________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૪)
૩૨૯ ધ્વનિનું લક્ષણ છે, તેથી ધ્વનિને માનવાની જરૂર નથી. (૩) લક્ષણા એ ધ્વનિનું ઉપલક્ષણ છે તેથી ધ્વનિને માનવો એ જરૂરી નથી. મહૂિર્તમચે- એમ પ્રથમ કારિકામાં અને તે પરની વૃત્તિમાં આ મતનો પૂર્વપક્ષ રજુ થયો છે. હવે તેનું ખંડન કરી અહીં સિદ્ધાન્તપક્ષ સમજાવવામાં આવ્યો છે. ધ્વનિ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કારિકા અને આલોકની ચર્ચા પરથી ભાક્તવાદીઓના ત્રણ વિકલ્પોનું અનુમાન કરી શકાય છે,
૧૪.૧ ધ્વનિને ‘ભાક્ત’ માનનારા પક્ષના ત્રણ વિકલ્પો પૈકી પહેલો વિકલ્પ ભક્તિ અને ધ્વનિનો અભેદ છે એનું ખંડન ‘મસ્યા નિમર્તિ મૈત્વમ્ થી કર્યું છે. ત્રીજા વિકલ્પનું ખંડન કારિકા-૧ભાં કર્યું છે. ૧૪મી કારિકાના ઉત્તરાર્ધથી ૧૮ મી કારિકા તેમજ વૃત્તિમાં દ્વિતીય વિકલ્પનું ખંડન ક્યું છે.
૧૪.૨ (i) મતિવ્યા:- વ્યાઃ |
‘તર્કભાષા માં કેશવમિશ્ર લક્ષણની વ્યાખ્યા’ ‘તલ તુ મસાધારણધર્મવવનમ્અસાધારણ ધર્મને લક્ષણ કહે છે.’ એમ આપે છે. જેમ કે જો નું લક્ષણ સાસ્નાદિમત્ત્વ છે. અસાધારણધર્મ તે કહેવાય છે જે કેવળ લક્ષ્યમાં (ઉદા. જો) માં રહે. લક્ષણ ત્રણ દોષથી રહિત હોવું જોઈએ. (૧) અતિવ્યામિ (૨) અવ્યાપ્તિ (૩) અસંભવ. તે પૈકી કારિકા અને વૃત્તિમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનો ઉલ્લેખ છે.
જે ધર્મ લક્ષ્યથી ભિન્ન અલક્ષ્ય (જેમકે ભેંસ વગેરે) માં પણ જોવા મળે તેમાં અતિવ્યાપ્તિ દોષ ગણાય છે. અત્રવૃત્તિત્વમ્ તિવ્યાણિક / ઉદા. કૃમિત્વ-ગાય એ શીંગડાંવાળું પ્રાણી છે એમ ગાયનું લક્ષણ કરવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ છે.
જ્યાં ધ્વનિ નથી હોતો એવાં કાવ્યોમાં પણ લક્ષણા સંભવે છે તેથી લક્ષણા એ ધ્વનિનું લક્ષણ છે એમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ થાય.
એ જ રીતે ‘ત -વૃત્તિત્વમ્ મવ્યાએવી અવ્યામિની વ્યાખ્યા મુજબ જે ધર્મ લક્ષ્યના એક અંશમાં ન મળતો હોય તો એ લક્ષણ ‘અવ્યાપ્તિ’ દોષવાળું કહેવાય છે. ઉદા. શાબલેયત્વ-કાબરચીતરાપણું-એ ગાયનું લક્ષણ છે એમ કહેવામાં આવે તો લક્ષ્ય-ગૌ-ના અમુક ભાગને જ તે લાગુ પડે છે. સફેદ, કાળી, કપિલ વર્ણની વગેરે પ્રકારની “ગૌ ને એ લક્ષણ લાગુ પડતું નથી. ‘વિવક્ષિતા પરવાચ્ય’ નામે ધ્વનિનો પ્રકાર, તેમજ બીજા ઘણા પ્રકારો ‘ભક્તિથી વ્યાપ્ત થતા નથી માટે ‘ભક્તિ’ - લક્ષણા-એ ધ્વનિનું લક્ષણ નથી, અવ્યામિદોષ થતો હોવાથી, એમ કારિકા-૧૮માં સમજાવ્યું છે.
(i) ૩૫રિતીન્દ્રવૃર્યા- ઉપચાર યા ને ગૌણી શબ્દવૃત્તિથી
૧૪.૩ મિસ્તાન.. ઈ. આ શ્લોકમાં ‘વતિ = પ્રગટ કરે છે, કહે છે. આમ તો ચેતનવાળી વ્યક્તિ કરી શકે. એથી મુખ્યાર્થનો બાધ થતાં લક્ષણાથી એનો અર્થ