________________
૩૨૮
- વન્યાલોક (v) દૃર્જયા -શેમુવીત્વમ્ ઈર્ષ્યાથી બુદ્ધિની કલુષિતતા, દૂષિત બુદ્ધિ
હોવાપણું.
૧૩-૧૧ (i) પ્રથમ કારિકા અને તે પરના આલોકમાં-વૃત્તિમાં-ધ્વનિ વિરોધી ત્રણ મત-અભાવવાદી, ભાક્તવાદી અને અનિર્વચનીયવાદીનું નિરૂપણ કર્યું છે. તે પૈકી તેરમી કારિકામાં અભાવવાદીના બધા વિકલ્પોનું લેખકે ખંડન કર્યું. પછીની કારિકાઓમાં અન્ય બે મતનું ખંડન કરતા પહેલાં આનંદવર્ધન ‘આલોક માં ધ્વનિના અસ્તિત્વને સિધ્ધ કરી ધ્વનિના બે મુખ્ય ભેદોની ચર્ચા કરે છે, તથા તેનાં ઉદાહરણ આપે છે. બીજા ઉઘાતમાં તેમણે ધ્વનિના અન્ય ભેદોની ચર્ચા કરી છે એમ કમ ભંગ કેમ એવો વિચાર મનમાં આવે તે સ્વાભાવિક છે. તેનું સમાધાન કરતાં લોચનકાર કહે છે કે “ભાતવાદનો આધાર ‘લક્ષણા વ્યાપાર’ છે. ધ્વનિના
અવિવક્ષિતવાચ્ય' નામના પ્રભેદમાં લક્ષણા પરિચય, વાચકને થઈ જાય પછી આગળ ધ્વનિના ભાક્તત્વની શંકાનું સમાધાન સહેલાઈથી થઈ શકે. બીજા ઉદ્યોતમાં આ બે ભેદોનું ફરી પ્રતિપાદન કર્યું નથી. કારિકા ભાગમાં અવાન્તર ભેદ સમજાવવાનો આરંભ કરી દીધો છે. | (i) અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલ) -વાચ્ય અને વ્યંગ્ય જુદાં છે. હવે જ્યારે વાચ્ય ઉપરથી વ્યંગ્ય-ધ્વનિ-નીકળે ત્યારે વાચ્યાર્થીની જરૂર તદ્દન જતી રહે કે થોડીક રહે એ પ્રશ્ન છે. જ્યાં વાચ્યની હેજ પણ જરૂર રહેતી નથી તેને “અવિવક્ષિતવાચ્ય” કહેવાય છે. સુવર્ણપુષ્પ૦ ઈ. ઉદા.માં ભૂમિને કંઈ સુવર્ણ પુષ્પો હોય નહીં. વાચ્યાર્થ તો “સોનાનાં પુષ્પો એમ જ છે. તે વિવક્ષિત નથી, તે કહેવાનું અભિપ્રેત નથી. પણ એના ઉપરથી ‘સુવર્ણ પુષ્પોવાળી એટલે ધનવાળી એવો વ્યંગ્યાર્થ નીકળે છે. એ અર્થ માટે વાચ્યાર્થની જરાય વિવક્ષા (કહેવાની ઇચ્છા) નથી.
(ii) વિવક્ષિતા પરવાચ્ય-આમાં વાચ્યાર્થી વિવેક્ષા હોય છે, પણ વાચ્ય બીજા અર્થમાં-વ્યંગ્યાર્થમાં વિરમે છે. શિવજી નુ નામ ઈ. ઉદા. માં તારા અધર જેવાં લાલ બિઓફળનો શુકશાવક-પોપટનું બચ્ચું-સ્વાદ લે છે, તે એણે એવું તે ક્યું તપ કર્યું છે?' એવો વાચ્યાર્થ છે, તે અસંભવિત નથી. પણ વક્તાને વાચ્યાર્થ જ અભિમત નથી. બોલનાર કામુક છે. તે પોતાની પ્રિયતમાને આ કહે છે, તેથી અધરરસનો આસ્વાદ લેવાની તેની ઇચ્છા વ્યંજિત થાય છે. આમ વાચ્યાર્થ બીજા અર્થમાં પરિણમે છે. માટે તે વિવક્ષિત-અન્યપર-વાચ્ય કહેવાય છે.
કારિકા૧૪ અને વૃત્તિ: અભાવવાદીઓના મતનું ખંડન ર્યા પછી આ અને પછીની કારિકાઓમાં તથા વૃત્તિભાગમાં ભાતવાદી નામના ધ્વનિ વિરોધીઓના મતનું ખંડન કરવામાં આવ્યું છે. ભાક્તવાદીઓના ત્રણ વિકલ્પો સંભવે છે. (૧) ધ્વનિ અને લક્ષણા એક જ છે. તેથી ધ્વનિને માનવાની જરૂર નથી. (૨) લક્ષણા એ