________________
દ્વિતીય ઉદ્યોત: ૨૭
૧૪૩ અહીં વાચ્યવિશેષથી, બહુજ્ઞ અપરાધવાળો હોવા છતાં તેના તરફ કોપ કરવો અશક્ય છે એમ સમર્થન કરનાર અર્થસામાન્ય, બીજાં તાત્પર્યની સાથે બહાર આવે છે. (તેથી અર્થાન્તરચાસ ધ્વનિ છે)
(અર્થશક્તિમૂલ વ્યતિરેક ધ્વનિ) વ્યતિરેકથ્વનિ પણ (શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ) બન્ને પ્રકારનો હોઈ શકે છે. તેમાંથી પ્રથમ (શબ્દશક્તિમૂલ)નું ઉદાહરણ (ઉં એડયુક્વન્તિ ...ઈ.) પહેલાં કહ્યું જ છે. બીજા (અર્થશક્તિમૂલ)નું ઉદાહરણ જેમકે
વનના પ્રદેશમાં ખરેલાં પાંદડાંવાળું કૂબડું વૃક્ષ હું બની જાઉં. પણ માનવ લોકમાં ત્યાગમાં જ એકમાત્ર આનંદ લેનાર દરિદ્ર બનીને જન્મ ન લઉં.”
અહીં માત્ર દાનમાં જ રસ માનનાર દરિદ્રીના જન્મને વખોડવાનું તથા પાંદડાં વિનાના કૂબડા ઝાડના જન્મને વખાણવાનું સાક્ષાત્ શબ્દથી વાચ્ય છે. તેવા વૃક્ષથી પણ, તેવા પુરુષની, ઉપમાનોપમેય જ્ઞાનથી, અધિક શોચનીય દશા, તાત્પર્યદ્વારા પ્રકાશિત થાય છે. ૨૭-૪ ઉમ્બેલાધ્વનિ (નું ઉદાહરણ) જેમ કે
ચંદન (વૃક્ષ)માં લપેટાઈને રહેલા સર્પોના નિઃશ્વાસથી મૂર્ણિત થયેલો મલયપવન વસંતમાં પથિકોને મૂર્ષિત કરે છે.'
અહીં વસંતમાં પથિકને મૂછ પમાડવાની મલયમાતની શક્તિ, કામદેવની ઉન્માદક શક્તિને લઈને જ છે. તે (શક્તિ) ચંદનને આશ્રયે રહેલ સર્પના નિઃશ્વાસના અનિલથી મૂર્ણિત થઈ, એમ ઉઝેક્ષા’ કરી છે. આમ (ઉપ્રેક્ષા) જો કે સાક્ષાત્ કહેવાયી નથી તો પણ વાક્યર્થના સામર્થ્યથી અનુરણનરૂપે-સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપેદેખાય છે. અને આવા વિષયમાં ‘વ’ (જાણે કે) વગેરે શબ્દોના પ્રયોગ વગર અસંબદ્ધતા જ છે એમ પણ ન કહી શકાય. (સાંભળનારની પ્રતિભાના સદ્યોગથી ચંદનાસક્ત ઇત્યાદિ વિશેષણ ઉપ્રેક્ષા) જણાવનાર હોવાથી (ગમક-વ્યંજક હોવાથી) અન્ય ઉદાહરણોમાં પણ નવ વગેરેના) તેમના પ્રયોગ વિના પણ તેની (ઉક્ષાની) પ્રતીતિ જોઈ શકાય છે. જેમ કે-“આજે આ પૂર્ણિમાનો ચંદ્ર તારા, ઈર્ષ્યાથી કલુષિત મુખની પણ સમાનતા પામીને જાણે પોતાના શરીરમાં સમાતો નથી.”
અથવા (વાચકના અભાવમાં પણ ઉ~ક્ષાનું એવું જ બીજું ઉદાહરણ) જેમ કે- “ભયથી વ્યાકુળઘરોની ચારે બાજુ દોડતો હતો ત્યારે કોઈ ધનુર્ધારીએ તેનો પીછો ન ર્યો હોવા છતાં સ્ત્રીઓથી કાન સુધી ખેંચીને મરાયેલાં નેત્રબાણોથી જેની નેત્રની કાંતિ હણાઈ ગઈ છે એવો તે (મૃગ) ક્યાંય થોભ્યો નહીં.” શબ્દ અને અર્થના વ્યવહારમાં (સયઅનુભવરૂ૫) પ્રસિદ્ધિ જ (અર્થપ્રતીતિમાં) પ્રમાણ છે. લેષ ધ્વનિ (નું ઉદાહરણ) જેમ કે