________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૨૧
વાચક્ત્વ (અભિધા) જ વ્યાપાર છે. તેના બીજા વ્યાપારની કલ્પનાની શું આવશ્યક્તા ? એથી તાત્પર્યવિષયક જે અર્થ છે તે મુખ્યરૂપમાં વાચ્ય હોય છે. એવા વિષયમાં વચમાં જે બીજી વાચ્યપ્રતીતિ હોય છે તે (પેલી વાચાર્ય) પ્રતીતિનો (ઉપાય છે). પદાર્થ પ્રતીતિની જેમ, તેની પ્રતીતિનો ઉપાયમાત્ર છે.
(સિદ્ધાન્તપક્ષ) અહીં કહીએ છીએ. જ્યાં શબ્દ પોતાના અર્થને કહીને બીજા અર્થનો બોધ કરાવે છે ત્યાં એ (શબ્દ) પોતાના અર્થને કહે અને જે બીજા અર્થના બોધનો હેતુ થાય એ બંનેમાં (કોઈ) વિશેષતા (ભેદ) છે કે નથી ? (અર્થાત્ તે બંનેમાં અવિશેષ છે કે વિશેષ !) અવિશેષ તો નથી, કેમ કે તે બંને વ્યાપાર ભિન્ન વિષય અને ભિન્નરૂપ પ્રતીત થાય છે જ. જેમ કે શબ્દનો વાચકત્વરૂપ વ્યાપાર સ્વઅર્થને વિષય કરે છે, પણ ગમકત્વરૂપ (વ્યાપાર) (અર્થાત્ ભંજકત્વ નામનો વ્યાપાર) અર્થાન્તરને (બીજા અર્થને) વિષય કરે છે. વાચ્ય અને વ્યંગ્યનો પોતાનો અને પારકો એ વ્યવહાર છુપાવી શકાતો નથી. કેમકે એક (વાચ્યાર્થ)ની (શબ્દની સાથે સાક્ષાત્) સંબંધિત રૂપથી પ્રતીતિ થાય છે અને બીજાનાશબ્દના સંબંધી (અર્થ)ના સંબંધી (પરંપરયા સંબંધિત) રૂપથી પ્રતીતિ થાય છે. વાચ્યાર્થ સાક્ષાત્ શબ્દનો સંબંધી છે અને તેનાથી ઇતર-બીજો- અર્થ તો, વાચ્યાર્થના (અભિધેયના) સામર્થ્યથી આક્ષિત, સંબંધિ-સંબંધી છે. (અર્થાત્ પરંપરાથી- indirectly – શબ્દ સાથે સંબદ્ધ છે.) જો તેનું સાક્ષાત્ સ્વસંબંધિત્વ હોય, તો અર્થાન્તરત્વ વ્યવહાર ન જ હોય એથી એ બંને વ્યાપારોનો વિષયભેદ તો સુપ્રસિદ્ધ છે. (એટલે કે સ્વ-અર્થ વિષયમાં વાચ્ય વ્યવહાર અને પર-અર્થ વિષયમાં વ્યંગ્ય વ્યવહાર હોવાથી બંને વ્યાપારોનો વિષયભેદ સુપ્રસિદ્ધ છે.)
(વ્યંજનાનો સ્વરૂપ ભેદ)
(વાચ્ય અને વ્યંગ્યનો સ્વરૂપભેદ પણ પ્રસિદ્ધ જ છે) રૂપક પણ પ્રસિદ્ધ જ છે. જે અભિધાનશક્તિ છે તે જ અવગમન શક્તિ (વ્યંજક શક્તિ) નથી. કેમકે અવાચક પણ ગીત આદિ શબ્દની રસ ઇત્યાદિ લક્ષણવાળી અર્થની પ્રતીતિ જોવા મળે છે. શબ્દ-પ્રયોગરહિત ચેષ્ટા ઇત્યાદિથી પણ અર્થવિશેષનું પ્રકાશન પ્રસિદ્ધ છે. જેમ કે “ગ્રીડાયોન્નતવનયા'' ઇત્યાદિ શ્લોક (ઉ-૩, કા-૪ની વૃત્તિમાં) (અર્થાત્ લજ્જાને કારણે મુખ નીચું કરી...ઈ.)માં સુકવિએ વિશેષ પ્રકારની ચેષ્ટાને (ખાસ) અર્થ પ્રકાશવા માટે દર્શાવેલ છે. તેથી વિષયભેદ હોવાથી અને રૂપભેદ હોવાથી શબ્દનું જે ‘અર્થાભિધાયિત્વ' (અર્થાત્ પોતાના અર્થને કહેવાપણું) અને ‘અર્થાન્તર અવગમહેતુત્વ' (અર્થાત્ બીજા અર્થને પામવામાં હેતુ હોવું તે) છે તેનો ભેદ સ્પષ્ટ જ છે.
જો વિશેષ (=ભેડ) છે તો પછી હવે અવગમનરૂપ અભિધેયના સામર્થ્યથી આક્ષિસ બીજા અર્થને વાચ્ય નામથી કહેવો ઉચિત નથી. પરંતુ તે શબ્દ વ્યાપાર