________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૫,૬).
૩૭૧ ઉપર્યુક્ત શ્લોકમાં નાયક-નાયિકાએ બધી વૃત્તિઓનો વિરોધ કર્યો હોવાથી તેમનાં અંગો ચિત્રમાં જોયા હોય એવાં સ્થિર છે પણ નેત્રરૂપ કમળનાળથી આણેલો એકબીજા માટેની અભિલાષારૂપી રસ તેઓ આસ્વાદી રહ્યાં છે અને એમ સમય પસાર કરે છે. અહીં કામ ઉપર પૂરનો, ગુરુઓ ઉપર બંધનો, નેત્રો ઉપર કમળનાળનો આરોપ કરવામાં આવ્યો છે તેથી “રૂપક અલંકાર છે. અહીં રસની પ્રધાનતા સાચવવા રૂપક' પૂરું કરેલ નથી કેમકે નાયક-નાયિકાનો પ્રેમ દર્શાવવા ચવાક્યુગલ કે એવાં પ્રણયી યુગલનો આરોપ દર્શાવ્યો નથી. અહીં જેવું છે તેવું રૂપક રસને પોષે છે, અલંકૃત કરે છે.
કારિકા-૫ અને વૃત્તિ ઃ આનંદવર્ધને પ્રયોજેલો “સંઘટના” શબ્દ “રીતિ’ માટે છે. આનંદવર્ધનના પુરોગામી વામનાચાર્ય “રીતિને કાવ્યનો આત્મા માને છે. પતિ માત્મા ચર્ચા I તથા વિશિષ્ટ વિના રતિઃ' એમ રીતિ’નું લક્ષણ આપે છે. પદરચનાની વિશિષ્ટતા તેની ગુણાત્મકતા છે. વિદર્ભો’, ‘ગૌડી’ અને ‘પાંચાલી' એમ ત્રણ રીતિ માનવામાં આવે છે. રીતિને માટે દંડીએ માર્ગ શબ્દ પ્રયોજ્યો છે. -
આનંદવર્ધને “અસમાસાથી વૈદર્ભી’, ‘મધ્યમ સમાસથી ભૂષિત થી પાંચાલી અને દીર્ઘસમાસા થી ગૌડી રીતિને નિર્દેશેલ છે. સંઘટના યાને રીતિ રસની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખે છે એ તથ્યનું વિવેચન સૌ પહેલાં આનંદવર્ધને કર્યું છે.
કારિકા-૬ અને વૃત્તિ ઃ કારિકા-૬અ () આચાર્ય જગન્નાથ પાઠક (પૃ. ૩૩ ૭,૩૩૮) જણાવે છે, “મુખ્યરૂપથી સંઘટના અને ગુણોનો સંબંધ તથા સંઘટનાને રસાભિવ્યક્તિનું એક સાધન એ બે બાબત પ્રસ્તુત ગ્રંથમાં સમજાવી છે. તેનું વિવેચન ક્યું છે. તેની આધારભૂત કારિકાનો આ અંશ છે. “ગુનાઝિચ તિછત્તી માધુરીનું ચન સા | સાન” કારિકાના ગુનાશ્રિત્ય’ આ નિર્દેશ અનુસાર ગુણો અને સંઘટનાના સંબંધને લઈને ત્રણ વિકલ્પ કરવામાં આવ્યા છે. (૧) ગુણ અને રીતિનો અભેદ છે. ભેદ પક્ષ સ્વીકારવામાં આવે તો (૨) સંઘટનાના આશ્રિત ગુણ છે. અથવા (૩) ગુણની આશ્રિત સંઘટના છે.
વામને હાનિ અને ગુણનો અભેદ માન્યો છે. આ અભેદ પક્ષ પ્રમાણે TMાનશ્રત્યે નો અર્થ ‘આત્મભૂત ગુણોનો આશ્રય કરીને’ એમ છે. જોકે ગુણ અને સંઘટનાનો ભેદ છે તો પણ શિશપા (સીસમ)નું આશ્રિત વૃક્ષત્વ’ની જેમ સ્વઅભિન્ન વસ્તુનો પણ 4 થી ભેદ પરિકલ્પિત કરેલ છે.
ગુણ અને સંઘ નામ ભેદ માનનારા ભટ્ટ ઉભદ આદિ મુજબ ગુણ, સંઘટનાના ધર્મ છે, અને ધર્મ પોતાના ધર્મીના આશ્રિત (આશ્રયે રહેલા) હોય છે જ. એથી ગુણ, સંઘટનાના આશ્રિત છે. તેમના પ્રમાણે જુનું માધે મૂતાનું મશ્રિત્ય' અર્થાત આધેયભૂત ગુણોનો આશ્રય કરીને, એ અર્થ થશે.