________________
- ધ્વન્યાલોક કારિકા-૨૪ અને વૃત્તિ : (i) સંનયતિ સુમમાલો... અહીં વસંત બાણ બનાવનાર છે. કામદેવ તેનો પ્રયોગ કરના ધનુર્ધારી છે. આંબાના મહોર વગેરે બાણ છે અને યુવતીઓ તેનું લક્ષ્ય છે. આ અર્થ કવિની પ્રૌઢ ઉક્તિથી પ્રાપ્ત થાય છે. જગતમાં આ પ્રકારનો કોઈ ધનુર્ધારી કે બાણ જોવા મળતાં નથી. તે તાવતું' શબ્દથી મન્મથનો ઉન્માદ પ્રગટ કરાવે તેવી વસંત’ એવું સૂચન થાય છે. આ શ્લોક વસ્તુથી વસ્તુવ્યંગ્યનું ઉદાહરણ છે. | (i) શિક્ષણ નામ... છે. તેમાં જે ચમત્કારજનક વ્યંગ્ય અર્થ છે તેની પ્રતીતિ કવિ નિબદ્ધ તરુણ રૂપ વક્તાની વિશેષતાથી થાય છે.
(ii) રિપિચ્છfપૂ. ઈ. પહેલાં પતિ એવો બળવાન હતો કે હાથીઓનો શિકાર કરીને પોતાની પત્નીઓને મોતી આપતો. એ જ પતિ નવી પત્ની સાથેના અતિસહવાસથી નિર્વીર્ય થઈ ગયો છે કે મોરને પણ માંડ મારી શકે છે. આમ મોરપીંછ કાને પહેરેલી નાયિકાનું સૌભાગ્ય અહીં સૂચવાયું છે. કે પતિ એને વશ છે. વાચકને આ અર્થ પોતાની મેળે જ, જેમ જેમ તે વિચાર કરતો જાય તેમ તેમ બહાર આવતો જાય છે, તેથી ‘સ્વતઃ સંભવી' છે.
(iv) વૃત્તિમાં પહેલા પ્રકારના બે પેટા પ્રકાર બતાવ્યા છે. (૧) કવિ પ્રૌઢોક્તિમાત્ર સિદ્ધ (૨). કવિ નિબદ્ધ-પાત્ર-પ્રૌઢોક્તિમાત્રસિદ્ધ એ બેમાં ‘પ્રોઢોક્તિ’ સામાન્ય (common) છે તેથી કારિકાકારે એક જ પ્રકાર ગણ્યો હશે.
(૫) અહીં આપેલ ઉદાહરણોમાં વ્યંજક અર્થ વસ્તુ રૂપ છે અને વ્યંગ્યાર્થ પણ કોઈને કોઈ વસ્તુ એટલે કે હકીકત રૂપ છે. આમ વસ્તુથી વસ્તુ વ્યંજિત થયાનાં આ ઉદાહરણો છે.
કારિકા-૨૫, ૨૬ અને વૃત્તિઃ આનંદવર્ધન અહીં કહે છે કે અર્ધશક્તિમૂલ અનુસ્વાનોપમ વ્યંગ્ય ધ્વનિ, જ્યાં કોઈ અલંકાર, અર્થના સામર્થ્યથી, વ્યંગ્ય બનતો હોય ત્યાં પણ હોઈ શકે. રૂપક વગેરે અલંકારો જે સામાન્ય રીતે વાચ્ય રહે છે, તેમાંના ઘણાખરા વ્યંગ્ય પણ થઈ શકે છે, એમ કારિકા- ૨૬ અને વૃત્તિમાં કહ્યું છે. ભટ્ટ ઉલ્કા વગેરે બીજા આલંકારિકોએ પણ આ દર્શાવ્યું છે.
મૂક્ની= પ્રચુર માત્રામાં. મુખ્યમાનત્વમ્ વિષ્ઠત્ = વ્યંગ્યત્વ ધારણ કરતા. કારિકા-૨૭ અને વૃત્તિ ૨૭.૧ (i) તત્પરત્વ= પરત્વ |
આ કારિકાના વૃત્તિભાગમાં વ્યંજિત થયેલ અલંકાર અનુસાર નામ અને વ્યવહાર હોવો જોઈએ. અલંકાર ધ્વનિનાં ૧૧ ઉદાહરણ આપીને આ વિષયને સમજાવવામાં આવ્યો છે. આવા અલંકાર ધ્વનિના પ્રસંગમાં જ્યાં વાચ્ય અલંકાર વ્યંગ્ય અલંકારને
વ્યક્ત કરે છે ત્યાં “અલંકારથી શ લ કાર વ્યંગ્ય હોય છે. કેટલીવાર એવું બને છે • વાચ્ય અલંકાર હોય ખરો પણ તે વ્યંજક ન હોય તેમજ ક્યાંક વાચ્ય અલંકાર જ ન