________________
૩૧૮
ધ્વન્યાલોક
અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ નથી થતો એ અમે સ્વીકારીએ છીએ, પણ સમાસોક્તિ, આક્ષેપ, વિશેષોક્તિ (અનુક્તનિમિત્ત પ્રકારની), પર્યાયોક્ત, અપન્રુતિ, દીપક, સંકર વગેરે અલંકારો વ્યંગ્યગર્ભ અલંકારો છે તેથી એ અલંકારોમાં ધ્વનિનો સમાવેશ થઈ જશે અને તેથી ધ્વનિને માનવાની જરૂર નથી. તેથી ધ્વનિનો અભાવ છે.
આનંદવર્ધન કા-૧૩ના આ વૃત્તિ ભાગમાં એ સાત અલંકારોને એક પછી એક લઈ ઉદાહરણ સાથે સમજાવે છે તથા એ પ્રત્યેક અલંકારમાં ધ્વનિનો સમાવેશ થતો નથી એમ પ્રતિપાદિત કરે છે.
આનંદવર્ધનનો સમય ઈ.સ. નવમી સદીનો ઉત્તરાર્ધ છે. ભામહ, ઠંડી, ઉદ્ભટ, વામન વગેરે પુરોગામીઓએ આ અલંકારનાં લક્ષણ આપ્યાં છે તે મુજબ આ સાત અલંકારો આનંદવર્ધનના સમયે જાણીતા હશે. અભિનવગુપ્તે (આશરે ૧૦મી સદી) ‘લોચન’માં આ અલંકારોને વ્યાખ્યા આપી સમજાવેલ છે. જે અલંકારોનો, ખ્યાલ બદલાયો ન હોય તે, મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’માં તે અલંકારના આવેલ લક્ષણની મદદથી પણ સમજી શકાય.
ન
(ii) સમાસોક્તિ-તેનું લક્ષણ ભામહને અનુસરીને અભિનવગુપ્તે આ પ્રમાણે આપ્યું છે.
यत्रोक्तौ गम्यतेऽन्योऽर्थस्तत्समानैर्विशेषणैः । सा समासोक्तिरुदिता संक्षिप्तार्थतया બુધૈ: || કાવ્યાલંકાર-૨/૭૯.
।
અર્થાત્ - જે ઉક્તિમાં, સમાન વિશેષણોને કારણે પ્રસ્તુતથી અન્ય અર્થની પ્રતીતિ હોય તે ઉક્તિને (સંક્ષેપમાં) સંક્ષિપ્તાર્થ હોવાથી ‘સમાસોક્તિ’ કહે છે. પ્રસ્તુત અને અપ્રસ્તુત બંનેનું એક સાથે વર્ણન કરવાથી તે સંક્ષિપ્તાર્ય છે. આ લક્ષણ શ્લોકમાં ચાર ચરણમાં ક્રમથી સમાસોક્તિનું લક્ષણ-સ્વરૂપ હેતુ, નામ અને તેની વ્યુત્પત્તિ બતાવવામાં આવેલ છે.
(iii) ૩પોરામેળ... ઈ. શ્લોકમાં સંધ્યાનું વર્ણન છે. શ્લેષયુક્ત વિશેષણોથી ચંદ્ર અને સંધ્યામાં નાયક-નાયિકાના વ્યવહારનું આરોપણ થયું છે. નિશાનુંસમીસાંજનું વર્ણન પ્રસ્તુત છે. ચંદ્ર અને નિશાનો પ્રસ્તુત સાથે સંબંધ છે, પણ શ્લેષ યુક્ત વિશેષણો વગેરેથી એ બંને પર નાયક-નાયિકાના વ્યવહારનો આરોપ કરવામાં આવ્યો છે. તેથી ‘સમાસોક્તિ’ અલંકાર છે. જેની વાત કરતા હોઈએ તે પ્રસ્તુત કે પ્રકૃત કહેવાય છે. જેની વાત ન કરતા હોઈએ તે અપ્રસ્તુત કે અપ્રકૃત છે. ‘સમાસોક્તિ’માં પ્રકૃતનું વર્ણન એવી રીતે કર્યું હોય છે કે જેથી અપ્રકૃતનું વર્ણન પણ સમજાય છે.
(iv) પૂર્વપક્ષમાં કહ્યા મુજબ અહીં નાયક-નાયિકા વ્યવહાર વ્યઙ્ગય છે, વાચ્ય નહીં. તેથી આ શ્લોકમાં ‘સમાસોક્તિ’ની સાથે ધ્વનિ પણ છે. તેથી ધ્વનિનો