________________
દવન્યાલોક नेयं विरौति भृङ्गाली, मदेन मुखरा मुहुः।
अयमाकृष्यमाणस्य कन्दर्पधनुषो ध्वनिः ॥ અર્થાત્ “આ કંઈ મદથી મુખર ભ્રમરોની હાર ગુંજતી નથી; એ તો કામદેવના ખેંચાતા ધનુષ્યનો ધ્વનિ છે.” આ અલંકારનું અલંકારત્વ ચારુત્વોત્કર્ષનું કારણ છે. | (V) ૩૫માયા: પ્રતીતો ગરિ | ‘દીપક” અને “અપહતુતિ’ ઔપમ્યમૂલક અલંકારો છે. 'દીપક', “અપવુતિ માં ઉપમા’ની પ્રતીતિ થતી હોવા છતાં ઔપમ્પને લીધે ચારુત્વ નહીં હોવાથી ત્યાં ‘ઉપમા અલંકાર માનવામાં આવતો નથી. 'દીપક', “અપવ્રુતિ’ વગેરે ઉપમામૂલક અલંકારોમાં વ્યય રૂપથી
ઉપમા’ની પ્રતીતિ હોવા છતાં પણ તેનું પ્રાધાન્ય વિવક્ષિત નહીં હોવાથી ત્યાં “ઉપમાનો વ્યવહાર થતો નથી. વ્યંગ્યની પ્રધાનતા હોય તો ધ્વનિનો વ્યવહાર થાય છે. ધ્વનિ મોટો વિષય છે, પ્રધાન છે તેથી અલંકાર વગેરેની અંતર્ગત તેનો સમાવેશ થતો નથી. | (i) વિશેષોક્તિ મમ્મટ કાવ્યપ્રકાશ ૧૦/૧૦૮માં આ રીતે લક્ષણ આપે છે. વિશેષાહિvહેવુ છુ તાવઃ | = જ્યારે કારણો અખંડિત હોય ત્યારે પણ ફળનું કથન ન થાય તે વિશેષોતિ’ અલંકાર છે. તેના ત્રણ પ્રકાર છે (૧) ઉક્ત નિમિત્તા (૨) અનુક્ત નિમિત્તા (૩) અચિન્હ નિમિત્તા. આ ત્રણ ભેદો પૈકી અચિત્યનિમિત્તા અને ઉક્તનિમિત્તામાં વ્યજ્યનું અસ્તિત્વ હોતું નથી. તેથી આનંદવર્ધને ફક્ત અનુક્તનિમિત્તા વિશેષાંતિનો ઉલ્લેખ ર્યો છે. ગાતોડપિ સહાયે... ઈ. ઉદાહરણમાં સંદર્ભને જોરે વ્યંગ્યની પ્રતીતિમાત્ર થાય છે, એ પ્રતીતિને લીધે કોઈ સૌદર્ય આવતું નથી. તેથી તેનું પ્રાધાન્ય નથી. આ પ્રકારની વિશેષોક્તિ માં કારણ કહેલું હોતું નથી. પણ તે એવું ગૂઢ નથી કે જેની કલ્પના ન કરી શકાય. ભટ્ટ ઉભો અહીં ઠંડીની અતિશયતા’ કારણ છે એમ કલ્પના કરી છે. ગમે તે કારણ કચ્યું હોય પણ તે ગૌણ રહે છે. વાચ્ય વિશેષોક્તિ’ જ મુખ્ય છે. તેથી અહીં ધ્વનિ નથી. ૧૩. (i) પર્યાયોકત: ભામહે પર્યાયોક્તનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે.
पर्यायोक्तं यदन्येन प्रकारेणाभिधीयते ।
વાવાવરિષ્પાં શૂન્યાવકામના | કાવ્યાલંકાર ૩/૮ જ્યારે વાચ્યવાચક વ્યાપારથી-અભિધાથી-ભિન્ન વ્યાપાર દ્વારા જે કહેવાનું, હોય તેનું કથન કરવામાં આવે ત્યારે ‘યોજી' અલંકાર કહેવાય છે. જ્યારે જે કહેવું હોય તેનું કથન અભિધાથી ભિન્ન-વ્યંજના-વ્યાપાર દ્વારા કરવામાં આવે ત્યારે ‘પર્યાયોક્ત અલંકાર કહેવાય.