________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧) અભિનવગુપ્ત- “અમે અભાવવાદીઓના વિકલ્પ સાંભળ્યા નથી પણ તેની સંભાવના કરીને દોષ દઈશું, તેથી તે વિકલ્પોનું પરોક્ષત્વ સિદ્ધ થાય છે. ધ્વનિના અભાવવાદનો સિદ્ધાન્ત પણ બહુ પહેલાં, ભૂતકાળમાં હોવાને લીધે પરોક્ષરૂપથી સંભાવિત કર્યો છે.
૧.૨ (i) બાવક્ષીનું ! મખ્યક્ષ આત્મને પદ વિધ્યર્થ ૩-પુ. બ.વ. કહે, ‘પૂર્વપક્ષના વિદ્વાન કદાચ આમ કહે,' અનુવાદમાં કહ્યું છે એમ પ્રવાહિતા જાળવવા લખ્યું છે.
(i) તાવત્ ા તો. તાવત્ શબ્દનો અર્થ છે 'નિશ્ચય જ’ ‘શબ્દ અને અર્થ કાવ્યનાં શરીરાદિ છે એ વિષયમાં કોઈનો પણ વિરોધ નથી.’ એ તાવ થી સમજાય છે. રામસાગર ત્રિપાઠી-તારાવતી ટીકા. પૃ-૨૮)
(ii) શબ્દગત ચારુત્વ હેતુ, એ અનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારો છે. અર્થગતચારુત્વ હેતુ, એ ઉપમા, ઉલ્ટેક્ષા, અપહતુતિ, વિભાવના વગેરે અર્થાલંકારો છે. | (iv) વ ટનોધ. | શબ્દ અને અર્થનું ચારુત્વે બે રીતે હોઈ શકે છે સ્વરૂપમાત્રનિષ્ઠ અને સંઘનાશ્રિત. શબ્દાલંકારોથી શબ્દનું ચારુત્વ, સૌંદર્ય અને અર્થાલંકારોથી અર્થનું સૌંદર્ય-એ સ્વરૂપમાત્રનિષ્ઠ ચારુત્વ છે. જ્યારે શબ્દગુણોથી અને અર્થગુણોથી અનુક્રમે શબ્દનું અને અર્થનું ચારુત્વ પ્રાપ્ત થાય તે “સંઘનાશ્રિત ચારુત્વ છે. શબ્દ અને અર્થના સંઘના ધર્મ પણ પ્રતીત થાય છે. જે ગુણ અને અલંકારોથી વ્યતિરિક્ત હોય છે શબ્દગુણો અને અર્થગુણો જ્યારે સંઘટનામાં પર્યવસિત થાય છે ત્યારે સંઘનાશ્રિત ચારુત્વ પ્રાપ્ત થાય છે. વર્ણસંઘટના = અક્ષરોની ગોઠવણી.
() ધુર્યાલય:- માધુર્ય વગેરે. અલંકારશાસ્ત્રમાં નીચે મુજબ દસ કાવ્યગુણ વર્ણવવામાં આવ્યા છે. શ્લેષ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારત્વ, ઓજ, કાન્તિ, સમાધિ. | (i) વૃત્તયઃ- નાટક વગેરેના સંદર્ભે શિકી, સાર્વતી, આરટી, ભારતી એમ ચાર વૃત્તિઓ નાટયની માતાઓ માનવામાં આવી છે. પણ અહીં કાવ્યમાં જોવા મળતી વૃત્તિઓનો નિર્દેશ છે. નાગરિકા, ઉપનાગરિકા અને ગ્રામ્યની વ્યાખ્યા ઉલ્કા વગેરે આલંકારિકોએ આ રીતે સમજાવી છે. જે પરુષ કઠોર-વર્ષોથી આરબ્ધ હોવાને લીધે પરુષ અનુપ્રાસથી યુક્ત હોય છે તે પરુષા કે નાગરિકાવૃત્તિ કહેવાય છે. મસૂણ યા સ્નિગ્ધ વર્ષોના અનુપ્રાસવાળી વૃત્તિ લલિતા કે ઉપનાગરિકા કહેવાય છે. જે ગ્રામ્ય વનિતાની જેમ વૈધ્ધ વિનાની હોય, જેનામાં સુકુમારતા કે પરુષતા હોતી નથી તે વૃત્તિ મધ્યમા યા કોમલા યા ગ્રામ્યા કહેવાય છે.
(vi) રીતઃ- વૈદર્ભી, ગૌડી, પાંચાલી વગેરે રીતિનો અહીં નિર્દેશ છે. (viii) કોડથું ધ્વનિર્નાર- આ પંક્તિ અભાવવાના પ્રથમ વિકલ્પનો નિર્ણય વ્યક્ત કરે છે.