________________
ચતુર્થ ઉદ્યોત : ૩, ૪
મહાકવિએ આ બાબત એક ગાથા પણ કરી છે.
‘“મહાકવિઓની વિકટ વાણી સર્વોત્કૃષ્ટ છે. જે એ પ્રકારે (રમણીયરૂપમાં) ન પણ રહેલ હોય તેવા પદાર્થોને હૃદયમાં એ પ્રકારે (રમણીય રૂપમાં) રહેલ હોય એમ નિવેશ કરી દે છે. (અર્થાત્ સ્થાપી દે છે.)
૨૭૫
આ રીતે રસ, ભાવ વગેરેનો આશ્રય લેવાથી કાવ્યાર્થ અનંત બની જાય છે, એવું સારી રીતે પ્રતિપાદિત કર્યું.
કારિકા-૪ અને વૃત્તિ : તેનું જ ઉપપાદન કરવા માટે (દઢ કરી સમજાવવા) કહે છે- ‘‘કાવ્યમાં પહેલાં જોયેલ અર્થ પણ રસને પામીને બધા નવા જેવા લાગે છે, જેમ મધુમાસમાં ( = વસંતઋતુમાં) વૃક્ષો.'' જેમ કે-વિવક્ષિતાન્યપરવાચ્ય (ધ્વનિના) શબ્દશત્યુદ્ભવરૂપ (અનુરણનવ્યંગ્ય= ) સંલક્ષ્યક્રમવ્યંગ્ય ભેદના આશ્રયથી નવત્વ, જેમકે ‘‘પૃથ્વીને ધારણ કરવાને માટે હવે તણે ‘શેષ’ છો (ધરનીધારળાયાધુના સ્વં રાવે...) ઇત્યાદિમાં. (. ૩/૧ની વૃત્તિમાં)
‘‘શેષનાગ, હિમાલય અને તમે મહાન (વિપુલ આકારવાળા તથા મહત્ત્વશાલી) ગુરુ (પૃથ્વીનો ભાર સહન કરવાને સમર્થ અને પ્રતિષ્ઠિત) અને સ્થિર (અચલ તથા દઢ પ્રતિજ્ઞ) છો. કેમ કે તમે જ મર્યાદાનું અતિક્રમણ કર્યા વગર ચાલતી (કંપતી અને સામાજિક મર્યાદાથી વ્યુત થતી) પૃથ્વીને ધારણ (તથા પાલન) કરો છો.’’ ઇત્યાદિ છે તો પણ. તેના જ અર્થશક્તિથી નીપજતા અનુરણનરૂપ વ્યંગ્યના આશ્રયથી નવત્વ જેમ કે
‘‘Ë વિિન લેવા’’(=દેવર્ષિ વડતાં એવું...ઈ.) (ધ્વ. ૨/૨૨ વૃત્તિનો શ્લોક) શ્લોકનું, “વરના સંબંધમાં વાતચીત કરાતાં, રોમાંચ ફૂટતાં અંદરની લજ્જાથી નમેલાં મુખવાળી કુમારીઓ સ્પૃહા (અભિલાષા)ને સૂચવે છે.'' ઇત્યાદિ શ્લોક હોવા છતાં પણ.
અર્ધશક્તિથી નીપજતા અનુરણનરૂપ વ્યંગ્યનું (=સંલક્ષ્યક્રમવ્યંગ્યનું) ‘કવિપ્રૌઢોક્તિનિર્મિત’ શરીરની દ્વારા નવીનતા જેમકે ‘સન્નયતિ સુરમિમાસો' અર્થાત્ ‘સુરભિમાસ (વસંતમાસ) સજ્જ કરે છે.’ (ધ્વ. ૨/૨૪ની વૃત્તિ) ઇત્યાદિનું
‘વસંતઋતુ આવતાં આમ્રમંજરીઓની સાથે જ પ્રણયીઓની રમ્ય ઉત્કંઠાઓ પણ એકાએક પ્રાદુર્ભૂત થાય છે.’’ વગેરે છે તો પણ અપૂર્વત્વ જ છે.
અર્યશક્તિથી નીપજતો ‘કવિનિબદ્ધવક્ત પ્રૌઢોક્તિ’વાળો અનુરણનરૂપ વ્યંગ્ય હોય ત્યારે નવત્વ જેમકે- ‘વાશિના ઇસ્તિવન્તા ’અર્થાત્ ‘હાથીદાંત અહીં ક્યાંથી...ઈ. (. ૩/૧ની વૃત્તિ) ગાયાના અર્થની ‘“એક બાણના જ પ્રયોગથી (મઠમત્ત હાથીઓને મારીને) હાથણીઓને વિધવા કરનાર મારા પુત્રને અભાગણી વહુએ એવો કરી દીધો છે (નિરંતર સંભોગને લીધે માયકાંગલો) કે હવે ભાથો (ખાણથી ભરેલ) લાદીને ફરે છે.’’