________________
૩૬૧
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૭) હોય. આ બંને સ્થિતિમાં અલંકારથી ભિન્ન, વસ્તુમાત્ર અભિવ્યંજક હોય છે. એથી એ ઉદાહરણોમાં વસ્તુથી “અલંકારવ્યંગ્ય’ માનવામાં આવે છે. આ કારિકાની વૃત્તિમાં આપેલાં ૧૧ ઉદાહરણોમાં બન્ને પ્રકારનાં ઉદાહરણ, છે. વળી એ વ્યંજક સામગ્રીમાં ‘સ્વતઃ સંભવી', 'કવિપ્રોઢોક્તિસિદ્ધ’ અને ‘કવિનિબદ્ધવકતૃપ્રૌઢોક્તિસિદ્ધનો પણ ભેદ હોય છે. | (ii) ચન્દ્રચૂર્વેર્નિશા... છે. આ શ્લોક વાચ્ય દીપક અલંકારનું ઉદાહરણ છે. “પુર્વ યિતે' સાથે પાંચ પદસમૂહો સંકળાયેલાં છે.
(ii) પ્રાણત્રીષ માત્... ઈ. અહીં સમુદ્રના સ્વાભાવિક યા ચંદ્રોય, સેનિકોના સ્નાન કરવા વગેરેથી જે ક્ષોભ જોવા મળે છે તે જાણે મોટું સેન્સ લઈને આવેલા રાજાને જોઈને ડરી ગયેલા સમુદ્રનો કંપ છે એવી ઉખેક્ષા છે. સમુદ્ર વિવિધ પ્રકારના તર્ક કરે છે તેમાં સસંદેહ અલંકાર છે. એ બંનેનો અંગાંગિભાવ છે. આમ અહીં વાચ્ય અલંકાર તરીકે સસંદેહ અને ઉપેક્ષાનો સંકર છે. ‘રાજા વિષ્ણુરૂપ છે એવો વ્યંગ્યાર્થ છે. એ પ્રધાન હોઈ આ શ્લોક “સંલક્ષ્યક્રમવ્યંગ્ય કવિ પ્રૌઢોક્તિમાત્ર સિદ્ધ અલંકારથી અલંકાર વ્યંગ્ય રૂપક ધ્વનિનું ઉદાહરણ છે.
(iv) તાવથતિ ... ઈ. જો પયોધિ-સમુદ્ર જડ નહીં પણ સહદય હોત તો પૂર્ણચંદ્ર જેવા તારા મુખને જોઈને તેનામાં કામવિકાર રૂપી ક્ષોભ થયો હોત. જો સમુદ્રમાં ચંદ્ર અને તારા મુખના સૌંદર્યને સમજવાની બુદ્ધિ હોત તો તેમાં ચંદ્રથી પણ અધિક સુંદર તારા મુખને જોઈને જળમાં ચંચળતા રૂપ ક્ષોભ ચોક્કસ થયો હોત. કવિએ આલેખેલા પાત્રની-નાયકની- આ ઉક્તિ છે. જળરાશિમાં ‘ શ્લેષાલંકાર વાચ્ય છે, તેનાથી નાયિકાના મુખ પર ચંદ્રના આરોપરૂપી “રૂપક અલંકાર વ્યંગ્ય છે. તેથી આ “કવિનિબદ્ધપાત્ર-પ્રૌઢોક્તિમાત્ર-સિદ્ધ અલંકારથી- અલંકારવ્યંગ્યનું ઉદાહરણ છે.
૨૦. ૨ (i) રા મતે... ઈ આ શ્લોકમાં પ્રિયાનાં સ્તન કરતાં થના હાથીઓનાં સિંદૂર રંગેલાં કુંભસ્થળ વિશેષ આકર્ષક છે એમ કહ્યું છે. એટલે વાચ્યા અલંકાર ‘વ્યતિરેક છે. જોકે શત્રુઓના હાથીઓનો સમૂહ બધા લોકોને ત્રાસ આપે, જનસમૂહને ભેદી નાખે તેવો છે પણ વીરપુરુષોને એ હાથીઓનાં મસ્તકોનું મર્દન કરવામાં એટલો બધો આનંદ આવે છે જેટલો સાધારણ વ્યક્તિને પોતાની પ્રિયતમાના કુકુમ્ભોના મર્દનમાં આવે છે. આ રીતે ઉપમા દ્વારા વરોની યુદ્ધ વિષયક રતિ અભિવ્યક્ત થઈ છે. જે વીરતાની અધિકતા ને સૂચવતાં ચમત્કાર ઉત્પન્ન કરે છે, એથી ઉપમાની પ્રધાનતા હોવાથી આ ‘ઉપાધ્વનિનું કાવ્ય છે.
i) તત્તેષાં શ્રીસત્નીને... ઈ. અહીં “અતિશયોક્તિ અલંકાર વાચ્ય છે, અને એનાથી પ્રિયાનું અધરબિંબ બધાં રત્નોના સારરૂપ કૌસ્તુભમણિ સમાન છે. આ