________________
બન્યાલોક જ પ્રકારની રચનાઓ, જેવી કે દીર્ઘસમાસવાળી, મધ્યમ સમાસવાળી અને અસમાસામાં પણ જોવા મળે છે. પ્રસાદ એટલે શબ્દ અને અર્થગત સ્વચ્છતા. વ્યંગ્યાર્થની અપેક્ષાએ તેનું નિરૂપણ કાવ્યમાં થાય છે. આ ગુણને લીધે કાવ્ય, શુષ્ક કામાં અગ્નિની જેમ, સહૃદયોના ચિત્તમાં એકદમ વ્યાપી જાય છે. આ સ્વચ્છતા - પ્રસન્નતા - બધા રસોને માટે જરૂરી છે. એ બધા રસોનો ગુણ છે. પણ ઔપચારિક રીત જ તેને શબ્દ અને અર્થનો ગુણ કહેવાયો છે. ૫
આ ત્રણે ગુણો મુખ્યત્વે સહૃદયના આસ્વાદરૂપ જ હોય છે પણ પાછળથી આસ્વાદ્ય એવા રસમાં ઉપચરિત થાય છે. તેથી રસના વ્યંજક શબ્દ અને અર્યના પણ આ ત્રણ ગુણો છે એમ કહેવાય છે. આ
અલંકાર નિરૂપણ - દંડી કે વામનની જેમ આનંદવર્ધને અલંકાર શબ્દનો પ્રયોગ, કાવ્યગત સૌંદર્યના વ્યાપક અર્થમાં કર્યો નથી. પણ ફક્ત તેના શબ્દગત અને અર્થગત અલંકારો જેવા કે યમક વગેરે અને ઉપમા વગેરેના અર્થમાં જ આ શબ્દ પ્રયુક્ત કરેલ છે. આનંદવર્ધને એક સ્પષ્ટ વલણ અપનાવે છે કે કાવ્યમાં અંગીરૂપ રસધ્વનિ એ જ અલંકાર્ય અને ઉપમા વગેરે તેના અલંકારો છે. - “સાતિયા ય ...ઈ.” ૨/૧૬ માં કહ્યું છે કે “રસ (ધ્વનિ) દ્વારા આક્ષિત રીતે જેનું નિરૂપણ શક્ય બને અને જેને માટે પૃથક પ્રયત્ન કરવો ન પડે તેને જ ધ્વનિ (કાવ્ય)માં અલંકાર ગણવામાં આવ્યો છે.”
આ કારિકા પરની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે “નિષ્પત્તિ થતાં જે આશ્ચર્યકારક જણાય છે તેને અલંકાર, રસ વડે અનિવાર્યતયા આક્ષિપ્ત થવાથી જ જેનું નિરૂપણ શક્ય બને, તે જ આ અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય એવા રસાદિ ધ્વનિમાં અલંકાર ગણાયેલ છે. તે જ મુખ્યત્વે રસનું અંગ બની શકે છે. “અભિનવ ગુણ સ્પષ્ટતા કરતાં લખે છે, રસને ધ્યાનમાં રાખતાં વિભાવાદિનું નિરૂપણ કરતી વખતે કવિ જે અલંકાર અનિવાર્ય રીતે (નાનાયિકથા) નિરૂપિત કરે તે જ અલંકાર રચના માર્ગમાં અલંકાર ગણવો, બીજો નહીં. '
આનંદવર્ધન યમક, અનુપ્રીસ વગેરે શબ્દાલંકારોના પ્રયોગોમાં રસગત ચિત્ય પણ વિચારે છે. તે કહે છે રસનિરૂપણ દરમિયાન કવિ વડે અપૃથફ યત્નથી ( ખાસ જુદા પ્રયત્નના અભાવથી) જે અલંકાર પોતાની મેળે નિરૂપિત થઈ જાય એ અલંકારને સ્વીકાર્ય લખવો. આનંદવર્ધને ધ્વનિને અને ખાસ કરીને રસધ્વનિને કાવ્યમાં અંગી અર્થાત્ અંગવાળો એટલે કે આત્મ સ્વરૂપ કપ્યો છે. અને તે હંમેશાં વ્યંજના વડે જ કાવ્યમાં નિરૂપિત થાય છે. આ અંગિરસના સંદર્ભમાં જ તેમણે બાકીનાં ગણાવાયેલાં તત્ત્વો જેવાં કે ગુણ, અલંકાર, રતિ, વૃત્તિ વગેરે કાવ્યમાં ગ્રાહા ગયાં છે. આમ રસ અંગી છે અને અલંકાર વગેરે તેનાં