________________
३४७
અભ્યાસ નોધ (ઉ. ૨/૮, ૯) નિષેધ કરીને રસકધર્મત્વનું પ્રતિપાદક થશે. શૃંગારની સાથે ‘વ’ પદથી આ સૂચવાયું છે.” (પૃ.૯૬).
કારિકા-૮ અને વૃત્તિ : શૃંગાર રસ બે પ્રકારનો છે સંભોગ યા સંયોગ શૃંગાર અને વિપ્રલંભ યા વિયોગ શૃંગાર. વિપ્રલંભ શૃંગાર, સંભોગ શૃંગારથી મધુરતર છે. કરુણરસ તેનાથી વધુ મધુર છે, મધુરતમ છે. પ્રર્વવત્ ભાવ એ છે કે ઉત્તરોત્તર અધિક મધુર છે.
માર્કતાં યાતિ - અભિનવ સમજાવે છે કે સાયનું ચિત્ત સ્વાભાવિક અનાવેશયુક્તતા રૂપ કાઠિન્યને, ક્રોધ વગેરેને કારણે દીપ્તરૂપતાને અને વિસ્મય અને હાસને કારણે વિક્ષેપની સ્થિતિને છોડી દે છે .
કારિકામાં ‘’ અને ‘અધિવ' શબ્દનો અર્થ અભિનવગુપ્ત ક્રમવાચક કરે છે.
શ્રી ડોલરરાય માંકડ કહે છે. ““માધુર્યનું ચોક્કસ સ્વરૂપ ધ્વનિકારે આપ્યું નથી. ખરી રીતે માધુર્યનું તત્ત્વ સૂક્ષ્મ છે, તેથી તેનું ચોક્કસ સ્વરૂપ આપી શકાય તેમ નથી જ. જેનાથી મન દ્રાવે, મનમાં કોમળ ભાવ જાગે તે માધુર્ય. આને વર્ણવી ન શકાય, પણ એ અનુભવી શકાય ખરું.” (પૃ. ૨૪૦)
કારિકા-૯ અને વૃત્તિ : (i) સેદ્રાવો સા: | અહીં “બારિ વગેરે પદથી “ વીમુતયોરિ પ્રહણ' એમ લોચનકારે લખ્યું છે. અહીં “આદિ' પદને પ્રારંભ અર્થવાળું ન માનીને ‘પ્રકાર અથવા સદશ્ય વાચક માનેલ છે. રૌદ્રરસના જેવા વીર વગેરેનું ગ્રહણ કર્યું છે. એથી એમાં વીરરસના વિભાવોથી ઉત્પન્ન અદ્ભુત રસનું પણ ગ્રહણ કરવું જોઈએ.
(i) ઓજસ્ ગુણ દીર્ઘસમાસવાળા શબ્દોથી બહાર આવે છે. ઓજસૂ ગુણ રૌદ્ર, વીર અને અદૂભૂત રસોને અનુકૂળ છે. દીપ્તિ એટલે અનુભવનારના મનના જુરસાને વિકસાવીને પ્રજવલિત કરે છે તે તત્ત્વ. ઓજસ્ ગુણ માટે તેજદાર શબ્દાર્થની જરૂર રહે છે. દીપ્તિ દર્શાવનાર શબ્દો દીર્ઘસમાસવાળા હોય છે. ‘વેણીસંહાર' (૧/૨૧)નો શ્લોક ભીમની ઉક્તિ છે. આ શ્લોકમાં ત્વરા અને ઔદ્રત્યથી દીતિ પ્રગટે છે. રચના દીર્ઘસમાસવાળી છે. આજ નાટકનો બીજો શ્લોક (૩/૩૨) અશ્વત્થામાની ઉક્તિ છે. તે દીર્ઘસમાસવાળી રચના નથી. તેમાં અર્થ તેજદાર છે. આ શ્લોકમાં ઉત્સાહનો વિકાસ દેખાય છે. અશ્વત્થામાના ક્રોધનો જે વિકાસ થાય છે, તે દીતિનું અંગ છે. લાંબો સમાસ ન હોવા છતાં અર્થમાં દીપ્તિ છે તેથી ‘ઓજસ્ ગુણ છે. (ii) તળયા ત વ : તિ જ્યતે |
“રોદ્રાદિ રસો કારણ છે. તેનાથી ઉત્પન્ન થતું આસ્વાદનરૂપ કાર્ય તે દીતિ નામની ચિત્તવૃત્તિ છે. દીપ્તિ જ રોદ્રાદિ રસોને બીજા રસોથી જુદા પાડે છે. રોદ્ર વગેરે