________________
તૃતીય ઉદ્યોતઃ ૧
૧૫૧
તૃતીય ઉદ્યોત
આ રીતે (દ્વિતીય ઉદ્યોતમાં) ધ્વનિનું સ્વરૂપ વ્યંગ્યદ્વારા (વ્યંગ્યાર્થીની દષ્ટિએ) પ્રભેદસહિત દર્શાવીને હવે વ્યંજકદ્વારા (વ્યંજની દષ્ટિએ) તેના ભેદો બતાવે છે.
કારિકા-૧ “અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલધ્વનિ) અને તેનાથી ભિન્ન (વિવક્ષિતા પરવાથ્યનો એક ભેદ) અનુરણનરૂપ (અર્થાત્ સંલક્ષ્યક્રમવ્યંગ્ય) ધ્વનિ, પદ અને વાક્યથી પ્રકાશિત થાય છે.'
વૃત્તિ-૧.૧ : અવિવક્ષિતવાચ્ય (=લક્ષણામૂલ)ના અત્યન્તતિરસ્કૃતવાચ્ય (નામના) ભેદમાં પદ વ્યંગ્યનું ઉદાહરણ (અર્થાત્ પદ દ્વારા વ્યંગ્યાર્થ પ્રગટ થતો હોય એવું ઉદાહરણ) જેમકે મહર્ષિ વ્યાસનું (શ્લોકનું વાક્ય) ‘‘આ સાત લક્ષ્મીની સમિધાઓ છે.” અથવા જેમકે કાલિદાસનું- “તને ચઢી આવેલો જોયા પછી વિરહથી દુઃખી પત્નીની કોણ ઉપેક્ષા કરે?” અથવા “મધુર આકૃતિવાળાને કઈ વસ્તુ આભૂષણરૂપ નથી બનતી?”
આ ઉદાહરણોમાં ‘મિધ’, ‘ત્રી અને પુરાણ” એટલાં પદો વ્યંજકરૂપે (પ્રયુક્ત) કરાયાં છે. '
૧.૨ તેના જ (અવિવક્ષિતવાચ્ય લક્ષણામૂલ ધ્વનિના) અર્થાન્તરસંક્રમિતવાચ્યમાં (એ નામના ભેદના ઉદાહરણમાં) જેમ કે- “હે પ્રિયે ! પોતાના જીવનના લોભી રામે પ્રેમને અનુરૂપ કાર્ય ન કર્યું.” અહીં “રામ” પદ “સાહસેકસિત્વ” (સાહસમાં જ એકરસ) વગેરે વ્યંગ્યમાં સંક્રમિતવાચ્ય રૂપમાં વ્યંજક છે. અથવા જેમ કે-“તેના ગાલની ઉપમામાં લોકો (ઉપમાનરૂપે) ચંદ્રબિંબને એમ જ રાખી દે છે. (આવી ઉપમા અમસ્તી જ આપે છે.) ખરું જોતાં બિચારો એ ચંદ્ર તો ચંદ્રમાત્ર છે. અહીં બીજો “ચંદ્ર’ શબ્દ (ક્ષીણતા, કલંકવાળા હોવું વગેરેથી યુક્ત ચંદ્ર અર્થમાં) “અર્થાન્તરસંક્રમિત વાચ્ય છે.
‘અવિવક્ષિતવાચ્ય’ના “અત્યંતતિરસ્કૃતવાચ્ય’ નામના ભેદમાં વાક્યપ્રકાશતા (=વાક્ય મારક્ત પ્રગટ થતો હોય તેનું ઉદાહરણ) જેમ કે
જે અન્ય સૌ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી (તત્ત્વજ્ઞાની જિતેન્દ્રિય પુરુષ) જાગતો (રહે) છે. જ્યાં બધાં પ્રાણી જાગે છે, તે તત્ત્વજ્ઞાની મુનિની રાત્રિ છે.'
આ વાક્યથી નિશાનો અર્થ ન તો કંઈ જાગરણનો અર્થ વિવક્ષિત છે. તો શું છે? મુનિનું તત્ત્વજ્ઞાનમાં સાવધ હોવું અને અતત્ત્વથી પરાઠુખ હોવું એ પ્રતિપાદિત કરેલ છે, આ તિરસ્કૃતવાચ્યનું વ્યંજકત્વ છે. એનું ઉદાહરણ છે).