાજુ નજર ફેરવવી, ઊંડો શ્વાસ લેવો એ અનુભાવો છે. ગ્લાનિ, શંકા, ત્રાસ, વિતર્ક, કેન્ય વ્યભિચારિભાવો છે. એ સૌથી પુષ્ટ થયેલો સ્થાયિભાવ રતિ, શૃંગારરસરૂપે આસ્વાદાય છે. આમ, એક શ્લોકમાં પણ રસનિષ્પત્તિ થઈ શકે છે.
(iv) વૃવિત્ય થથારસમુ અનુર્તિવ્યમ્ - "
અહીં ‘વૃત્તિ’ શબ્દ સમજવા જેવો છે. અલંકાર શારામાં અનેક કાવ્યતત્ત્વો માટે વૃત્તિ” શબ્દ વપરાય છે.