________________
તૃતીય ઉદ્યોત : ૧૮
२४७
પણ ‘સમાસોક્તિ’, ‘આક્ષેપ’, ‘પર્યાયોક્ત’, આદિમાં ગમ્યમાન અંશ (વ્યંગ્યાંશ)ના અવિનાભાવથી જ તત્ત્વ (અલંકારત્વ)ની વ્યવસ્થા હોવાથી ‘ગુણીભૂતવ્યંગ્યતા’ નિર્વિવાદ જ છે.
અને એ ‘ગુણીભૂત વ્યંગ્યતા’માં કેટલાક અલંકારોમાં વિાિણ અલંકારો ગર્ભિત હોવાનો નિયમ છે. જેમ કે ‘વ્યાજસ્તુતિ’માં ‘પ્રેયોલંકાર’ ગર્ભિત છે.
કેટલાક (અલંકાર) નિયમતઃ માત્ર અલંકાર ગર્ભ હોય છે. (ગર્ભિત રીતે રહેલ હોય તેવા). જેમ કે ‘સંદેહ’ આદિનું ઉપમાગર્ભ હોવામાં. (ઉપમા-બધા સાદશ્ય મૂલક અલંકારો માટે પ્રયોજાયેલ છે.)
કેટલાક અલંકારોમાં પરસ્પર-ગર્ભતા પણ હોઈ શકે છે. જેમ કે ‘દીપક’ અને ‘ઉપમા’માં. તેમાં ‘ઉપમાગર્ભ દીપક’ પ્રસિદ્ધ જ છે. ‘ઉપમા’ પણ કદાચ ‘દીપક’ની છાયાને અનુસરે છે. જેમ કે ‘માલોપમા’. જેમ કે ‘‘પ્રમામહત્યા શિવયેન ટીપ... ઇત્યાદિ (અર્થાત્ મહાપ્રભાની શિખાથી જેમ દીપ...ઈ.)માં ‘દીપક’ની છાયા સ્પષ્ટ જ પ્રતીત થાય છે.
એટલે, આ રીતે, વ્યંગ્ય અંશના સંસ્પર્શને લીધે ચારુત્વાતિશયને પ્રાપ્ત થનારા ‘રૂપક’ વગેરે બધા જ અલંકારો ‘ગુણીભૂતવ્યંગ્ય’ના માર્ગ(ના) છે. (અર્થાત્ તેના ક્ષેત્રમાં સમાઈ જાય છે.) તે પ્રકારના કહેલા (‘દીપક’, ‘તુલ્યયોગિતા’ વગેરે) અને ન કહેલા (‘સંદેહ’ વગેરે) તે બધા અલંકારોમાં, ગુણીભૂતવ્યંગ્યત્વ, સામાન્યરૂપથી રહે છે. તેને લક્ષિત કરવાથી (તેનું-‘ગુણીભૂતવ્યંગ્ય’નું-લક્ષણ આપવાથી) આ બધા (અલંકારો) સારી રીતે લક્ષિત થઈ જાય છે.
સામાન્ય લક્ષણ વગર પ્રત્યેનું સ્વરૂપવિશેષ કહેવાથી તો પ્રત્યેક પદના પાઠથી, શબ્દોની જેમ અનંત હોવાથી, તત્ત્વતઃ જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે વાણીના વિકલ્પો (ભંગીઓ-શૈલીઓ) અનંત છે, અને તેના પ્રકારો તે અલંકારો (છે).
અને ‘ગુણીભૂતવ્યંગ્ય’નું વિષયત્વ (કેવળ એક અલંકારમાં બીજા વ્યંગ્ય અલંકારના સંબંધથી જ નહીં પણ વસ્તુ અથવા રસાદિરૂપ અન્ય) વ્યંગ્ય અર્થને અનુસરવાથી, અન્ય પ્રકારથી પણ છે. એથી અતિરમણીય, મહાકવિવિષયક, ધ્વનિનો આ બીજો પ્રવાહ પણ સહૃદયો એ લક્ષિત કરવો જોઈએ. સહૃદયના હૃદયને હરે એવો કાવ્યનો કોઈ પ્રકાર નથી જે પ્રતીયમાન (વ્યંગ્ય)ના સ્પર્શથી સૌભાગ્ય (સૌંદર્ય)ન પામે. એથી વિદ્વાનોએ સમજવું જોઈએ કે આ (વ્યંગ્ય અને કેવળ વ્યંગ્યસંસ્પર્શજ) કાવ્યનું પરમ રહસ્ય છે.
કારિકા-૩૮ અને વૃત્તિ:
‘“અલંકારોને ધારણ કરનારી મહાકવિઓની આ પ્રતીયમાન દ્વારા સંપાદિત છાયાએ પ્રકારે મુખ્ય હોય છે જે પ્રકારે સ્ત્રીઓનું લજ્જા (રૂપ) આભૂષણ.’’