________________
૩૫૮
ધ્વન્યાલોક
પછીના આચાર્યોએ વસ્તુધ્વનિની પણ ઉદાહરણો સાથે વિવેચના કરીને આ ઓછપ પૂરી કરી છે.’’
કારિકા-૨૨ અને વૃત્તિ :
(i) ‘શબ્દશક્તિમૂલ’ પછી ‘અર્યશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય’ આ કારિકામાં સમજાવેલ છે. આનંદવર્ધન પછી ૨૪મી કારિકામાં અર્યશક્તિમૂલના ત્રણ પ્રકાર સમજાવે છે. (૧) સ્વતઃ સંભવી (૨) કવિ પ્રૌઢોક્તિસિદ્ધ (૩) કવિનિબદ્ધવક્તૃપ્રૌઢોક્તિસિદ્ધ. દરેકના, વસ્તુથી વસ્તુ, વસ્તુથી અલંકાર, અલંકારથી વસ્તુ અને અલંકારથી અલંકાર વ્યંગ્ય હોય તે મુજબ, કુલ ૩૪૪=૧૨ ભેદ, પછીના આચાર્યોએ બતાવ્યા છે.
(ii) ‘ä વારિનિ લેવાઁ... ઈ.’કુમારસંભવ (૬/૮૪)નો આ સુંદર, કાવ્યાત્મક શ્લોક છે. આનંદવર્ધને તેને અર્થશકત્યુદ્ભવ સંલક્ષ્યક્રમવ્યંગ્યના ઉદાહરણ તરીકે ઉષ્કૃત કર્યો છે. અભિનવગુપ્ત મુજબ અહીં લજ્જા અને વિશ્વનાથ મુજબ અવહિત્યા નામનો વ્યભિચારિભાવ પ્રગટ થયો છે. ભય, ગૌરવ, લજ્જા વગેરેને કારણે બીજું કામ કરવું, અન્યયા ભાષણ, બીજે જોવું અને મૂળ આકાર છુપાવવો તેને ‘અવહિત્થા’ કહેવામાં આવે છે. બન્ને આચાર્યોના મતમાં તાત્ત્વિક ભેદ નથી.
સંદર્ભ એવો છે કે સર્ષિઓ જ્યારે શિવ માટે પાર્વતીનું માગું લેવા આવ્યા, ત્યારે પોતે તપ આચરીને પ્રસન્ન કરેલા શિવપ્રત્યે-ભાવિ વર પ્રત્યે, પિતા હાજર હોવાથી પાર્વતી શરમાઈ ગયાં, નીચું જોઈ ગયાં અને હાથમાં ક્રીડા માટેનું કમળલીલાકમળ-હતું તેની પાંખડીઓ ગણવા લાગ્યાં એમ આ શ્લોકમાં કહ્યું છે.
‘Ëવાતિનિ લેવા’ માં સતિ સપ્તમીનો પ્રયોગ છે.
આ શ્લોકમાં ‘પાર્વતી લજ્જાને વશ થઈ' એવો ધ્વનિ નીકળે છે. લજ્જાના આવિર્ભાવનો ધ્વનિ છે. લજ્જા વ્યભિચારિભાવ છે. લજ્જા સૂચવવા શ્લોકમાં કોઈ સ્પષ્ટ શબ્દ નથી.
કોઈ વિદ્વાનને એમ શંકા થાય કે અહીં લજ્જા-વ્યભિચારિભાવ – ૨ – સૂચવાય છે તેથી તેને (શ્લોને) અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિનો ગણવો જોઈએ. રસાદિ તેમાં આવે છે. બંનેમાં તાત્ત્વિક ભેદ છે. જ્યારે વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવ પોતે અમુક સ્પષ્ટ શબ્દોથી વાચ્ય હોય અને વ્યંજના વ્યાપારથી જ્યાં રસ બહાર આવે ત્યાં જ ‘અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય’- રસાદિ ધ્વનિ છે એમ કહેવાય છે. આ શ્લોકમાં લજ્જા નામનો વ્યભિચારિભાવ વાચ્ય નથી વ્યંગ્ય છે. માટે આ ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય (રસાદિ)ધ્વનિ’નું દૃષ્ટાન્ત નથી, ‘અર્ધશક્તિમૂલ’નું ઉદાહરણ છે.
વિભાવ વગેરે વાચ્ય હોય અને તેને પરિણામે રસનિષ્પત્તિ થાય તેનું ઉદાહરણ આનંદવર્ધને હવે પછી આપ્યું છે.
(iii) યથા મારસમ્ભવે...સાક્ષાઇનિવેવિતમ્ । અહીં કુમારસંભવ સર્ગ-૩ના