________________
- ધ્વન્યાલોક સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે એમ કરવામાં આવે છે. એ શબ્દો જ પ્રયોજયા હોતતો પણ ચાલત. વતિ’ એવા લક્ષણાના પ્રયોગથી કોઈ વિશેષ સૌદર્ય આવતું નથી. આ શ્લોક રત્નાવલી’ નાટિકામાંથી છે. રાજા ઉદયન શય્યાનું વર્ણન કરે છે.
ગુખ્યતે... ઈ. અહીં પુનરુકિત અર્થ અસંભવ છે. પુનરુત્તમ્ પદથી કંટાળાજનક’, ‘નવીનતા રહિત’ અર્થ લક્ષણાથી આવે છે. સીધું એમ કહ્યું હોત તો ચાલત.
પિતા પ્રસન્ન... ઈ. અહીં “Jદીતા' પથી ઉપાદેયતા અને ‘’ પદથી તેની અધીનતા લક્ષણોદ્વારા જણાય છે. પણ ધ્વનિનો અવસર નહીં હોવાથી અહીં પણ અતિવ્યાપ્તિ છે.
માયા પ્રહારો... ઈ. અહીં દાન’ વસ્તુનું થાય. પ્રહારનું નહિ. તેથી લક્ષણાથી ‘પ્રહાર કર્યો એમ સમજવાનું છે. તેથી : પ્રયોગ ખાસ સૌંદર્ય વગરનો છે.
વર્ષે યઃ પીડા”... ઈ. આ ઉદાહરણમાં શેરડી નિર્જીવ છે. તેથી અનુમતિ નો અર્થ ‘પિલાય છે.’ એમ થાય છે. એ પ્રયોગથી કોઈ વિશેષ સૌર્થ આવતું નથી.
કારિકા-૧૫ અને વૃત્તિ : આગળની કારિકા પરની વૃત્તિમાં આપેલ ચાર ઉદાહરણોમાં શબ્દાન્તરથી અગમ્ય અનિર્વચનીય આહૂલાદ આપતો વ્યંજક શબ્દ નથી. આ ઉદાહરણોમાં લાક્ષણિક શબ્દ, બીજી રીતે પ્રગટ ન થઈ શકે એવા સૌંદર્યનું કારણ બનતો નથી. વતિ, અનુમતિ વગેરે વાચ્યમાં પણ મૂકી શકાત, એટલે એને ધ્વનિ કહી શકાય નહીં.
કારિકા-૧ અને વૃત્તિઃ કારિકા-૧૬માં રૂઢિ લક્ષણા અને કારિકા-૧૭માં પ્રયોજનવતી લક્ષણાના સંદર્ભે ચર્ચા છે.
રૂઢિ લક્ષણાનાં ઉદાહરણ લાવણ્ય, આનુલોમ્ય, પ્રાતિકૂલ્ય વગેરે શબ્દો છે. તવળી માવ: તાવળ્યમ્ / લવણ (મીઠું, નમક) પરથી આ શબ્દ બન્યો છે પણ સૌદર્યના અર્થમાં રૂઢ થયેલો છે. આ રૂઢ અર્થમાં મીઠાનો અર્થ સહેજ પણ નથી. તેથી લાવણ્યને રૂઢિપ્રયોગથી લક્ષણા તરીકે લેવાય. પણ ધ્વનિ તરીકે તો નહીં જ. લાવણ્ય જેવા રૂઢિ લક્ષણાવાળા શબ્દો પ્રયોજાયા હોય તો આખા વાક્યના સંદર્ભમાં ધ્વનિ હોઈ શકે છે પણ તેનું કારણ બીજું હોય છે, લાવણ્ય વગેરે શબ્દ નહીં.
કારિકા-૧૭ અને વૃત્તિ : પ્રયોજનવતી લક્ષણાને કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં જીયા| ઘોષઃ ' નું ઉદાહરણ આપીને સમજાવવામાં આવે છે. લક્ષણાની ત્રણ શરતો છે. મુખ્યાર્થબાધ, તદ્યોગ, પ્રયોજન ગંગા પર નેસડો છે. આ ઉદાહરણમાં મુખ્યાર્થ યાને વાચ્યાર્થ-“ગંગા પ્રવાહ પર નો છે.” પ્રવાહ પર નેસડો હોઈ ન શકે. તેથી વાચ્યાર્થનો બાધ થાય છે. તેથી સામીપ્ય સંબંધથી-તોગથી-“ગંગા તો નેસડો-ઘોષ છે' એવો લક્ષ્યાર્થ, લક્ષણા વ્યાપારથી-વૃત્તિથી કરવામાં આવે