________________
તૃતીય ઉદ્યોત : ૩૩
તાર્કિકોને (આત્મા વગેરે) અલૌકિ અર્થોના વિષયમાં બધી વિપ્રતિપત્તિઓમતભેદો-પ્રવર્તે છે લૌકિક (પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ) અર્થના વિષયમાં નહીં. નીલ, મધુર ઇત્યાદિમાં સમસ્ત લોક્ને ઇન્દ્રિય ગોચર તથા બાધારહિત તત્ત્વના વિષયમાં પરસ્પર વિપ્રતિપન્ન (વિરોધી વિચારોવાળા) લોકો દેખાતા નથી. ખાધારહિત ‘નીલ’ને ‘નીલ’કહેનાર, બીજા દ્વારા ‘આ નીલ નથી (લૂરુ નથી) પણ ‘પીત’ છે (પીળું છે) એમ (કહી), પ્રતિષેધ કરાવાતો નથી. તેમજ વાચક શબ્દોનું, અવાચક ગીતધ્વનિનું અને અશબ્દરૂપ ચેષ્ટાદિનું વ્યંજકત્વ, જે બધાને અનુભવસિદ્ધ છે, તેને કોણ સંતાડી શકે ?
૨૩૭
વિદગ્ધજનોની સભાઓમાં શબ્દરહિત રમણીય અર્થને સૂચિત કરનારાં વચન તથા વ્યાપાર વિવિધ પ્રકારના નિબદ્ધ અને અનિબદ્ધ રૂપમાં મળે છે. (છંદોબદ્ધ રીતે અને ગદ્યમાં મળે છે.) તો પોતાની મરકરી કરાવવા ન ઇચ્છતો હોય એવો ક્યો સહૃદય તેનો અસ્વીકાર કરે ?
(અનુમિતિવાદનું ખંડન)
(પૂર્વપક્ષ) કોઈ આમ કહે-(વ્યંજકત્વનો) અસ્વીકાર કરવાનો અવસર છે. શબ્દોનું વ્યંજત્વ તે જ ગમત્વ (બોધત્વ) છે અને તે (ગમકત્ચ) લિંગત્વ (રૂપ) છે. અને એથી વ્યંગ્યની પ્રતીતિ, લિંગીની પ્રતીતિ જ છે. આ રીતે તેમનો (શબ્દોનો) તિકૃતિન્નિમાલ જ છે, બીજો કોઈ વ્યંગ્ય-વ્યંજકભાવ નહીં. (અર્થાત્ લિંગ-લિંગીભાવ જ એ શબ્દોનો વ્યંગ્ય-વ્યંજકભાવ છે અને લિંગ લિગિંભાવથી અલગ કશું નથી) અને એથી પણ એવું અવશ્ય માનવું જોઈએ કે વકતાના અભિપ્રાયની દૃષ્ટિએ વ્યંજકત્વનું પ્રતિપાદન (ભંજક-વ્યંગ્યનો લિંગ-લિંગિભાવ) તમે (વ્યંજત્વ-વાદીએ) હમણાં (મીમાંસકોનું ખંડન કર્યું તે ભાગમાં) કરેલ છે. અને વકતાનો અભિપ્રાય અનુમેયરૂપ જ હોય છે. (પૂર્વપક્ષનું માનવું એવું છે કે વ્યંજના અનુમિતિ-અનુમાનથી થતું જ્ઞાન-ની અંતર્ગત છે.)
(ઉત્તરપક્ષ) અહીં કહેવાય છે- જો આ પ્રકારે હોય તો પણ અમારું શું બગડવાનું છે ? વાચકત્વ અને ગુણવૃત્તિથી ભિન્ન (વ્યતિરિક્ત) વ્યંજત્વ રૂપ શબ્દ વ્યાપાર છે એ અમે સ્વીકાર ર્યો છે. એ (સિદ્ધાન્ત)ને આમ (વ્યંગ્ય-વ્યંજભાવને લિંગલિંગિરૂપ) માનવાથી પણ કોઈ હાનિ થતી નથી. નિસંદેહ તે વ્યંજ~ લિંગત્વ થઈ જાય કે કંઈ બીજું. પ્રસિદ્ધ શબ્દ વ્યાપાર (અભિધા તથા ગુણવૃત્તિરૂપ)થી સર્વથા વિલક્ષણ અને શબ્દવ્યાપારનો વિષય તે રહે છે, એથી આપણો વિવાદ નથી.
પણ એ વાસ્તવિકતા નથી કે વ્યંજકત્વ સર્વત્ર લિંગ (હેતુ) જ હોય છે અને વ્યંગ્યપ્રતીતિ સર્વથા લિંગી (સાધ્ય)ની જ થાય છે.
પોતાના પક્ષની સિદ્ધિમાંટે, ‘વતાનો અભિપ્રાય વ્યંગ્યત્વથી જાણી શકાય છે માટે તેના પ્રકાશનમાં શબ્દોનું લિંગત્વ છે’ એમ અમારું કહેવું જે તમે ઉલ્લેખ્યું છે તે અમે જેમ કહેવા માંગ્યું છે તેના ભાગ પાડીને, ખરાબર સમજાવીએ છીએ, સાંભળો.